Saturday, November 29, 2025

અમદાવાદનો વધુ એક બ્રિજ વિવાદમાં, ઉદ્ઘાટનના માત્ર 3 મહિનામાં ભ્રષ્ટાચારના ખાડા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના એક પછી એક બ્રિજ વિવાદમાં આવી રહ્યા છે. હાટકેશ્વર બ્રિજ, શાસ્ત્રી બ્રિજ બાદ વધુ એક બ્રિજ વિવાદમાં આવ્યો છે. હકીકતમાં હવે અમદાવાદ શહેરના સનાથલ સર્કલ પાસે આવેલો ઓવરબ્રિજ વિવાદમાં સપડાયો છે. અમદાવાદનો સૌથી વધુ વાહનોની અવરજવર ધરાવતા એસજી હાઈવે પરના સનાથલ ચોકડી પર આવેલા બ્રીજનું ઉદઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી જોડાયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવેલા બ્રિજમાં મસમોટા ખાડા પડી જતાં ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે.

આપને જણાવી દઈએ કે સનાથલ ઓવરબ્રિજના લોકાર્પણના 3 મહિનામાં જ બ્રિજમાં ખાડા પડી ગયા છે. રૂપિયા 97 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા સનાથલ ઓવરબ્રિજ પર ત્રણ મહિનામાં જ મોટા માટા ખાડા પડી ગયા છે.સનાથલ બ્રિજથી રિંગરોડ તરફના રસ્તા પર દરરોજના હજારો વાહનો પસાર થાય છે. ત્યારે બ્રિજ પર ઠેર ઠેર ખાડાઓના સામ્રાજ્ય વચ્ચે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. હજુ તો હાટકેશ્વર બ્રિજનો વિવાદ સમ્યો નથી ત્યાં વધુ એક બ્રીજમાં ભ્રષ્ટાચારની પોલ ખોલી દેતાં એએમસીની ટીમ કામે લાગી ગઈ છે. બ્રિજનું સમારકામ શરૂ કરીને એએમસીને ટીમ ઢાંકપિછોડો કરી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...