Tuesday, November 11, 2025

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, લગ્નની લાલચે સહમતીથી બંધાયેલા શારીરિક સંબંધો દુષ્કર્મ નથી

spot_img
Share

અમદાવાદ : લગ્નની લાલચે દુષ્કર્મની ફરિયાદો પર ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો સામે આવ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે પુખ્તવયના પાત્રો વચ્ચે સહમતિથી શારીરિક સંબંધ બંધાયા હોય તો તેને દુષ્કર્મ માની શકાય નહીં. પુખ્ત વયના હોવાથી કલમ 376 હેઠળ ફરિયાદ નોંધી ન શકાય તેવુ હાઈકોર્ટનું અવલોકન છે. લગ્નનું વચન આપ્યા બાદ લગ્ન ન થાય તો દુષ્કર્મની ફરિયાદ ન નોંધી શકાય તેવું હાઈકોર્ટે જણાવ્યુ છે.

અમદાવાદમાં રહેતા અલગ અલગ રાજ્યના સ્ત્રી-પુરૂષ વચ્ચે સંબંધ બંધાયા બાદ સ્ત્રીએ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આ કેસ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં ગુજરાત હાઈકોર્ટે આજે પોતાનો ચુકાદો આપતા જણાવ્યું હતું કે પુખ્તવયની વ્યક્તિને લગ્નના વચન આપ્યા બાદ શારિરીક સંબંધ બંધાય અને લગ્ન ન થાય તો દુષ્કર્મની ફરિયાદ ન નોંધી શકાય. તમે પુખ્તવયના હોય તો લગ્નની લાલચે સરેન્ડર ન કરી શકો. લગ્ન સહિત લોભામણી લાલચો આપી શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.

આ ઘટનામાં સામે આવ્યું હતું કે, અલગ અલગ રાજ્યના સ્ત્રી-પુરૂષે પ્રથમવાર પ્રેમમાં પડ્યા બાદ શારીરીક સંબંધ બંધાયા હતા, ત્યારબાદ કોઈમહિલાએ ફરિયાદ નોંધાવ્યા સમાધાન થતા ફરિયાદ પરત લીધી હતી. બીજી વખત પ્રેમમાં રહ્યાં બાદ મહિલાએ ફરી લગ્નની લાલચે શારીરિક બાંધ્યાની ફરિયાદ નોંધાવી હતી.

ગુજરાત હાઈકોર્ટની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે દેશની અન્ય હાઈકોર્ટે પણ મરજીથી થતા સેક્સને બળાત્કાર ન ગણવાનો ચૂકાદો આપ્યો છે. એક દિવસ પહેલા ઓડિશા હાઈકોર્ટે બળાત્કારના કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે સહમતિથી શારીરિક સંબંધોને બળાત્કાર કહી શકાય નહીં.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...