Monday, January 26, 2026

જામનગરમાં હાઉસીંગ બોર્ડની કોલોનીનો એક બ્લોક ધરાશાયી થતા 3નાં મોત, અમદાવાદના હાઉસીંગના રહીશોના જીવ તાળવે ચોટ્યા

spot_img
Share

અમદાવાદ : જામનગરમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જામનગરમાં 25 વર્ષ જૂની હાઉસીંગની સાધના સોસાયટીનો ત્રણ માળનો એક બ્લોક પડી જવાની ઘટનામાં દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આ ઘટનામાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થતા નીચે દટાયેલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સાંજે મળેલા તાજા સમાચાર અનુસાર આ ઘટનામાં 3 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સિવાય પણ પાંચ લોકો સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ જામનગરમાં હાઉસિંગ બોર્ડની એવી સાધના કોલોનીમાં મકાન બ્લોક M-69 તૂટી પડ્યો હતો. આ બ્લોકમાં આશરે 6 ફ્લેટ હતા. મોટા ભાગના ફ્લેટમાં લોકો રહેતા હતા. આશરે 25 વર્ષ જૂનો આ બ્લોક ધરાશાયી થતા 3 લોકોનાં મોત થયા છે. જ્યારે પાંચ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ ઘટના સ્થળેથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હજુ પણ મોતનો આંક વધી શકે છે. બિલ્ડિંગ ધરાશાયી થતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.

જામનગરની દુર્ઘટનાને લઈને અમદાવાદના હાઉસીંગ વિસ્તારોમાં ચકચાર મચી જવા પામી છે, અમદાવાદમાં પણ 25 વર્ષ કરતા જૂની અનેક જર્જરિત હાઉસીંગ સોસાયટીઓ આવેલ છે જેમાં લાખો રહીશો જીવના જોખમે રહે છે. જામનગરની ઘટનાને લઈને અમદાવાદમાં પણ સોલા, નારણપુરા અને નવા વાડજના રહીશોમાં ડરનો માહોલ છે. એક હાઉસીંગ આગેવાનના જણાવ્યા મુજબ રહીશોના જીવ તાળવે ચોટ્યા છે. આ અગાઉ નારણપુરામાં પણ આ જ પ્રકારે પાણીના ટાંકી પડતા બે લોકોના મોત નિપજ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...