Thursday, January 15, 2026

AMCની ટીમ દ્વારા શહેરમાં મેગા ડ્રાઈવ શરૂ, રસ્તા પર પાર્ક કરેલા આડેધડ વાહન પાર્ક કરતા ચેતજો

spot_img
Share

અમદાવાદ: શહેરમાં જાહેર રસ્તા પર વાહનો પાર્ક કરતા પહેલા ચેતી જજો. કેમ કે, પોલીસ બાદ હવે AMC પણ રસ્તા પર પાર્ક કરેલા વાહનો લોક કરશે. AMC દ્વારા શહેરમાં મેગા ડ્રાઈવ શરૂ કરાઈ છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ પોલીસ બાદ હવે AMCની ટીમ એક્શન મોડમાં આવી છે. શહેરના 7 ઝોનમાં ડ્રાઈવ કરવામાં આવી રહી છે. જેમાં જાહેર રસ્તા પર અડચણરૂપ બનતા વાહનો લોક કરશે અને દંડની કાર્યવાહી પણ કરશે.

પોલીસ અને AMC દ્વારા શહેરના 7 ઝોનમાં મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને એસજી હાઇવે પર પણ એક્શનના દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં રસ્તા પર પાર્ક કરેલા વાહનો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને વાહનોને લોક કરવામાં આવી રહી છે. હાઇકોર્ટના ટ્રાફિકમુક્ત શહેરના આદેશ બાદ પોલીસ અને AMCની ટીમ દ્વારા કડક પગલા લેવામાં આવી રહ્યા છે. પોલીસ અને AMCની ટીમ દ્વારા મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.

આમ હવે ખરેખર અમદાવાદના શહેરના લોકોએ જાહેર રસ્તા પર અડચણરૂપ વાહનો પાર્ક કરતા પહેલા ચેતવાની જરુર છે. અને ટ્રાફિક નિયમન વિશે તમામ લોકોએ માહિતી મેળવવી હાલના સમયમાં આવશ્યક બન્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...