Tuesday, January 20, 2026

અમદાવાદીઓ માટે સૌથી મોટા સમાચાર : AMC એ ઢોર અંકુશ પોલિસીને આપી મંજૂરી, વાંચી લેજો આ નિયમો

spot_img
Share

અમદાવાદ: રખડતા ઢોર મામલે ગુજરાત હાઈકોર્ટે ઉધડો લીધા બાદ અમદાવાદ કોર્પોરેશન ઘોર નિંદ્રામાંથી જાગ્યું છે. રખડતાં ઢોર મામલે AMC નવી પોલિસી અમલમાં લાવી છે. નવી પોલિસીમાં કડક કાયદાઓ અંગે જોગવાઈ કરવામાં આવી છે.

ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં AMC દ્વારા ઢોર અંકુશ પોલીસીને મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારે અગાઉ આ પોલિસીને મંજૂર કરાઈ ન હતી. આજે સુધારા વધારા સાથે ઢોર અંકુશ પોલિસીને મંજૂરી આપી દેવામાં આવી છે.

રખડતા ઢોરની નવી પોલિસી જાહેર

શહેરમાં રખડતા ઢોર પર નિયત્રંણ માટે બનેલી નવી પોલિસીને મંજૂરી આપવામાં આવી
હાઇકોર્ટના આદેશ બાદ AMC એ બનાવી નવી પોલિસી
ઢોર ત્રાસ નિયત્રંણ માટે નવી પોલિસી
ઢોર રાખનાર વ્યક્તિ કે સંસ્થાઓએ ફરજીયાત લાયસન્સ અને પરમીટ લેવાની રહેશે
વ્યવસાયીક હેતુ માટે ઉપયોગ થતા પશુઓ માટે લાયસન્સ લેવું ફરજીયાત બનશે
વ્યક્તિગત ઘરે રાખતા ઢોર માટે પરમીટ લેવાની રહેશે
એએસમી પાસેથી લેવા પડશે પરમીટ અને લાયસન્સ
લાયસન્સ અને પરમીટ માટે મુકાયો ચાર્જ, ત્રણ વર્ષ માટે રહેશે મુદત
લાયસન્સમાં અને પરમીટમાં દર્શાવ્યા સંખ્યામાંથી વધુ ઢોર હશે તો દંડનીય કાર્યવાહી થશે
ત્રણ વર્ષ માટેની લાયસન્સ ફી રૂપિયા 500 તથા પરમીટ રકમ માટે 250 રૂપિયા ભરવાના રહેશે
દર ત્રણ વર્ષે લાયસન્સ અને પરમીટ રીન્યુઅલ માટે 200 ભરવાના રહેશે
પાંજરાપોળ અને ગોશાળા તેમજ માન્ય સંસ્થાઓ પણ લાયસન્સ અને પરમીટ લેવામા રહેશે , તેઓને ફી માંથી મુકતી મળશે
પોલીસી જાહેર થયાના બે માસમાં જ RFID અને ટેગ લગાવો ફરજીયાત જો નહી લાગે તો પશુ દીઠ 100ચાર્જ
ચાર મહિનામાં ટેગ અથવા RFID નહી તો ઢોર ડબ્બે પુરવામા આવશે અને માલિક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થશે
ઘાસ વેચાણ માટે પણ ફરજીયાત લાયસન્સ
ઢોર દિઠ રૂપિયા 200 નું રજીસ્ટ્રશન કરવું પડશે
પશુ દીઠ RFID અને પશુ માલિક તથા પશુ નોંધણી ફરજીયાત રહેશે
શહેરમાં 96 હોટ સ્પોટ જાહેર કરાયા

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...