Saturday, November 8, 2025

અમદાવાદનો વધુ એક બ્રિજ વિવાદમાં, ઉદ્ઘાટનના માત્ર 3 મહિનામાં ભ્રષ્ટાચારના ખાડા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના એક પછી એક બ્રિજ વિવાદમાં આવી રહ્યા છે. હાટકેશ્વર બ્રિજ, શાસ્ત્રી બ્રિજ બાદ વધુ એક બ્રિજ વિવાદમાં આવ્યો છે. હકીકતમાં હવે અમદાવાદ શહેરના સનાથલ સર્કલ પાસે આવેલો ઓવરબ્રિજ વિવાદમાં સપડાયો છે. અમદાવાદનો સૌથી વધુ વાહનોની અવરજવર ધરાવતા એસજી હાઈવે પરના સનાથલ ચોકડી પર આવેલા બ્રીજનું ઉદઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી જોડાયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવેલા બ્રિજમાં મસમોટા ખાડા પડી જતાં ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે.

આપને જણાવી દઈએ કે સનાથલ ઓવરબ્રિજના લોકાર્પણના 3 મહિનામાં જ બ્રિજમાં ખાડા પડી ગયા છે. રૂપિયા 97 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા સનાથલ ઓવરબ્રિજ પર ત્રણ મહિનામાં જ મોટા માટા ખાડા પડી ગયા છે.સનાથલ બ્રિજથી રિંગરોડ તરફના રસ્તા પર દરરોજના હજારો વાહનો પસાર થાય છે. ત્યારે બ્રિજ પર ઠેર ઠેર ખાડાઓના સામ્રાજ્ય વચ્ચે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. હજુ તો હાટકેશ્વર બ્રિજનો વિવાદ સમ્યો નથી ત્યાં વધુ એક બ્રીજમાં ભ્રષ્ટાચારની પોલ ખોલી દેતાં એએમસીની ટીમ કામે લાગી ગઈ છે. બ્રિજનું સમારકામ શરૂ કરીને એએમસીને ટીમ ઢાંકપિછોડો કરી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...

ગુજરાતના નવા મંત્રીઓની યાદી આવી સામે, 26 ધારાસભ્યોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન, જુઓ આ રહી યાદી ?

ગાંધીનગર : આજે ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારની નવી કેબિનેટનું ગઠન થઇ ગયું છે. જુના મંત્રીઓમાંથી મોટા ભાગના લોકોને પડતા મૂકી અને હવે નવા ચહેરાઓને...