Wednesday, September 17, 2025

જામનગરમાં હાઉસીંગ બોર્ડની કોલોનીનો એક બ્લોક ધરાશાયી થતા 3નાં મોત, અમદાવાદના હાઉસીંગના રહીશોના જીવ તાળવે ચોટ્યા

Share

Share

અમદાવાદ : જામનગરમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જામનગરમાં 25 વર્ષ જૂની હાઉસીંગની સાધના સોસાયટીનો ત્રણ માળનો એક બ્લોક પડી જવાની ઘટનામાં દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આ ઘટનામાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થતા નીચે દટાયેલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સાંજે મળેલા તાજા સમાચાર અનુસાર આ ઘટનામાં 3 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સિવાય પણ પાંચ લોકો સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ જામનગરમાં હાઉસિંગ બોર્ડની એવી સાધના કોલોનીમાં મકાન બ્લોક M-69 તૂટી પડ્યો હતો. આ બ્લોકમાં આશરે 6 ફ્લેટ હતા. મોટા ભાગના ફ્લેટમાં લોકો રહેતા હતા. આશરે 25 વર્ષ જૂનો આ બ્લોક ધરાશાયી થતા 3 લોકોનાં મોત થયા છે. જ્યારે પાંચ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ ઘટના સ્થળેથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હજુ પણ મોતનો આંક વધી શકે છે. બિલ્ડિંગ ધરાશાયી થતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.

જામનગરની દુર્ઘટનાને લઈને અમદાવાદના હાઉસીંગ વિસ્તારોમાં ચકચાર મચી જવા પામી છે, અમદાવાદમાં પણ 25 વર્ષ કરતા જૂની અનેક જર્જરિત હાઉસીંગ સોસાયટીઓ આવેલ છે જેમાં લાખો રહીશો જીવના જોખમે રહે છે. જામનગરની ઘટનાને લઈને અમદાવાદમાં પણ સોલા, નારણપુરા અને નવા વાડજના રહીશોમાં ડરનો માહોલ છે. એક હાઉસીંગ આગેવાનના જણાવ્યા મુજબ રહીશોના જીવ તાળવે ચોટ્યા છે. આ અગાઉ નારણપુરામાં પણ આ જ પ્રકારે પાણીના ટાંકી પડતા બે લોકોના મોત નિપજ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...