Wednesday, March 4, 2026

અમદાવાદમાંથી ચિંતાજનક સમાચાર આવ્યા સામે, એક જ દિવસમાં 4 લોકોએ કર્યો આપઘાત

spot_img
Share

અમદાવાદ : છેલ્લા ઘણા સમયથી આત્મહત્યાના સતત કિસ્સાઓ સામે આવી રહ્યા છે. નાની બાબતોમાં માઠું લાગી આવતા ખોટું પગલું ભરી દે છે. અગમ્ય કારણોસર લોકો જીવન ટૂંકાવી નાખે છે. તો બીજી તરફ અમદાવાદમાં એક જ દિવસમાં 4 આત્મહત્યાના બનાવો સામે આવ્યા છે. અમદાવાદના કૃષ્ણનગર, અમરાઈવાડી, બાપુનગર તથા નારોલમાં આપઘાતના બનાવો બન્યા છે. પૂર્વ વિસ્તારમાં એકજ દિવસમાં ચાર આપઘાતના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે.

આ મામલે વિગતવાર વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદના કૃષ્ણનગર, અમરાઈવાડી, બાપુનગર અને નારોલમાં આપઘાતના બનાવો બન્યા છે. મોટા ભાગના ગળેફાંસો ખાઈને આપઘાતના કિસ્સા છે. જેમાં શહેરના અમરાઈવાડી વિસ્તારમાં શૈલેષ ચાવડા નામના યુવાને પંખા સાથે લટકીને જીવન ટૂંકાવ્યું છે. જ્યારે નારોલમાં એક યુવતીએ પાઈપ સાથે સાડી બાંધીને આપઘાત કર્યો છે. તો બાપુનગરમાં અગમ્ય કારણોસર મહિલાએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. આ ઉપરાંત શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં એક વ્યક્તિએ ટ્રેન નીચે ઝંપલાવીને આપઘાત કર્યો છે. ચારેય બનાવમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે નાની બાબતોમાં માઠું લાગી આવતા ખોટું પગલું ભરી દે છે. અગમ્ય કારણોસર લોકો જીવન ટૂંકાવી નાખે છે.આમ છેલ્લા ઘણા સમયથી આત્મહત્યાના સતત કિસ્સાઓ સામે આવી રહ્યા છે.આમ એક જ દિવસમાં આત્મહત્યાના 4 કેસો સામે આવતા સભ્ય સમાજ માટે એક ચોંકાવનારો પ્રશ્ન છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...