Sunday, January 18, 2026

શનિવારે રાત્રે તોફાની વરસાદને પગલે બંધ પડેલા અનેક વાહનો રસ્તાઓ પર જોવા મળ્યા

spot_img
Share

અમદાવાદ : શનિવારે સાંજે 6 વાગ્યાની આસપાસ શહેરના મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સતત દોઢ કલાક સુધી ચાલેલા ભારે વરસાદે અમદાવાદ આખું ખોરંભે પાડી દીધું હતું. અને વરસાદમાં શહેર બેટમાં ફેરવાયું અને પાણીમાં ફસાતા અનેક વાહનો બંધ પડ્યા હતા. જે વાહનો લોકો રસ્તા પર જ મૂકીને ઘરે જતા રહ્યા હતા. રવિવારે વહેલી સવારે રસ્તા ઉપર અને બ્રિજ ઉપર બંધ વાહનોની કતારો જોવા મળી હતી.

શનિવારે પડેલ તોફાની વરસાદને પગલે અમદાવાદના અનેક વિસ્તારો પાણી-પાણી થઇ ગયા હતા. જેના કારણે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટાભાગના વાહનો પાણીમાં ફસાવવાના કારણે બંધ પડ્યા હતા. તો અન્ય વાહનો પાણીમાં ફસાય નહીં અને બંધ ન પડે તેના માટે વાહન ચાલકો રસ્તા પર તેમજ કોમ્પ્લેક્ષમાં જ પોતાના વાહનો મૂકીને ઘરે ચાલતી પકડી હતી. જે વાહનો લેવા માટે વહેલી સવારથી લોકો પોતાના વાહન પાસે પહોચવા લાગ્યા હતા.

શહેરના એઇસી ચાર રસ્તા અને બ્રિજ સાથે શહેરમાં નરોડા પાટિયા, માણેકબાગ, સિંધુભવન, પકવાન, ઇસ્કોન, હેલ્મેટ સર્કલ, ઇન્કમટેક્સ, નરોડા, નિકોલ સહિત પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં જ્યાં રસ્તા પર પાણી ભરાયા ત્યાં લોકોના બંધ વાહનો રસ્તા પર જોવા મળ્યા હતા. તો કેટલાક વાહનો ડિવાઈડર પર ચડી ગયેલા પણ જોવા મળ્યા હતા. તો કેટલાક વાહન ચાલકો કોમ્પ્લેક્ષમાં વાહન મૂકીને ઘરે જતા રહ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...