Thursday, March 12, 2026

ચાંદલોડિયા-થલતેજમાં ગંદકી અને પ્રતિબંધિત પેપરકપ વાપરવા બદલ દુકાનો કરાઈ સીલ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવા મ્યુનિ. કમિશનર દ્વારા સ્વચ્છતા મામલે વધુ ધ્યાન આપવામાં આવે છે. જેના પગલે શહેરમાં ગંદકી અને ન્યુસન્સ તેમજ જાહેરમાં કચરો નાખતા વેપારીઓ સામે કાર્યવાહી કરવાના આદેશના પગલે શહેરના ચાંદલોડિયા અને થલતેજ વિસ્તારમાં જાહેર રોડ ઉપર ગંદકી કરેલી જોવા મળતા દુકાનો સીલ કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ AMCની ઉત્તર-પશ્ચિમ ઝોનની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ દ્વારા ચાંદલોડિયા અને થલતેજ વિસ્તારમાં જાહેર રોડ ઉપર ગંદકી કરેલી જોવા મળતા ચાંદલોડિયામાં શાયોના તિલક કોમ્પ્લેક્સમાં આવેલી ઋષિમુનિ કેમિસ્ટ અને થલતેજમાં સોનુ કી ચાલકી દુકાનને સીલ મારવામાં આવી હતી. 52 જેટલી જગ્યાઓને ચેક કરી 26ને નોટિસ આપવામાં આવી હતી. જ્યારે 5.5 કી.ગ્રા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી રૂ. 31,500નો દંડ વસૂલ્યો છે. ઉપરાંત અન્ય વોર્ડમાં પણ ગંદકી કરતા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા લોકો વિરુદ્ધ સીલ કરવાની કાર્યવાહી પણ ચાલુ છે.

બીજી તરફ જાહેરમાં કચરો અને કાટમાળ અનેક લોકો દ્વારા નાખવામાં આવે છે પરંતુ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ કેટલીક જગ્યાએ માત્ર નામની કાર્યવાહી કરવા નોટીસ આપી અને દંડ ફટકારવામાં આવે છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ઝોનના અને વોર્ડના કર્મચારીઓ દ્વારા કેટલીક જગ્યાએ આવી રીતે જાહેરમાં કચરો નાખવા અને ગંદકી બદલ દંડની કાર્યવાહી કરવાની વાત કરી પછી પોતાના વ્યવહાર લઈ અને દંડ કર્યા વગર ત્યાંથી નીકળી જતા હોવાની પણ ફરિયાદો ઉઠી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...