Wednesday, March 11, 2026

અમદાવાદીઓ આનંદો, AMTS તંત્ર દ્વારા ત્રણ રૂટ ફરી શરૂ કરાયા, જુઓ કયા કયા અને જાણી લો શિડ્યુઅલ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદીઓ માટે આનંદના સમાચાર આવી રહ્યા છે, અમદાવાદીઓની જીવાદોરી સમાન AMTS એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા શહેરના છેવાડે આવેલા ચાંદખેડા, વટવા અને ઘોડાસર વિસ્તારમાં લોકોની અવરજવર માટેના રૂટ ફરી શરૂ કરવામાં આવ્યા છે. AMTS દ્વારા શરૂ કરાયેલા રૂટ નંબર 18, 42 અને 84/1 અગાઉ શરૂ હતા, જે કોઈ કારણોસર બંધ કરી દેવામાં આવ્યા હતા. જેને હવે ફરીથી શરૂ કરવામાં આવ્યા છે.

ગઈ કાલે સવારના ૧૦.૦૦ વાગ્યે શાહપુરના શંકર ભુવન ખાતે રૂટ નં. ૮૪/૧નું લોકાર્પણ કરાયું હતું. આ રૂટ લાલ દરવાજા ટર્મિનસથી ચાંદખેડાના રાજીવનગર સુધીનો છે, જે વાયા ખાનપુર, શાહપુર દરવાજા, લાલાકાકા મ્યુનિ. હોલ, જ્યૂપિટર મિલ કંપાઉન્ડ, દરિયાખાન ઘુમ્મટ ક્વાર્ટર્સ, શાહીબાગ અંડરબ્રિજ, સુભાષબ્રિજ સર્કલ, કેશવનગર ટાંકી, ધર્મનગર, ચિંતામણિ સોસાયટી, અચેર ડેપો, પાર્શ્વનાથનગર, ચાંદખેડા ગામ, ઉત્સવ કોર્નર અને કેશવ એપાર્ટમેન્ટ થઈને દોડશે. રૂટ નં. ૮૪/૧માં બે બસ મુકાઈ છે, જેની કુલ ૨૪ ટ્રીપ છે.

જ્યારે સવારના ૧૧.૦૦ વાગ્યે ઘોડાસર ગામ ખાતે રૂટ નં. ૪૨નું ઉદ્ઘાટન કરાયું હતું, જે નિગમ સોસાયટીથી શીલજ ગામ વચ્ચે દોડશે. આ રૂટ વચ્ચે ઘોડાસર ગામ, દક્ષિણી સોસાયટી, મણિનગર, પુષ્પકુંજ, આબાદ ડેરી, રાયપુર દરવાજા, લાલ દરવાજા, ગુજરાત કોલેજ, સી.એન. વિદ્યાલય, પોલિટેકનિક, આઝાદ સોસાયટી, માનસી કોમ્પ્લેક્સ, જજીસ બંગલો, સિંધુ ભવન, આંબલી ક્રોસ રોડ અને શીલજ સર્કલ વચ્ચે થઈને દોડશે. તંત્ર દ્વારા આ રૂટ પર ચાર બસ મુકાઈ હોઈ તેની કુલ ૩૨ ટ્રીપ થશે.

આ બંને બસરૂટ ઉપરાંત ગઈ કાલે સવારના ૧૧.૧૫ વાગ્યે સેક્ટર-૮ના શા‌લિગ્રામ ખાતેથી પેસેન્જર્સ માટે વધુ એક નોન-ઓપરેટિવ રૂટ નં. ૧૮ને સંચાલનમાં મુકાયો હતો. નિગમ સોસાયટીથી ઉજાલા સર્કલ (સરખેજ રેલવે ઓવરબ્રિજ) સુધી દોડનારી આ બસ વાયા સુરતી મંદિર, શાલિગ્રામ (સેક્ટર-૮), વટવા-ઈસનપુર ક્રોસ રોડ, નારોલ સર્કલ, ગ્યાસપુર એપ્રોચ, શાસ્ત્રીબ્રિજ એપ્રોચ, વિશાલા સર્કલ, જુહાપુરા અને સરખેજ બસસ્ટેન્ડ વચ્ચે થઈને દોડશે.

AMTS દ્વારા ગત તા. ૧ જુલાઈથી ભાડામાં વધારો કરાયો હતો. આ ભાડાવધારાના કારણે ધારણા મુજબ પેસેન્જર્સમાં ઘટાડો થયો છે, જોકે ઘટાડો થવા છતાં પણ તંત્રની આવક વધી છે. ભાડાવધારાના પગલે અનેક પેસેન્જર્સે AMTSની સુવિધામાં વધારો કરવાની માગણી કરી હતી. પેસેન્જર્સની આ માગણીને સાનુકૂળ પ્રતિસાદ આપતાં સત્તાધીશોએ લાંબા સમયથી બંધ પડેલા ત્રણ બસરૂટને ફરી શરૂ કર્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...