Tuesday, January 20, 2026

આજથી SG હાઈવે પર ઓવરસ્પીડે વાહન ચલાવનાર સાવધાન, લેવાયું આ મોટું પગલું

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ : રાજેરોજ હજારોની સંખ્યામાં વાહનો અમદાવાદના એસજી હાઈવે (sg highway) પરથી પસાર થતા હોય છે. ત્યારે આ વાહનચાલકોની મુશ્કેલીઓ આજથી દૂર થવાની છે. આ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોને હવે ટ્રાફિકની ઝંઝટમાંથી મુક્તિ મળે તેવુ એક પગલુ લેવાયું છે. SG હાઈવે પર જો હવે ઓવરસ્પીડમાં ગાડી હંકારી તો આવી બનશે. કારણ કે, સરખેજ-ગાંધીનગર-ચિલોડા(SG) રોડ પર એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવશે. જો હવે એસજી હાઈવે પરથી પસાર થતી વખતે વાહન વધુ સ્પીડમાં હશે તો ઓટોમેટિક એલર્ટનો મેસેજ આવી જશે.

આ એક પ્રકારની સિસ્ટમ છે. જેમાં વાહનની ગતિ, હવામાન સંબંધી ડેટા સિસ્ટમ, લાઈવ ટ્રાફિક કન્જેશન, ટ્રાફિક રિરૂટિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ઈમરજન્સી મેસેજના તમામ ડેટા એકત્ર થશે. આ સિસ્ટમ સરખેજ ગાંધીનગર સુધીના વિસ્તારમાં જ નહીં પરંતુ ચિલોડા સુધીના સંપૂર્ણ હાઈવે પર લગાડવામાં આવી છે. આ સિસ્ટમ થકી અકસ્માતની ઘટનાઓને ઘટાડી શકાશે, તેમજ પૂરપાટ દોડતા વાહનોને નિયંત્રણમાં રાખી શકવામાં આવશે. અમદાવાદ અને ગાંધીનગર માટે આ હાઈવે મહત્વનો હાઈવે છે અને જેના પર વાહનોની ગતિ પર નિયંત્રણ રાખવુ ખૂબ જ જરુરી થઈ ચુક્યુ છે. જેનાથી ટ્રાફિકની સમસ્યામાં રાહત સર્જાશે.

ઓવર સ્પીડ અકસ્માત સર્જવાના મુખ્ય કારણોમાંથી સૌથી પ્રથમ અને મોટુ છે. આ માટે હવે સરખેજ હાઈવે પર નવા નિર્માણ પામેલા ઓવરબ્રિજ પર લાઈટ પોલ સાથે હવે ખાસ ઉપકરણો લગાડવામાં આવ્યા છે. એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરીને વાહનોની ગતિ પર નજર રાખવામાં આવશે. આ સિસ્ટમ અંતર્ગત સાથે દરેક લેન મુજબ લગાવેલા સીસીટીવી કેમેરા દ્વારા ઝડપી ગતિના વાહનની ઓળખ કરવામાં આવશે. ઓળખ કરાયેલ વાહનની વિગતો તુરત જ કંટ્રોલરુમમાં પહોંચશે. જે વિગતના આધારે તુરત જ વાહનના RTO ના ડેટા મુજબ તેમને મોબાઈલ શોર્ટ મેસેજ એલર્ટ પહોંચશે કે તેઓની ગતિ મર્યાદા કરતા વધારે છે. આ માટે તેમને વાહનની ગતિ નિયંત્રિત કરવા માટે પણ એલર્ટ કરવામાં આવશે.

જાણકારી કંટ્રોલ રુપમાં પહોંચવાને લઈને કંટ્રોલ રુમ જરુરી સ્થિતીમાં એલર્ટ થઈને ટ્રાફિક પોલીસ મારફતે પણ કાર્યવાહી કરી શકે છે. હાલમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવાને લઈ દંડ ફટકારવામાં આવે છે. આ માટે ઈ-મેમો આપવામાં આવે છે. હવે સંપૂર્ણ રીતે આ સિસ્ટમ કાર્યરત થવા સાથે જ સરખેજ ગાંધીનગર હાઈવે અને ચિલોડા સુધીના માર્ગ પર દોડતા ઓવર સ્પીડને લઈ વાહનચાલકને દંડ પણ મળી શકે છે. જોકે આ માટે હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યુ નથી કે, દંડનીય કાર્યવાહી કરવામાં આવશે કે, કેવી રીતે ઓવરસ્પીડ સામે પગલા ભરાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...