Sunday, January 18, 2026

અમદાવાદીઓ આનંદો, AMTS તંત્ર દ્વારા ત્રણ રૂટ ફરી શરૂ કરાયા, જુઓ કયા કયા અને જાણી લો શિડ્યુઅલ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદીઓ માટે આનંદના સમાચાર આવી રહ્યા છે, અમદાવાદીઓની જીવાદોરી સમાન AMTS એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા શહેરના છેવાડે આવેલા ચાંદખેડા, વટવા અને ઘોડાસર વિસ્તારમાં લોકોની અવરજવર માટેના રૂટ ફરી શરૂ કરવામાં આવ્યા છે. AMTS દ્વારા શરૂ કરાયેલા રૂટ નંબર 18, 42 અને 84/1 અગાઉ શરૂ હતા, જે કોઈ કારણોસર બંધ કરી દેવામાં આવ્યા હતા. જેને હવે ફરીથી શરૂ કરવામાં આવ્યા છે.

ગઈ કાલે સવારના ૧૦.૦૦ વાગ્યે શાહપુરના શંકર ભુવન ખાતે રૂટ નં. ૮૪/૧નું લોકાર્પણ કરાયું હતું. આ રૂટ લાલ દરવાજા ટર્મિનસથી ચાંદખેડાના રાજીવનગર સુધીનો છે, જે વાયા ખાનપુર, શાહપુર દરવાજા, લાલાકાકા મ્યુનિ. હોલ, જ્યૂપિટર મિલ કંપાઉન્ડ, દરિયાખાન ઘુમ્મટ ક્વાર્ટર્સ, શાહીબાગ અંડરબ્રિજ, સુભાષબ્રિજ સર્કલ, કેશવનગર ટાંકી, ધર્મનગર, ચિંતામણિ સોસાયટી, અચેર ડેપો, પાર્શ્વનાથનગર, ચાંદખેડા ગામ, ઉત્સવ કોર્નર અને કેશવ એપાર્ટમેન્ટ થઈને દોડશે. રૂટ નં. ૮૪/૧માં બે બસ મુકાઈ છે, જેની કુલ ૨૪ ટ્રીપ છે.

જ્યારે સવારના ૧૧.૦૦ વાગ્યે ઘોડાસર ગામ ખાતે રૂટ નં. ૪૨નું ઉદ્ઘાટન કરાયું હતું, જે નિગમ સોસાયટીથી શીલજ ગામ વચ્ચે દોડશે. આ રૂટ વચ્ચે ઘોડાસર ગામ, દક્ષિણી સોસાયટી, મણિનગર, પુષ્પકુંજ, આબાદ ડેરી, રાયપુર દરવાજા, લાલ દરવાજા, ગુજરાત કોલેજ, સી.એન. વિદ્યાલય, પોલિટેકનિક, આઝાદ સોસાયટી, માનસી કોમ્પ્લેક્સ, જજીસ બંગલો, સિંધુ ભવન, આંબલી ક્રોસ રોડ અને શીલજ સર્કલ વચ્ચે થઈને દોડશે. તંત્ર દ્વારા આ રૂટ પર ચાર બસ મુકાઈ હોઈ તેની કુલ ૩૨ ટ્રીપ થશે.

આ બંને બસરૂટ ઉપરાંત ગઈ કાલે સવારના ૧૧.૧૫ વાગ્યે સેક્ટર-૮ના શા‌લિગ્રામ ખાતેથી પેસેન્જર્સ માટે વધુ એક નોન-ઓપરેટિવ રૂટ નં. ૧૮ને સંચાલનમાં મુકાયો હતો. નિગમ સોસાયટીથી ઉજાલા સર્કલ (સરખેજ રેલવે ઓવરબ્રિજ) સુધી દોડનારી આ બસ વાયા સુરતી મંદિર, શાલિગ્રામ (સેક્ટર-૮), વટવા-ઈસનપુર ક્રોસ રોડ, નારોલ સર્કલ, ગ્યાસપુર એપ્રોચ, શાસ્ત્રીબ્રિજ એપ્રોચ, વિશાલા સર્કલ, જુહાપુરા અને સરખેજ બસસ્ટેન્ડ વચ્ચે થઈને દોડશે.

AMTS દ્વારા ગત તા. ૧ જુલાઈથી ભાડામાં વધારો કરાયો હતો. આ ભાડાવધારાના કારણે ધારણા મુજબ પેસેન્જર્સમાં ઘટાડો થયો છે, જોકે ઘટાડો થવા છતાં પણ તંત્રની આવક વધી છે. ભાડાવધારાના પગલે અનેક પેસેન્જર્સે AMTSની સુવિધામાં વધારો કરવાની માગણી કરી હતી. પેસેન્જર્સની આ માગણીને સાનુકૂળ પ્રતિસાદ આપતાં સત્તાધીશોએ લાંબા સમયથી બંધ પડેલા ત્રણ બસરૂટને ફરી શરૂ કર્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...