Wednesday, January 14, 2026

કેદારનાથમાં મોબાઈલ પર પ્રતિબંધ, ફોટા પાડશો કે વિડીયો ઉતારશો તો થશે કાયદેસરની કાર્યવાહી

spot_img
Share

કેદારનાથ : તાજેતરમાં કેટલાક વિવાદાસ્પદ વીડિયોના કારણે ચર્ચામાં રહેલા કેદારનાથ મંદિરમાં મોબાઈલ ફોન સાથે પ્રવેશ, ફોટોગ્રાફ્સ લેવા અને વીડિયો બનાવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. મંદિરની વ્યવસ્થા માટે જવાબદાર બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ મંદિર પરિસરમાં વિવિધ સ્થળોએ આ અંગેના બોર્ડ લગાવ્યા છે.

શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ મંદિર પરિસરમાં વિવિધ સ્થળોએ આ અંગેના બોર્ડ લગાવ્યા છે. આ બોર્ડમાં કહેવામાં આવ્યું છે કે મોબાઈલ ફોન સાથે મંદિર પરિસરમાં પ્રવેશ ન કરો, મંદિરની અંદર કોઈપણ પ્રકારની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પર સંપૂર્ણ પ્રતિબંધ છે અને તમે સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ રહો.અન્ય કેટલાક બોર્ડમાં મંદિર અને મંદિર પરિસરમાં માત્ર સાધારણ કપડાં પહેરવાનું કહેવામાં આવ્યું છે. જ્યારે અન્ય બોર્ડ જણાવે છે કે મંદિર પરિસરમાં તંબુ કે શિબિર લગાવવી એ સજાપાત્ર ગુનો છે. હિન્દી અને અંગ્રેજીમાં લખેલા આ બોર્ડમાં સ્પષ્ટ લખ્યું છે કે જો આમ કરતા પકડાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ કેદારનાથ મંદિરમાં બનાવાયેલા એવા ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર જોવા મળ્યા હતા, જેને લઈને તીર્થયાત્રીઓથી લઈને સામાન્ય શ્રદ્ધાળુઓ અને સોશિયલ મીડિયા યુઝર્સે પણ વાંધો ઉઠાવ્યો હતો અને ધાર્મિક સ્થળો પર આવા કૃત્યોની નિંદા કરી હતી.એક વીડિયોમાં જ્યાં એક વ્લોગર તેના પુરુષ મિત્રને મંદિર પરિસરમાં ઘૂંટણિયે બેસીને નાટકીય રીતે પ્રપોઝ કરતો જોવા મળ્યો હતો. અન્ય એક વીડિયોમાં એક મહિલા મંદિરના ગર્ભગૃહમાં નોટો ઉડાડતી જોવા મળી હતી. આ સિવાય કેદારનાથ મંદિરમાં પણ ઘણા લોકો રીલ બનાવતા જોવા મળ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...