Thursday, September 18, 2025

અમદાવાદીઓ સાવધાન ! આ વિસ્તારોમાં આડેધડ પાર્કિંગ વિરુદ્ધ AMC ચલાવશે ખાસ ડ્રાઇવ

Share

Share

અમદાવાદ : અમદાવાદ શહેરનો ચોતરફ વિકાસ થઈ રહ્યો હોઈ સ્વાભાવિકપણે તે સિમેન્ટ-કોંક્રીટના જંગલમાં ફેરવાઈ ગયું છે. અમદાવાદમાં જીવન ધોરણ ઉચ્ચ સ્તરનું હોઈ અન્ય રાજ્યોના લોકો પણ રોજીરોટીની તલાશમાં સતત આવી રહ્યા છે. બીજી તરફ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં લોકોને ખાસ સંતોષ ન હોઈ અંગત વાહનોનો વપરાશ દિન-પ્રતિદિન વધતો જાય છે. આ બધાં કારણસર શહેરીજનોને ટ્રાફિક જામની સમસ્યા સતત સતાવતી રહી છે. આ મામલે છેક હાઈકોર્ટ સુધી રજૂઆતો થઈ હોઈ તેના ઓર્ડરના પગલે AMCના સત્તાવાળાઓએ એસ જી હાઇવે,સી જી રોડ, સિંધુ ભવન,સેટેલાઇટ સહિતના વિસ્તારમાં ટ્રાફિકને નડતરરૂપ દબાણો તથા પાર્કિંગ વગેરે દૂર કરવાની દિશામાં ખાસ ચક્રો ગતિમાન કર્યાં છે.

અમદાવાદમાં આડેધડ પાર્કિંગ થતા વાહનોને કારણે અવાર નવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. ગુજરાત હાઇકોર્ટ પણ આ મામલે અનેક વખત ટકોર કરી ચુકી છે. જોકે, હવે AMC હાઇકોર્ટની ટકોર બાદ ઊંઘમાંથી જાગ્યુ હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદમાં હવે આડેધડ પાર્કિંગ થતા વાહનોને કારણે એકમોને નોટિસ ફટકારવામાં આવશે. AMC દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ખાસ ડ્રાઇવ યોજવામાં આવશે. શોપીંગ સેન્ટરો, રેસ્ટોરન્ટો, કલબો, હોસ્પિટલો, એજ્યુકેશનલ ઇન્સ્ટીટયુટ, મોલ્સ, કોર્મશીયલ કોમ્પલેક્ષો ઓફિસ બિલ્ડિંગો, ધાર્મિક સ્થાનો, બગીચાઓ, પાર્ટી પ્લોટો વિગેરે જેવા એકમો કે જેની બહાર વાહનો પાર્કિંગ થતાં હશે તેવા એકમોના હોદ્દેદારોને નોટિસ આપવામાં આવશે.

શહેરના મહત્વના રોડ ગણાતા એવા એસ જી હાઇવે,સી જી રોડ, સિંધુ ભવન,સેટેલાઇટ સહિતના વિસ્તારમાં ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવશે. AMCએ સીજી રોડ, નારણપુરા ચાર રસ્તાથી શાસ્ત્રીનગર ચાર રસ્તા, પ્રભાત ચોકથી ગુજરાત હાઇકોર્ટ, એસજી હાઇવે, પકવાન ચાર રસ્તાથી કેશવબાગ સુધીના જાહેર રોડ પરના દબાણો દૂર કરવા એસ્ટેટ વિભાગના અધિકારીઓને જવાબદારી સોપવામાં આવી છે. આ જગ્યાઓ પર અધિકારીઓ રાઉન્ડ લઇ જાહેર રસ્તા ઉપરના ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવા તથા વહીવટી ચાર્જ પણ વસુલવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...