Tuesday, March 17, 2026

ન્યુ રાણીપનો ચેતવણીરૂપ કિસ્સો, વિધિ કરવાના બહાને કિન્નર કપડાં અને રોકડ લઈને ફરાર

spot_img
Share

અમદાવાદ : શહેરના ન્યૂ રાણીપમાં એક મકાનમાં કિન્નરે બહુચર માતાજીનો ફોટો જોઈને તમે માતાજીના ભગત છો એટલે મને ભગવાને મોકલી છે. તેમ કહી દુ:ખ દુર કરવાની વિધી કરવાની વાત કરી કિન્નર એક જોડી કપડા અને રૂ.22 હજાર વિધીના નામે મૂકાવી તેને લઈને ફરાર થયો હતો. આ મામલે પરિવારે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

શહેરના ન્યૂ રાણીપ વિસ્તારમાં રહેતા પ્રગ્નેશભાઇએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે કે, 5મી જુલાઇના દિવસે તેઓ ઘરે હાજર હતાં. તે દરમિયાન સવારના 11 વાગ્યાની આસપાસ 40 થી 45 વર્ષની ઉંમરના માસીબા ઘરે આવ્યા હતાં. અને છેલ્લા કેટલાક સમયથી તેમના ઘરની દિવાલ પર બહુચરમાતાનો ફોટો લગાવેલ હતો. જે જોઇને કહેવા લાગેલ કે તમે બહુચરાજી માતાના ભગત છો અને ભક્તીમય વિચારો ધરાવો છો એટલે હું તમારા ઘરે આવેલ છું, મને માતાજીએ તમારા ઘરે મોકલી છે, મારે તમારા ઘરે વિધિ કરવી છે. જેનાથી તમારી બધી જ તકલીફો દૂર થઇ જશે.

આમ ફરિયાદીને વિશ્વાસમાં લઇ તેમની પત્ની અને પુત્ર એમ ત્રણેયને સામે બેસાડીને વિધિ કરવાનું શરૂ કર્યું હતું. ત્રણેય સભ્યોને વિધિના બહાને એક જોડી કપડા અને રોકડ રૂપિયા 22 હજાર જે કપડામાં મુકાવીને કપડા ઉપર દોરો બંધાવીને પોટલું બનાવ્યું હતું. અને ફરિયાદીના દીકરાને ઝાપા સુધી લઇ જઇ તેના હાથમાંથી પોટલું લઇ તેને ઘરે જતાં રહેવા માટે કહ્યું હતું.

જો કે પાછળ વળીને જોતો નહીં તેમ કહીને આરોપી આ પોટલું લઇને ફરાર થઇ ગયો હતો. થોડા સમય બાદ ફરિયાદીને તેની સાથે છેતરપિંડી થઇ હોવાની જાણ થતાં તેમણે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. હાલમાં પોલીસએ આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...