Wednesday, March 11, 2026

અમદાવાદના પશ્ચિમના વિસ્તારોમાં પેપરકપ અને ગંદકીને લઈને 10 ચાની કીટલીઓ સીલ કરાઈ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં જાહેર રોડ પર ગંદકી કરનારા અને પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરનારા દુકાનદારો વિરુદ્ધ AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને ચાની દુકાનો અને પાનના ગલ્લાની બહાર લોકો વધારે ગંદકી કરતા હોય છે. ચા પીધા બાદ કપ રોડ ઉપર જ ફેંકી દે છે અને જે કચરો સીધો ગટરમાં જાય છે અને તેના કારણે ગટરો ચોક થઈ જતી હોવાની ફરિયાદો મળી હતી. જેના પગલે પેપર કપ વાપરવા ઉપર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા હવે ચાની દુકાનો અને પાન પાર્લરનીની બહાર સઘન ચેકિંગ હાથ ધર્યું છે. ગંદકી કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરતા કુલ 10 જેટલી ચાની દુકાનોને સીલ મારી દેવામાં આવી છે.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના જણાવ્યા મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર રોડ ઉપર ગંદકી કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ઘાટલોડિયા, ગોતા, બોડકદેવ, થલતેજ સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ ભેરુજી ટી સ્ટોલ-ઘાટલોડિયા ગામ, જય અંબે ટી સ્ટોલ-ભુયંગદેવ, શેષકૃપા ટી સ્ટોલ-ઘાટલોડિયા, મહાકાળી ટી સ્ટોલ-ઘાટલોડિયા, મહારાજ ટી સ્ટોલ-ઘાટલોડિયા, ચાની કીટલી-ઘાટલોડિયા, શિવાસ કોફીબાર-બોડકદેવ ચાની કીટલી-ઘાટલોડિયા, બ્રધર્સ પાન પાર્લર-ચાંદલોડિયા, ઓલ માઈટી-વંદે માતરમ રોડ 9 જેટલી ચાની દુકાનોને સીલ મારી દેવામાં આવી હતી. જ્યારે એક પાન પાર્લરની બહાર ગંદકી જોવા મળતા તેને પણ સીલ મારી દેવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...