Thursday, March 5, 2026

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ફરી શરૂ થશે હેલિકોપ્ટર જોય રાઈડ, જાણો ટિકિટના હવે કેટલા ચૂકવવા પડશે?

spot_img
Share

અમદાવાદ: શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર શરૂ કરાયેલી હેલિકોપ્ટર જોય રાઈડનો કોન્ટ્રાક્ટ રિન્યૂ થઈ ગયો છે અને હવે ફરીથી અમદાવાદીઓ ટિકિટ બુક કરાવીને શહેરને હવામાંથી જોઈ શકશે. 4 મહિના પહેલા અચોક્કસ મુદત માટે બંધ કરવામાં આવેલી જોચય રાઈડમાં તે સમયે 7500 જેટલા લોકોએ આનંદ માણ્યો હતો. ત્યારે હવે 12 ઓગસ્ટથી ફરી આ જોય રાઈડ શરૂ થશે.

હવે ફરી એક વાર 12 ઓગસ્ટથી નવો રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. અમદાવાદમાં રિવરફ્રન્ટ પર જોય રાઈડ ફરી શરુ થશે. 12 ઓગસ્ટથી ફરી એક વાર અમદાવાદના આકાશી નજારો માણી શકાશે. જો કે આ વખતે જોયરાઈડની ટિકિટમાં થોડા ફેરફાર છે. ગયા વખતે વ્યક્તિ દીઠ 2360 રુપિયા ટિકિટ હતી જે આ વખતે 2478 રાખવામાં આવી છે એટલે કે 118 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

એક રાઈડમાં 5 મુસાફરોને લઈ જવામાં આવશે અને અંદાજે 10 મિનિટ સુધી તેમને હેલિકોપ્ટરમાં અમદાવાદ શહેર બતાવવામાં આવશે. જોય રાઈડ માટે ઓનલાઈન બુકિંગ https://booking.aerotrans.in/ પરથી કરી શકાશે. દિવસ દરમિયાન હેલિકોપ્ટર 75 જેટલા મુસાફરો ટ્રિપ મારશે. દર શનિવારે-રવિવારે અને જાહેર રજાઓ દરમિયાન આ જોય રાઈડનો આનંદ શહેરીજનો માણી શકશે.

નોંધનીય છે કે, અમદાવાદ રિવકફ્રન્ટ પર સી-પ્લેન પ્રોજેક્ટ પાણીમાં ગયા બાદ જાન્યુઆરી 2022માં હેલિકોપ્ટર જોય રાઈડ શરૂ કરવામાં આવી હતી. આ માટે ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ (ગુજસેલ) 11 મહિના માટે એરોટ્રાન્સ સાથે સમજૂતી કરી હતી. જોય રાઈડનો રૂટ રિવરફ્રન્ટથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સાયન્સ સિટી સુધીનો નક્કી કરાયો હતો. હાલ પણ આ જ રૂટ રાખવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...