Tuesday, January 20, 2026

AMTS બસ દ્વારા શ્રાવણ માસમાં ધાર્મિક પ્રવાસ બસ સેવા, અમદાવાદના 40 જેટલા મંદિરોના દર્શન કરી શકાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં AMTS બસ દ્વારા આ વર્ષે પણ શ્રાવણ માસમાં ધાર્મિક સ્થળોના પ્રવાસ માટે નાગરિકો માટે વિશેષ ધાર્મિક પ્રવાસ બસ સેવા શરૂ કરવામાં આવશે. જોકે આ વર્ષે અધિક માસ અને શ્રાવણ માસ એમ બંને માસમાં શહેરીજનો શહેરના ધાર્મિક સ્થળોની મુલાકત કરી શકે તે માટે વિશેષ ધાર્મિક પ્રવાસ બસ શરૂ કરવામાં આવશે. શહેરીજનો બસ મારફતે અમદાવાદના 40 જેટલા મંદિરોના દર્શન કરી શકશે. તેમ AMTSના અધિકારીઓએ જણાવ્યું છે.

આ મંદિરોમાં જલારામ મંદિર, ઇસ્કોન મંદિર, પરમેશ્વર મહાદેવ (બોડકદેવ), ગુરૂદ્વારા ગોવિંદધામ, હરેકૃષ્ણ મંદિર (ભાડજ), સોલા ભાગવત વિદ્યાપીઠ, તિરુપતિ બાલાજી, વૈષ્ણોદેવી મંદિર, વિશ્વ ઉમિયાધામ (જાસપુર), ત્રિમંદિર, મહાકાળી મંદિર (દૂધેશ્વર), અક્ષર પુરૂષોત્તમ મંદિર, કેમ્પ હનુમાન મંદિર, નીલકંઠ મહાદેવ (અસારવા), ભીડભંજન હનુમાન, ચકુડિયા મહાદેવ, કર્ણમુક્તેશ્વર મહાદેવ, સિદ્ધી વિનાયક મંદિર (મહેમદાવાદ), લાંભા મંદિર, સોમનાથ મહાદેવ, જગન્નાથજી મંદિર, ભદ્રકાળી મંદિર સહિતના વિવિધ મંદિરોનો સમાવેશ થાય છે.

જે માટે લાલ દરવાજા, સારંગપુર, મણિનગર કે વાડજ ટર્મિનસ પરથી બસના પ્રવાસ માટે બુકિંગની સુવિધા મળી શકશે. મ્યુનિ. દ્વારા ધાર્મિક સ્થળના 5 પત્રક તૈયાર કરાયા છે. જે પૈકી કોઇપણ એક પત્રકમાં દર્શાવેલા સ્થળો પર જ દર્શન માટે બસ લઇ જવામાં આવ‌શે. જે માટે સવારે 8.15 થી સાંજે 4.45 સુધીનો સમય રહેશે.

અમદાવાદના એક સ્થળેથી 40 પેસેન્જરો બસનું એડવાન્સ બુકીંગ કરાવી શકશે. AMTS બસ નક્કી કરેલા સ્થળેથી સવારે શ્રદ્ધાળુઓને લઈ જશે અને સાંજે નક્કી કરેલા સ્થળે પરત મૂકી જશે. જેના માટે 40 મુસાફરો માટે 2 હજાર 400 રૂપિયા ફિક્સ ભાડું નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે એક મુસાફરે 60 રૂપિયા ચૂકવવા પડશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...