Saturday, January 17, 2026

ચાંદલોડિયા-થલતેજમાં ગંદકી અને પ્રતિબંધિત પેપરકપ વાપરવા બદલ દુકાનો કરાઈ સીલ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવા મ્યુનિ. કમિશનર દ્વારા સ્વચ્છતા મામલે વધુ ધ્યાન આપવામાં આવે છે. જેના પગલે શહેરમાં ગંદકી અને ન્યુસન્સ તેમજ જાહેરમાં કચરો નાખતા વેપારીઓ સામે કાર્યવાહી કરવાના આદેશના પગલે શહેરના ચાંદલોડિયા અને થલતેજ વિસ્તારમાં જાહેર રોડ ઉપર ગંદકી કરેલી જોવા મળતા દુકાનો સીલ કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ AMCની ઉત્તર-પશ્ચિમ ઝોનની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ દ્વારા ચાંદલોડિયા અને થલતેજ વિસ્તારમાં જાહેર રોડ ઉપર ગંદકી કરેલી જોવા મળતા ચાંદલોડિયામાં શાયોના તિલક કોમ્પ્લેક્સમાં આવેલી ઋષિમુનિ કેમિસ્ટ અને થલતેજમાં સોનુ કી ચાલકી દુકાનને સીલ મારવામાં આવી હતી. 52 જેટલી જગ્યાઓને ચેક કરી 26ને નોટિસ આપવામાં આવી હતી. જ્યારે 5.5 કી.ગ્રા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી રૂ. 31,500નો દંડ વસૂલ્યો છે. ઉપરાંત અન્ય વોર્ડમાં પણ ગંદકી કરતા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા લોકો વિરુદ્ધ સીલ કરવાની કાર્યવાહી પણ ચાલુ છે.

બીજી તરફ જાહેરમાં કચરો અને કાટમાળ અનેક લોકો દ્વારા નાખવામાં આવે છે પરંતુ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ કેટલીક જગ્યાએ માત્ર નામની કાર્યવાહી કરવા નોટીસ આપી અને દંડ ફટકારવામાં આવે છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ઝોનના અને વોર્ડના કર્મચારીઓ દ્વારા કેટલીક જગ્યાએ આવી રીતે જાહેરમાં કચરો નાખવા અને ગંદકી બદલ દંડની કાર્યવાહી કરવાની વાત કરી પછી પોતાના વ્યવહાર લઈ અને દંડ કર્યા વગર ત્યાંથી નીકળી જતા હોવાની પણ ફરિયાદો ઉઠી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...