Sunday, November 2, 2025

પાવાગઢ દર્શને જતા હોવ તો આ તારીખો ખાસ નોંધી લેજો, ભક્તો માટે બંધ રહેશે 5 દિવસ રોપ-વે સેવા

Share

પંચમહાલ : પવિત્ર યાત્રાધામ પાવગઢ મહાકાળી માતાજીના દર્શનાર્થે જતાં ભક્તો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી 5 દિવસ માટે રોપ વે સેવા બંધ રહેશે. તારીખ 7 ઓગસ્ટથી 11 ઓગસ્ટ સુધી રોપ-વે સેવા બંધ રહેશે. રોપ વે સેવા પૂરી પાડતી ઉષા બ્રેકો કંપની દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. મેઈન્ટેનન્સની કામગીરીને ધ્યાને રાખી રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. 12 ઓગસ્ટથી પાવાગઢ રોપ-વે સેવા ભક્તો માટે રાબેતા મુજબ ચાલુ થશે.

7 ઓગષ્ટથી 11 ઓગષ્ટ દરમિયાન રોપવે સેવા બંધ રહેનાર છે. એટલે કે સોમવારથી શુક્રવાર સુધી સેવા બંધ રહેનારી છે. આમ પાવાગઢ દર્શન જનારા શ્રદ્ધાળુઓને માટે ધ્યાનમાં રાખવાની મહત્વની જાણકારી તંત્ર દ્વારા જારી કરવામાં આવી છે. જેથી વૃદ્ધ અને અશક્ત સહિતના લોકોને આ દિવસો દરમિયાન યાત્રાના આયોજન કરવા દરમિયાન જાણકારી મળી રહે એ માટે આ જાણકારી જારી કરાઈ છે.

પાવગઢ મંદિર ખાતે મહાકાળી માતાજીના દર્શનાર્થે દરરોજ હજારોની સંખ્યામાં માઈભક્તો આવતા હોય છે. પાવગઢ ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન કરવા જતા યાત્રાળુઓની સુવિધા માટે રોપ-વે ઉપલબ્ધ છે. આ રોપ-વેની સમય-સમય પર મેન્ટેનન્સી કામગીરી કરવામાં આવતી હોય છે. ત્યારે આવતા મહિને પણ 5 દિવસ સુધી રોપ-વેની મેન્ટેનન્સની કામગીરી ચાલશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...

ગુજરાતના નવા મંત્રીઓની યાદી આવી સામે, 26 ધારાસભ્યોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન, જુઓ આ રહી યાદી ?

ગાંધીનગર : આજે ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારની નવી કેબિનેટનું ગઠન થઇ ગયું છે. જુના મંત્રીઓમાંથી મોટા ભાગના લોકોને પડતા મૂકી અને હવે નવા ચહેરાઓને...

ગિરનારની લીલી પરિક્રમાની તૈયારી પૂરજોશમાં, પદયાત્રીઓને અપાઈ મહત્વની સૂચના, આવું ન કરતા !

જુનાગઢ : જૂનાગઢના ગિરનારની લીલી પરિક્રમાની તૈયારીઓની વ્યવસ્થાને ધ્યાન રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાધુ-સંતો ઉતારા મંડળ અને...

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...