Tuesday, January 13, 2026

જામનગરમાં હાઉસીંગ બોર્ડની કોલોનીનો એક બ્લોક ધરાશાયી થતા 3નાં મોત, અમદાવાદના હાઉસીંગના રહીશોના જીવ તાળવે ચોટ્યા

spot_img
Share

અમદાવાદ : જામનગરમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જામનગરમાં 25 વર્ષ જૂની હાઉસીંગની સાધના સોસાયટીનો ત્રણ માળનો એક બ્લોક પડી જવાની ઘટનામાં દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આ ઘટનામાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થતા નીચે દટાયેલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સાંજે મળેલા તાજા સમાચાર અનુસાર આ ઘટનામાં 3 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સિવાય પણ પાંચ લોકો સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ જામનગરમાં હાઉસિંગ બોર્ડની એવી સાધના કોલોનીમાં મકાન બ્લોક M-69 તૂટી પડ્યો હતો. આ બ્લોકમાં આશરે 6 ફ્લેટ હતા. મોટા ભાગના ફ્લેટમાં લોકો રહેતા હતા. આશરે 25 વર્ષ જૂનો આ બ્લોક ધરાશાયી થતા 3 લોકોનાં મોત થયા છે. જ્યારે પાંચ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ ઘટના સ્થળેથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હજુ પણ મોતનો આંક વધી શકે છે. બિલ્ડિંગ ધરાશાયી થતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.

જામનગરની દુર્ઘટનાને લઈને અમદાવાદના હાઉસીંગ વિસ્તારોમાં ચકચાર મચી જવા પામી છે, અમદાવાદમાં પણ 25 વર્ષ કરતા જૂની અનેક જર્જરિત હાઉસીંગ સોસાયટીઓ આવેલ છે જેમાં લાખો રહીશો જીવના જોખમે રહે છે. જામનગરની ઘટનાને લઈને અમદાવાદમાં પણ સોલા, નારણપુરા અને નવા વાડજના રહીશોમાં ડરનો માહોલ છે. એક હાઉસીંગ આગેવાનના જણાવ્યા મુજબ રહીશોના જીવ તાળવે ચોટ્યા છે. આ અગાઉ નારણપુરામાં પણ આ જ પ્રકારે પાણીના ટાંકી પડતા બે લોકોના મોત નિપજ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....