Wednesday, January 21, 2026

નોકરી ન મળતા એન્જિનિયર યુવક બન્યો વાહન ચોર, બે મહિનામાં 17 વાહનોની કરી ચોરી

spot_img
Share

અમદાવાદ: અમદાવાદમાં શોર્ટકટમાં પૈસા કમાવવા એન્જીનિયર યુવકે અભ્યાસ બાદ બેકાર બનતા યુવકે મોજશોખ માટે વાહન ચોરી કરવાનું શરૂ કર્યું હતું. બે મહિનામાં એક બે નહીં પણ 17 વાહનોની કરી ચોરી કરી હતી. નારણપુરા પોલીસે CCTV ફુટેજના આધારે વાહન ચોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પૂછપરછમાં નારણપુરા, ઘાટલોડિયા, નવરંગપુરા, વસ્ત્રાપુર, ગુજરાત યુનિવર્સિટી અને સેટેલાઇટમાં 15 એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલાયો છે. જ્યારે વલસાડમાંથી 2 એક્ટિવા ચોરીને તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ પોલીસ ગિરફતમાં રહેલ આરોપી વાહન ચોર ઉમંગ વાછાણી મૂળ વલસાડનો રહેવાસી અને શહેરના મેમનગરમાં મકાન ભાડે રાખીને રહેતો હતો. એક વર્ષ પહેલાં એન્જિનિયરીંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. અને આરોપી અભ્યાસ બાદ બેકાર હતો, જેથી મોજશોખ માટે વાહનની ચોરી કરવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં આરોપીએ એક્ટિવા ચાલક ચાવી વાહનમાં ભૂલી જતા તેને મજાક મજાકમાં વાહનની ચોરી કરી અને અમદાવાદ શહેરમાં ફર્યો હતો. પેટ્રોલ પતી જતા વાહન બિનવારસી મૂકી દીધું હતું. આમ તેને વાહન ચોરી કરવામાં મજા આવવા લાગી હતી. જેથી નોકરી છોડીને 2 મહિનામાં આરોપીએ 17 વાહનની ચોરી કર્યા હતા.

આરોપી ઉમંગે નારણપુરા વિસ્તારમાં જુદા-જુદા સ્થળે એક્ટિવા ચોરી કરી હતી. એક્ટિવા ચોરીનું પ્રમાણ વધતા પોલીસે CCTV ફૂટેજ અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસીસની મદદથી આરોપી ઉમંગ વાછાણી સુધી પહોંચી હતી. અને તેની પૂછપરછમાં નારણપુરા, ઘાટલોડિયા, નવરંગપુરા, વસ્ત્રાપુર, ગુજરાત યુનિવર્સિટી અને સેટેલાઇટમાં 15 એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલાયો છે. જ્યારે વલસાડમાંથી 2 એક્ટિવા ચોરીને તપાસ શરૂ કરાઇ છે.

નારણપુરા પોલીસે વાહન ચોરી કેસમાં આરોપીની ધરપકડ કરીને ચોરીના વાહન જપ્ત કર્યા છે. નારણપુરા પોલીસે વાહન ચોરને વાડજ પોલીસને સોંપતા પોલીસે રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...