Tuesday, January 13, 2026

નવા વાડજની આ સ્કૂલમાં સ્વાતંત્ર્ય દિનની ઉત્સાહભેર ઉજવણી, સ્વાતંત્ર્ય સેનાનીઓને સલામી અપાઈ

spot_img
Share

અમદાવાદ : શહેરના નવા વાડજમાં આવેલ લાયોનેસ કર્ણાવતી ઈંગ્લિશ સ્કૂલ તથા ગણેશ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે આજ રોજ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ વકતૃત્વ, નાટક તથા ડાન્સ દ્વારા સ્વાતંત્ર્ય દિનને ઉત્સાહભેર ઉજવ્યો હતો. ઈ.સ. 1857 થી ઈ.સ. 1947 સુધી દેશને આઝાદી અપાવવા માટે શહીદ થયેલ સ્વાતંત્ર્ય સેનાનીઓને સલામી આપવા ખૂબ સુંદર નાટક પ્રદર્શિત કરવામાં આવેલ તથા ડાન્સમાં ભારત દેશના વિવિધ રાજ્યના મુખ્ય નૃત્ય કલા તથા વિવિધ ડાન્સ રજૂ કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ કેજી સેક્શનના ભૂલકાંઓ દ્વારા કરવામાં આવેલ પરેડ તથા તેમનો ડાન્સ હતો.

સમગ્ર કાર્યક્રમનું આકર્ષણ એ હતું કે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષકમિત્રોની દેખરેખ હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સ્ટાફ શિક્ષક દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.શાળાના આચાર્યના સંચાલન હેઠળ સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનો સમગ્ર કાર્યક્રમ ખૂબ સુંદર રીતે સંપન્ન થયો હતો.કાર્યક્રમની ભવ્ય સફળતા માટે ટ્રસ્ટી સૌરભભાઈ પટેલ તથા કેમ્પસ ડાયરેક્ટર શ્રીમતી જસ્મીનાબેન પટેલે સમગ્ર શિક્ષકગણની કામગીરીને બિરદાવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...