Thursday, February 5, 2026

અમદાવાદીઓ સાવધાન ! આ વિસ્તારોમાં આડેધડ પાર્કિંગ વિરુદ્ધ AMC ચલાવશે ખાસ ડ્રાઇવ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરનો ચોતરફ વિકાસ થઈ રહ્યો હોઈ સ્વાભાવિકપણે તે સિમેન્ટ-કોંક્રીટના જંગલમાં ફેરવાઈ ગયું છે. અમદાવાદમાં જીવન ધોરણ ઉચ્ચ સ્તરનું હોઈ અન્ય રાજ્યોના લોકો પણ રોજીરોટીની તલાશમાં સતત આવી રહ્યા છે. બીજી તરફ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં લોકોને ખાસ સંતોષ ન હોઈ અંગત વાહનોનો વપરાશ દિન-પ્રતિદિન વધતો જાય છે. આ બધાં કારણસર શહેરીજનોને ટ્રાફિક જામની સમસ્યા સતત સતાવતી રહી છે. આ મામલે છેક હાઈકોર્ટ સુધી રજૂઆતો થઈ હોઈ તેના ઓર્ડરના પગલે AMCના સત્તાવાળાઓએ એસ જી હાઇવે,સી જી રોડ, સિંધુ ભવન,સેટેલાઇટ સહિતના વિસ્તારમાં ટ્રાફિકને નડતરરૂપ દબાણો તથા પાર્કિંગ વગેરે દૂર કરવાની દિશામાં ખાસ ચક્રો ગતિમાન કર્યાં છે.

અમદાવાદમાં આડેધડ પાર્કિંગ થતા વાહનોને કારણે અવાર નવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. ગુજરાત હાઇકોર્ટ પણ આ મામલે અનેક વખત ટકોર કરી ચુકી છે. જોકે, હવે AMC હાઇકોર્ટની ટકોર બાદ ઊંઘમાંથી જાગ્યુ હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદમાં હવે આડેધડ પાર્કિંગ થતા વાહનોને કારણે એકમોને નોટિસ ફટકારવામાં આવશે. AMC દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ખાસ ડ્રાઇવ યોજવામાં આવશે. શોપીંગ સેન્ટરો, રેસ્ટોરન્ટો, કલબો, હોસ્પિટલો, એજ્યુકેશનલ ઇન્સ્ટીટયુટ, મોલ્સ, કોર્મશીયલ કોમ્પલેક્ષો ઓફિસ બિલ્ડિંગો, ધાર્મિક સ્થાનો, બગીચાઓ, પાર્ટી પ્લોટો વિગેરે જેવા એકમો કે જેની બહાર વાહનો પાર્કિંગ થતાં હશે તેવા એકમોના હોદ્દેદારોને નોટિસ આપવામાં આવશે.

શહેરના મહત્વના રોડ ગણાતા એવા એસ જી હાઇવે,સી જી રોડ, સિંધુ ભવન,સેટેલાઇટ સહિતના વિસ્તારમાં ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવશે. AMCએ સીજી રોડ, નારણપુરા ચાર રસ્તાથી શાસ્ત્રીનગર ચાર રસ્તા, પ્રભાત ચોકથી ગુજરાત હાઇકોર્ટ, એસજી હાઇવે, પકવાન ચાર રસ્તાથી કેશવબાગ સુધીના જાહેર રોડ પરના દબાણો દૂર કરવા એસ્ટેટ વિભાગના અધિકારીઓને જવાબદારી સોપવામાં આવી છે. આ જગ્યાઓ પર અધિકારીઓ રાઉન્ડ લઇ જાહેર રસ્તા ઉપરના ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવા તથા વહીવટી ચાર્જ પણ વસુલવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...