Saturday, March 7, 2026

શનિવારે રાત્રે તોફાની વરસાદને પગલે બંધ પડેલા અનેક વાહનો રસ્તાઓ પર જોવા મળ્યા

spot_img
Share

અમદાવાદ : શનિવારે સાંજે 6 વાગ્યાની આસપાસ શહેરના મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સતત દોઢ કલાક સુધી ચાલેલા ભારે વરસાદે અમદાવાદ આખું ખોરંભે પાડી દીધું હતું. અને વરસાદમાં શહેર બેટમાં ફેરવાયું અને પાણીમાં ફસાતા અનેક વાહનો બંધ પડ્યા હતા. જે વાહનો લોકો રસ્તા પર જ મૂકીને ઘરે જતા રહ્યા હતા. રવિવારે વહેલી સવારે રસ્તા ઉપર અને બ્રિજ ઉપર બંધ વાહનોની કતારો જોવા મળી હતી.

શનિવારે પડેલ તોફાની વરસાદને પગલે અમદાવાદના અનેક વિસ્તારો પાણી-પાણી થઇ ગયા હતા. જેના કારણે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટાભાગના વાહનો પાણીમાં ફસાવવાના કારણે બંધ પડ્યા હતા. તો અન્ય વાહનો પાણીમાં ફસાય નહીં અને બંધ ન પડે તેના માટે વાહન ચાલકો રસ્તા પર તેમજ કોમ્પ્લેક્ષમાં જ પોતાના વાહનો મૂકીને ઘરે ચાલતી પકડી હતી. જે વાહનો લેવા માટે વહેલી સવારથી લોકો પોતાના વાહન પાસે પહોચવા લાગ્યા હતા.

શહેરના એઇસી ચાર રસ્તા અને બ્રિજ સાથે શહેરમાં નરોડા પાટિયા, માણેકબાગ, સિંધુભવન, પકવાન, ઇસ્કોન, હેલ્મેટ સર્કલ, ઇન્કમટેક્સ, નરોડા, નિકોલ સહિત પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં જ્યાં રસ્તા પર પાણી ભરાયા ત્યાં લોકોના બંધ વાહનો રસ્તા પર જોવા મળ્યા હતા. તો કેટલાક વાહનો ડિવાઈડર પર ચડી ગયેલા પણ જોવા મળ્યા હતા. તો કેટલાક વાહન ચાલકો કોમ્પ્લેક્ષમાં વાહન મૂકીને ઘરે જતા રહ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...