Tuesday, January 20, 2026

અમદાવાદમાં AMCએ પેઇન્ટિંગમાં ગાંધીજીના 3 વાનર સાથે ચોથો વાનર ઉમેરતા સર્જાયો વિવાદ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં AMC દ્રારા મકરબા અંડરપાસમાં પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે. આ પેઈન્ટિંગમાં ગાંધીજીના 3 પ્રતિકાત્મક વાંદરાને બદલે 4 વાંદરાની પેઇન્ટિંગ કરાતા વિવાદ સર્જાયો છે.AMC દ્વારા શહેરના બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરાઇ છે. વિવિધ બ્રિજ પર પેઇન્ટિંગ દોરવામાં આવી રહ્યું છે. ત્યારે મકરબા અંડરપાસ પર બનાવેલી 4 વાનરની પેઇન્ટિંગને લઇ વિવાદ જેવી સ્થિતિ સર્જાઇ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના મકરબા અંડરપાસ પર ગાંધીજીના 3 વાનર સાથે AMCએ ચોથો વાનર ઉમેરી દીધો છે. જેમાં તે મોબાઇલ હાથમાં લઇને બેઠો નજરે પડે છે. હવે અસમંજસની વાત એ છે કે આ વાનર શું સંદેશ આપી રહ્યો છે. મોબાઇલ લેવો જોઇએ કે ન લેવો જોઇએ ? અન્ય 3 વાનરની વાર્તા પ્રમાણે તેનો સંદેશો સ્પષ્ટ છે. પરંતુ આ નવા ચોથા વાનરની પેઇન્ટિંગ મારફતે શું કહેવા માગે છે, તે સ્પષ્ટ નથી થતું.

ગાંધીજી સત્ય અને અહિંસાના પુજારી હતા અને તેઓ પોતાના સિદ્ધાંતો માટે જાણીતા હતા ત્યારે ગાંધીજીના 3 વાંદરા આજે પણ ગાંધીજીની પ્રેરક કથા વર્ણવે છે પરંતુ AMC દ્રારા આ ત્રણ પ્રતિકૃત્તિ સાથે ચોથો વાંદરો ઉમેરી દેવામાં આવતાં વિવાદ સર્જાયો છે. સાંકેતિક રીતે આ વાંદરો મોબાઈલ જોતો હોય તેવું પેઈન્ટિંગ દોરવામાં આવ્યું છે.

જો કે સોશિયલ મીડિયા પર આ ચોથા વાનરને લઈને લોકો સંદેશ આપતા પણ જોવા મળે છે. જેમા એક વ્યક્તિ સંદેશ આપી રહ્યા છે કે આ ચોથો વાનર છે એ આપણે સહુ છીએ. જે પોતાનો મોટાભાગનો કિમતી સમય ઈન્સ્ટાગ્રામ અને એફબીની રિલ્સ જોવામાં વેડફી રહ્યા છે. જો કે લોકો તો પોતપોતાની રીતે અર્થઘટન કરી રહ્યા છે પરંતુ મનપા શું સંદેશ આપવા માગે છે તે સ્પષ્ટ થતુ નથી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...