Wednesday, January 14, 2026

માત્ર 5 વર્ષના આ બાળકની ગજબ છે યાદશક્તિ, કંઠસ્થ છે અઘરા અનેક મંત્રો

spot_img
Share

અમદાવાદ : બાળક એ જીવંત ફૂલ છે. અને તેનું યોગ્ય જતન થાય તો તેની સુવાસ સમગ્ર સમાજને સુગંધિત કરે છે.અદભુત યાદશક્તિને ધરાવતું એક હોનહાર બાળક નવા વાડજમાં આવેલ મહાત્માપાર્ક ફ્લેટના રહેવાસી ચિ.પાર્શ્વ જતીન શાહ પોતાના વિશિષ્ઠ હુનરથી આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં નામના મેળવે તો નવાઈ નહિ !

માત્ર 5 વર્ષની ઉંમરે પાર્શ્વ શાહ વિવિધ શ્લોક, મંત્ર જેવા કે હનુમાન ચાલીસા, ગાયત્રી મંત્ર, વિવિધ દેવી-દેવતાઓની આરતી એક વાર સાંભળ્યા બાદ યાદ રહી જાય છે. યાદ કર્યા બાદ તે તેની ભાષામાં બોલી પણ શકે છે.આ ઉપરાંત ગુજરાતના દરેક શહેરના વાહનોને ફાળવેલ નંબર પ્લેટ સીરીઝ કંઠસ્થ રાખી કડકડાટ બોલે છે. જેને લઈને માતા ઉર્વીબેનનું કહેવું છે કે અદભુત યાદશક્તિને કારણે તેણે અમારું માન વધારી દીધું છે.

સાથે સાથે સ્કેટિંગ રમત ક્ષેત્રે પાર્શ્વએ એકલવ્ય સ્પોર્ટ્સ એકેડમી દ્વારા આયોજિત ‘TWO HOURS NON STOP SKETTING’ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાં બ્રેક પાડ્યા વગર સ્કેટિંગ કરવાની ક્ષમતામાં સિદ્ધિ મેળવેલ છે.તદુપરાંત UFL આયોજિત ફેશન શો સ્પર્ધામાં પાર્શ્વએ ઉત્તમ પરફોર્મન્સ આપી મુંબઈ જવાની તૈયારી કરી રહ્યો છે. યુરો કીડ્સ સ્કૂલમાં શીખવવામાં આવતા વિવિધ આસનોની તેને ઊંડી સમજ છે અને જૈન હોવા છતાં મોટા ભાગના દરેક ઈશ્વરની આરાધના માટે થતા પાઠને પાર્શ્વ સહજતાથી પઠન કરી અથવા ગાઈને સંભળાવે છે.

આજના સમયમાં ભણતરની સાથે સાથે બાળકને ઈતર પ્રવૃત્તિઓ થકી પણ પોતાની કારકિર્દી બનાવવાની ઉત્તમ તક મળે છે. ત્યારે માતા ઉર્વિબેન અને પિતા જતીનભાઇ પોતાના પાલ્યના ઉછેરની જાગૃતિ અને પોતાના વ્યસ્ત જીવનમાંથી અપાયેલ સમયના આશીર્વાદ થકી બાળકને તળેટીમાંથી સફળતાની ટોચ પર લઇ જવાની ટેક લીધી છે. પાર્શ્વનું બાળપણ આ સંસ્કારનું ઉત્તમ ઉદાહરણ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...