Wednesday, March 4, 2026

ચાંદલોડીયાની આ સ્કૂલમાં સિનિયર કેજીમાં ભણતા વિદ્યાર્થીને શિક્ષકે માર્યો માર, શિક્ષકને કરાયા સસ્પેન્ડ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ચાંદલોડીયા વિસ્તારમાં આવેલ ખાનગી શાળામાં વિદ્યાર્થીને માર મારવાની ઘટનામાં શિક્ષકને સસ્પેન્ડ કરી દેવાયા છે.આ ઘટના ચાંદલોડિયા બ્રિજ પર આવેલી શક્તિ સ્કૂલની છે. જ્યાં સિનિયર કેજીમાં અભ્યાસ કરતા 5 વર્ષીય બાળકને માર માર્યાનો શિક્ષક પર આરોપ લાગ્યો છે. વિદ્યાર્થીના વાલીનો આરોપ છે કે વાંચતા આવડતું નથી તેવું કહીને શિક્ષકે તેમના બાળકને માર માર્યો છે. બાળકના શરીર પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા છે.

શહેરના ચાંદલોડીયા વિસ્તારમાં આવેલી શક્તિ સ્કૂલમાં શિક્ષીકાએ સિનિયર કેજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના પગમાં સોટી મારીને સોર પાડી દીધા હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. વિદ્યાર્થીના માતા પિતાએ આ મામલે આજે સ્કૂલમાં હોબાળો મચાવ્યા બાદ મામલો ગરમાયો હતો. ભણવામાં શબ્દ બોલવાનું રહી જતાં શિક્ષક ઉશ્કેરાઇ હતી અને પગમાં સોટી મારી દીધી હતી. વિદ્યાર્થી જ્યારે સ્કૂલેથી ઘરે આવ્યો ત્યારે તેના પગમાં સોર જોઇને માતા ચોંકી ઉઠી હતી. આ મામલે હવે બાળકને વાલીએ શાળાના સંચાલકને શિક્ષક વિરુદ્ધ ફરિયાદ કરી હતી. બાળકને આ રીતે માર મારતા આજે વાલી દ્વારા ફરી વાર સ્કૂલમાં ટ્રસ્ટી અને પ્રિન્સિપાલને રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે સ્કૂલ દ્વારા તાત્કાલિક ધોરણે શિક્ષીકાને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

વિદ્યાર્થીના પિતા પ્રમાણે, સ્કૂલના શિક્ષક દ્વારા અવારનવાર છેલ્લા એક મહિનાથી માર મારવામાં આવતો હતો. છતાં ફરિયાદ નહોતી કરી. આ વખતે ઢોરમાર મારવામાં આવતા પગે સોજો આવી ગયો અને બાળકે ખૂબ ફરિયાદ કરી હતી. આ મામલે ગઈકાલે સ્કૂલમાં મારી પત્ની દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેઓએ કંઈ સાંભળ્યું નહોતું. જેથી આજે તેઓ ફરીથી સ્કૂલમાં જઈ માર મારનાર શિક્ષક સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ ઘટના બનતાની સાથે જ મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલ પાસે ભેગા થઈ ગયા હતા. શિક્ષક દ્રારા આ પ્રકારે બાળકને માર મારવામાં આવતી વાલીઓમાં ભારે રોષ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...