Wednesday, January 21, 2026

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ફરી શરૂ થશે હેલિકોપ્ટર જોય રાઈડ, જાણો ટિકિટના હવે કેટલા ચૂકવવા પડશે?

spot_img
Share

અમદાવાદ: શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર શરૂ કરાયેલી હેલિકોપ્ટર જોય રાઈડનો કોન્ટ્રાક્ટ રિન્યૂ થઈ ગયો છે અને હવે ફરીથી અમદાવાદીઓ ટિકિટ બુક કરાવીને શહેરને હવામાંથી જોઈ શકશે. 4 મહિના પહેલા અચોક્કસ મુદત માટે બંધ કરવામાં આવેલી જોચય રાઈડમાં તે સમયે 7500 જેટલા લોકોએ આનંદ માણ્યો હતો. ત્યારે હવે 12 ઓગસ્ટથી ફરી આ જોય રાઈડ શરૂ થશે.

હવે ફરી એક વાર 12 ઓગસ્ટથી નવો રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. અમદાવાદમાં રિવરફ્રન્ટ પર જોય રાઈડ ફરી શરુ થશે. 12 ઓગસ્ટથી ફરી એક વાર અમદાવાદના આકાશી નજારો માણી શકાશે. જો કે આ વખતે જોયરાઈડની ટિકિટમાં થોડા ફેરફાર છે. ગયા વખતે વ્યક્તિ દીઠ 2360 રુપિયા ટિકિટ હતી જે આ વખતે 2478 રાખવામાં આવી છે એટલે કે 118 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

એક રાઈડમાં 5 મુસાફરોને લઈ જવામાં આવશે અને અંદાજે 10 મિનિટ સુધી તેમને હેલિકોપ્ટરમાં અમદાવાદ શહેર બતાવવામાં આવશે. જોય રાઈડ માટે ઓનલાઈન બુકિંગ https://booking.aerotrans.in/ પરથી કરી શકાશે. દિવસ દરમિયાન હેલિકોપ્ટર 75 જેટલા મુસાફરો ટ્રિપ મારશે. દર શનિવારે-રવિવારે અને જાહેર રજાઓ દરમિયાન આ જોય રાઈડનો આનંદ શહેરીજનો માણી શકશે.

નોંધનીય છે કે, અમદાવાદ રિવકફ્રન્ટ પર સી-પ્લેન પ્રોજેક્ટ પાણીમાં ગયા બાદ જાન્યુઆરી 2022માં હેલિકોપ્ટર જોય રાઈડ શરૂ કરવામાં આવી હતી. આ માટે ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ (ગુજસેલ) 11 મહિના માટે એરોટ્રાન્સ સાથે સમજૂતી કરી હતી. જોય રાઈડનો રૂટ રિવરફ્રન્ટથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સાયન્સ સિટી સુધીનો નક્કી કરાયો હતો. હાલ પણ આ જ રૂટ રાખવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...