Wednesday, March 4, 2026

‘હું મોદીનો ફેન છું…’ ન્યૂયોર્કમાં PM મોદી સાથે મુલાકાત બાદ આ અમેરીકન ઉધોગપતિએ કર્યા ભરપેટ વખાણ

spot_img
Share

ન્યૂૂયોર્ક : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર દિવસીય અમેરિકાના પ્રવાસે છે. મંગળવારે ન્યૂયોર્ક પહોંચેલા પીએમ મોદી આગામી કેટલાક દિવસો દરમિયાન અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. જેમાં સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર આયોજિત કાર્યક્રમનો સમાવેશ થાય છે. આ દરમિયાન ટ્વિટરના CEO ઈલોન મસ્ક પીએમ મોદીને મળ્યા હતા. એલન મસ્કે લોટે ન્યૂયોર્ક પેલેસ હોટેલમાં PM મોદીને મળ્યા બાદ ભારત આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ આવતા વર્ષે ભારતની મુલાકાત લેશે.

પોતાને મોદીના પ્રશંસક ગણાવતા એલોન મસ્કે કહ્યું કે, હું ભારતના ભવિષ્યને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. મને લાગે છે કે વિશ્વના કોઈપણ દેશ કરતાં ભારતમાં વધુ સંભાવનાઓ છે. હું કહી શકું છું કે PM મોદી ભારત માટે યોગ્ય વસ્તુઓ કરવા માંગે છે. નવી કંપનીઓ અંગે તેમનો અભિગમ ખૂબ જ ઉદાર છે. તે પોતાના દેશમાં નવી કંપનીઓને ખુલ્લા હાથે આવકારવા માંગે છે. હું મોદીનો ચાહક છું. મસ્કે PM મોદી સાથે મુલાકાત વિશે વાત કરતા જણાવ્યું કે, આ વાતચીત ખૂબ જ સારી રહી. ખૂબ સારી વાતચીત હતી. હું આગલા વર્ષે ભારત આવવાની યોજના બનાવી રહ્યો છું.

PM મોદી સાથેની મુલાકાત વિશે પૂછવા પર મસ્કે કહ્યું કે, મોદી તેમના દેશની ખૂબ ચિંતા કરે છે. એટલા માટે તેઓ ભારતમાં રોકાણ કરવા માટે ખૂબ જ સક્રિય છે. અમે પણ ભારતમાં રોકાણની તકો શોધી રહ્યા છીએ. અમે ફક્ત યોગ્ય સમય શોધી રહ્યા છીએ. મસ્કે કહ્યું કે, તે ભારતમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવા સ્ટારલિંક લાવવા માંગે છે. આનાથી ગ્રામીણ વિસ્તારોમાં એવા લોકોને મદદ મળશે જેમની પાસે ઈન્ટરનેટ નથી.

ઈલોન મસ્કે PM મોદીના વખાણ કરતા કહ્યું કે, હું ભારતના ભવિષ્યને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. PM મોદી તેમના દેશ માટે ખૂબ પ્રેમ અને કાળજી રાખે છે. એટલા માટે તેઓ અમને ભારતમાં રોકાણ કરવા પ્રેરણા આપે છે.

PM મોદી ઉપરાંત ન્યૂયોર્કમાં એલન મસ્ક અને અન્ય ઘણા રોકાણકારો, પ્રોફેસરો અને વૈજ્ઞાનિકોને મળ્યા હતા. PMને મળ્યા બાદ નિબંધકાર અને આંકડાશાસ્ત્રી પ્રોફેસર નસીમ નિકોલસ તાલેબે કહ્યું કે અમારી મુલાકાત શાનદાર રહી. મેં ભારતની કોરોના માટેની તૈયારીઓ માટે પ્રશંસા કરી છે. ખાસ કરીને ભારતે જે કાર્યક્ષમતા સાથે કોરોનાનો સામનો કર્યો છે તે પ્રશંસનીય છે.

જણાવી દઈએ કે PM મોદી ભારતીય સમય અનુસાર ગઈકાલે એટલે કે મંગળવારે રાત્રે અમેરિકા પહોંચ્યા હતા. PM મોદીનું અમેરિકા પહોંચતા જ એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. PM મોદીના સ્વાગત માટે ન્યૂયોર્ક એરપોર્ટ પર મોટી સંખ્યામાં ભારતીય અમેરિકનો એકઠા થયા હતા. આ પછી PM મોદીની અમેરિકાની મોટી હસ્તીઓ સાથે મુલાકાતનો તબક્કો શરૂ થયો છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...