Wednesday, June 17, 2026

AMTS બસ દ્વારા શ્રાવણ માસમાં ધાર્મિક પ્રવાસ બસ સેવા, અમદાવાદના 40 જેટલા મંદિરોના દર્શન કરી શકાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં AMTS બસ દ્વારા આ વર્ષે પણ શ્રાવણ માસમાં ધાર્મિક સ્થળોના પ્રવાસ માટે નાગરિકો માટે વિશેષ ધાર્મિક પ્રવાસ બસ સેવા શરૂ કરવામાં આવશે. જોકે આ વર્ષે અધિક માસ અને શ્રાવણ માસ એમ બંને માસમાં શહેરીજનો શહેરના ધાર્મિક સ્થળોની મુલાકત કરી શકે તે માટે વિશેષ ધાર્મિક પ્રવાસ બસ શરૂ કરવામાં આવશે. શહેરીજનો બસ મારફતે અમદાવાદના 40 જેટલા મંદિરોના દર્શન કરી શકશે. તેમ AMTSના અધિકારીઓએ જણાવ્યું છે.

આ મંદિરોમાં જલારામ મંદિર, ઇસ્કોન મંદિર, પરમેશ્વર મહાદેવ (બોડકદેવ), ગુરૂદ્વારા ગોવિંદધામ, હરેકૃષ્ણ મંદિર (ભાડજ), સોલા ભાગવત વિદ્યાપીઠ, તિરુપતિ બાલાજી, વૈષ્ણોદેવી મંદિર, વિશ્વ ઉમિયાધામ (જાસપુર), ત્રિમંદિર, મહાકાળી મંદિર (દૂધેશ્વર), અક્ષર પુરૂષોત્તમ મંદિર, કેમ્પ હનુમાન મંદિર, નીલકંઠ મહાદેવ (અસારવા), ભીડભંજન હનુમાન, ચકુડિયા મહાદેવ, કર્ણમુક્તેશ્વર મહાદેવ, સિદ્ધી વિનાયક મંદિર (મહેમદાવાદ), લાંભા મંદિર, સોમનાથ મહાદેવ, જગન્નાથજી મંદિર, ભદ્રકાળી મંદિર સહિતના વિવિધ મંદિરોનો સમાવેશ થાય છે.

જે માટે લાલ દરવાજા, સારંગપુર, મણિનગર કે વાડજ ટર્મિનસ પરથી બસના પ્રવાસ માટે બુકિંગની સુવિધા મળી શકશે. મ્યુનિ. દ્વારા ધાર્મિક સ્થળના 5 પત્રક તૈયાર કરાયા છે. જે પૈકી કોઇપણ એક પત્રકમાં દર્શાવેલા સ્થળો પર જ દર્શન માટે બસ લઇ જવામાં આવ‌શે. જે માટે સવારે 8.15 થી સાંજે 4.45 સુધીનો સમય રહેશે.

અમદાવાદના એક સ્થળેથી 40 પેસેન્જરો બસનું એડવાન્સ બુકીંગ કરાવી શકશે. AMTS બસ નક્કી કરેલા સ્થળેથી સવારે શ્રદ્ધાળુઓને લઈ જશે અને સાંજે નક્કી કરેલા સ્થળે પરત મૂકી જશે. જેના માટે 40 મુસાફરો માટે 2 હજાર 400 રૂપિયા ફિક્સ ભાડું નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે એક મુસાફરે 60 રૂપિયા ચૂકવવા પડશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...