Tuesday, November 11, 2025

અમદાવાદીઓ સાવધાન ! આ વિસ્તારોમાં આડેધડ પાર્કિંગ વિરુદ્ધ AMC ચલાવશે ખાસ ડ્રાઇવ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરનો ચોતરફ વિકાસ થઈ રહ્યો હોઈ સ્વાભાવિકપણે તે સિમેન્ટ-કોંક્રીટના જંગલમાં ફેરવાઈ ગયું છે. અમદાવાદમાં જીવન ધોરણ ઉચ્ચ સ્તરનું હોઈ અન્ય રાજ્યોના લોકો પણ રોજીરોટીની તલાશમાં સતત આવી રહ્યા છે. બીજી તરફ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં લોકોને ખાસ સંતોષ ન હોઈ અંગત વાહનોનો વપરાશ દિન-પ્રતિદિન વધતો જાય છે. આ બધાં કારણસર શહેરીજનોને ટ્રાફિક જામની સમસ્યા સતત સતાવતી રહી છે. આ મામલે છેક હાઈકોર્ટ સુધી રજૂઆતો થઈ હોઈ તેના ઓર્ડરના પગલે AMCના સત્તાવાળાઓએ એસ જી હાઇવે,સી જી રોડ, સિંધુ ભવન,સેટેલાઇટ સહિતના વિસ્તારમાં ટ્રાફિકને નડતરરૂપ દબાણો તથા પાર્કિંગ વગેરે દૂર કરવાની દિશામાં ખાસ ચક્રો ગતિમાન કર્યાં છે.

અમદાવાદમાં આડેધડ પાર્કિંગ થતા વાહનોને કારણે અવાર નવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. ગુજરાત હાઇકોર્ટ પણ આ મામલે અનેક વખત ટકોર કરી ચુકી છે. જોકે, હવે AMC હાઇકોર્ટની ટકોર બાદ ઊંઘમાંથી જાગ્યુ હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદમાં હવે આડેધડ પાર્કિંગ થતા વાહનોને કારણે એકમોને નોટિસ ફટકારવામાં આવશે. AMC દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ખાસ ડ્રાઇવ યોજવામાં આવશે. શોપીંગ સેન્ટરો, રેસ્ટોરન્ટો, કલબો, હોસ્પિટલો, એજ્યુકેશનલ ઇન્સ્ટીટયુટ, મોલ્સ, કોર્મશીયલ કોમ્પલેક્ષો ઓફિસ બિલ્ડિંગો, ધાર્મિક સ્થાનો, બગીચાઓ, પાર્ટી પ્લોટો વિગેરે જેવા એકમો કે જેની બહાર વાહનો પાર્કિંગ થતાં હશે તેવા એકમોના હોદ્દેદારોને નોટિસ આપવામાં આવશે.

શહેરના મહત્વના રોડ ગણાતા એવા એસ જી હાઇવે,સી જી રોડ, સિંધુ ભવન,સેટેલાઇટ સહિતના વિસ્તારમાં ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવશે. AMCએ સીજી રોડ, નારણપુરા ચાર રસ્તાથી શાસ્ત્રીનગર ચાર રસ્તા, પ્રભાત ચોકથી ગુજરાત હાઇકોર્ટ, એસજી હાઇવે, પકવાન ચાર રસ્તાથી કેશવબાગ સુધીના જાહેર રોડ પરના દબાણો દૂર કરવા એસ્ટેટ વિભાગના અધિકારીઓને જવાબદારી સોપવામાં આવી છે. આ જગ્યાઓ પર અધિકારીઓ રાઉન્ડ લઇ જાહેર રસ્તા ઉપરના ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવા તથા વહીવટી ચાર્જ પણ વસુલવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...