Wednesday, March 18, 2026

AMTS બસ દ્વારા શ્રાવણ માસમાં ધાર્મિક પ્રવાસ બસ સેવા, અમદાવાદના 40 જેટલા મંદિરોના દર્શન કરી શકાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં AMTS બસ દ્વારા આ વર્ષે પણ શ્રાવણ માસમાં ધાર્મિક સ્થળોના પ્રવાસ માટે નાગરિકો માટે વિશેષ ધાર્મિક પ્રવાસ બસ સેવા શરૂ કરવામાં આવશે. જોકે આ વર્ષે અધિક માસ અને શ્રાવણ માસ એમ બંને માસમાં શહેરીજનો શહેરના ધાર્મિક સ્થળોની મુલાકત કરી શકે તે માટે વિશેષ ધાર્મિક પ્રવાસ બસ શરૂ કરવામાં આવશે. શહેરીજનો બસ મારફતે અમદાવાદના 40 જેટલા મંદિરોના દર્શન કરી શકશે. તેમ AMTSના અધિકારીઓએ જણાવ્યું છે.

આ મંદિરોમાં જલારામ મંદિર, ઇસ્કોન મંદિર, પરમેશ્વર મહાદેવ (બોડકદેવ), ગુરૂદ્વારા ગોવિંદધામ, હરેકૃષ્ણ મંદિર (ભાડજ), સોલા ભાગવત વિદ્યાપીઠ, તિરુપતિ બાલાજી, વૈષ્ણોદેવી મંદિર, વિશ્વ ઉમિયાધામ (જાસપુર), ત્રિમંદિર, મહાકાળી મંદિર (દૂધેશ્વર), અક્ષર પુરૂષોત્તમ મંદિર, કેમ્પ હનુમાન મંદિર, નીલકંઠ મહાદેવ (અસારવા), ભીડભંજન હનુમાન, ચકુડિયા મહાદેવ, કર્ણમુક્તેશ્વર મહાદેવ, સિદ્ધી વિનાયક મંદિર (મહેમદાવાદ), લાંભા મંદિર, સોમનાથ મહાદેવ, જગન્નાથજી મંદિર, ભદ્રકાળી મંદિર સહિતના વિવિધ મંદિરોનો સમાવેશ થાય છે.

જે માટે લાલ દરવાજા, સારંગપુર, મણિનગર કે વાડજ ટર્મિનસ પરથી બસના પ્રવાસ માટે બુકિંગની સુવિધા મળી શકશે. મ્યુનિ. દ્વારા ધાર્મિક સ્થળના 5 પત્રક તૈયાર કરાયા છે. જે પૈકી કોઇપણ એક પત્રકમાં દર્શાવેલા સ્થળો પર જ દર્શન માટે બસ લઇ જવામાં આવ‌શે. જે માટે સવારે 8.15 થી સાંજે 4.45 સુધીનો સમય રહેશે.

અમદાવાદના એક સ્થળેથી 40 પેસેન્જરો બસનું એડવાન્સ બુકીંગ કરાવી શકશે. AMTS બસ નક્કી કરેલા સ્થળેથી સવારે શ્રદ્ધાળુઓને લઈ જશે અને સાંજે નક્કી કરેલા સ્થળે પરત મૂકી જશે. જેના માટે 40 મુસાફરો માટે 2 હજાર 400 રૂપિયા ફિક્સ ભાડું નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે એક મુસાફરે 60 રૂપિયા ચૂકવવા પડશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...