Tuesday, January 20, 2026

SG હાઈવે પર પોલીસ તથા ક્રાઈમ બ્રાન્ચની ટીમો ત્રાટકી, કાફે, રેસ્ટોરન્ટમાં સઘન ચેકીંગ હાથ ધર્યું

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેર પોલીસ તથા ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ શુક્રવારે મોડી રાતથી સંયુક્ત કામગીરી હાથ ધરી હતી.શહેરમાં વધી રહેલા નશાકારક દુષણોને અટકાવવા શહેર પોલીસ કામે લાગી છે. અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસની અલગ અલગ ટીમો દ્વારા મોડી રાત્રે પશ્ચિમ વિસ્તારની હોટલો, કેફે, રેસ્ટોરન્ટ, બાગ બગીચા સહીત અન્ય જગ્યાઓ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ઈસ્કોન બ્રીજ અકસ્માત બાદ શહેર પોલીસ દ્વારા સમયાંતરે વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે શુક્રવારે રાતના સમયે અમદાવાદ પશ્ચિમ વિસ્તારો જેવા કે સેટેલાઇટ, સિંધુ ભવન, અને સરખેજની હોટલો, કેફે, રેસ્ટોરન્ટ, બાગ બગીચા સહીત અન્ય જગ્યાઓ પાર આ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ, લાઈસન્સ, ઓવર સ્પીડ જેવા બાબતે ચેકિંગ કરવામાં આવ્યું હતું. નાકાબંધી વાહન ચેકિંગમાં PI, PSI અને આશરે 25 પોલીસ જવાનો સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

અમદાવાદ પશ્ચિમ વિસ્તારો સેટેલાઇટ, સિંધુ ભવન, અને સરખેજ વિસ્તારમાં આવેલા કેફેમાં તપાસ હાથ ધરાઇ હતી. છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં વધી રહેલા નશાકારક દુષણ અને કેફી દ્રવ્યોની મોટી માત્રામાં પકડ બાદ આ કાર્યવાહી હાથ ધરાઈ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...