Friday, January 16, 2026

અમદાવાદના પશ્ચિમના વિસ્તારોમાં પેપરકપ અને ગંદકીને લઈને 10 ચાની કીટલીઓ સીલ કરાઈ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં જાહેર રોડ પર ગંદકી કરનારા અને પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરનારા દુકાનદારો વિરુદ્ધ AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને ચાની દુકાનો અને પાનના ગલ્લાની બહાર લોકો વધારે ગંદકી કરતા હોય છે. ચા પીધા બાદ કપ રોડ ઉપર જ ફેંકી દે છે અને જે કચરો સીધો ગટરમાં જાય છે અને તેના કારણે ગટરો ચોક થઈ જતી હોવાની ફરિયાદો મળી હતી. જેના પગલે પેપર કપ વાપરવા ઉપર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા હવે ચાની દુકાનો અને પાન પાર્લરનીની બહાર સઘન ચેકિંગ હાથ ધર્યું છે. ગંદકી કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરતા કુલ 10 જેટલી ચાની દુકાનોને સીલ મારી દેવામાં આવી છે.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના જણાવ્યા મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર રોડ ઉપર ગંદકી કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ઘાટલોડિયા, ગોતા, બોડકદેવ, થલતેજ સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ ભેરુજી ટી સ્ટોલ-ઘાટલોડિયા ગામ, જય અંબે ટી સ્ટોલ-ભુયંગદેવ, શેષકૃપા ટી સ્ટોલ-ઘાટલોડિયા, મહાકાળી ટી સ્ટોલ-ઘાટલોડિયા, મહારાજ ટી સ્ટોલ-ઘાટલોડિયા, ચાની કીટલી-ઘાટલોડિયા, શિવાસ કોફીબાર-બોડકદેવ ચાની કીટલી-ઘાટલોડિયા, બ્રધર્સ પાન પાર્લર-ચાંદલોડિયા, ઓલ માઈટી-વંદે માતરમ રોડ 9 જેટલી ચાની દુકાનોને સીલ મારી દેવામાં આવી હતી. જ્યારે એક પાન પાર્લરની બહાર ગંદકી જોવા મળતા તેને પણ સીલ મારી દેવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...