Wednesday, September 17, 2025

ચાંદલોડીયાની આ સ્કૂલમાં સિનિયર કેજીમાં ભણતા વિદ્યાર્થીને શિક્ષકે માર્યો માર, શિક્ષકને કરાયા સસ્પેન્ડ

Share

Share

અમદાવાદ : અમદાવાદમાં ચાંદલોડીયા વિસ્તારમાં આવેલ ખાનગી શાળામાં વિદ્યાર્થીને માર મારવાની ઘટનામાં શિક્ષકને સસ્પેન્ડ કરી દેવાયા છે.આ ઘટના ચાંદલોડિયા બ્રિજ પર આવેલી શક્તિ સ્કૂલની છે. જ્યાં સિનિયર કેજીમાં અભ્યાસ કરતા 5 વર્ષીય બાળકને માર માર્યાનો શિક્ષક પર આરોપ લાગ્યો છે. વિદ્યાર્થીના વાલીનો આરોપ છે કે વાંચતા આવડતું નથી તેવું કહીને શિક્ષકે તેમના બાળકને માર માર્યો છે. બાળકના શરીર પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા છે.

શહેરના ચાંદલોડીયા વિસ્તારમાં આવેલી શક્તિ સ્કૂલમાં શિક્ષીકાએ સિનિયર કેજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના પગમાં સોટી મારીને સોર પાડી દીધા હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. વિદ્યાર્થીના માતા પિતાએ આ મામલે આજે સ્કૂલમાં હોબાળો મચાવ્યા બાદ મામલો ગરમાયો હતો. ભણવામાં શબ્દ બોલવાનું રહી જતાં શિક્ષક ઉશ્કેરાઇ હતી અને પગમાં સોટી મારી દીધી હતી. વિદ્યાર્થી જ્યારે સ્કૂલેથી ઘરે આવ્યો ત્યારે તેના પગમાં સોર જોઇને માતા ચોંકી ઉઠી હતી. આ મામલે હવે બાળકને વાલીએ શાળાના સંચાલકને શિક્ષક વિરુદ્ધ ફરિયાદ કરી હતી. બાળકને આ રીતે માર મારતા આજે વાલી દ્વારા ફરી વાર સ્કૂલમાં ટ્રસ્ટી અને પ્રિન્સિપાલને રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે સ્કૂલ દ્વારા તાત્કાલિક ધોરણે શિક્ષીકાને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

વિદ્યાર્થીના પિતા પ્રમાણે, સ્કૂલના શિક્ષક દ્વારા અવારનવાર છેલ્લા એક મહિનાથી માર મારવામાં આવતો હતો. છતાં ફરિયાદ નહોતી કરી. આ વખતે ઢોરમાર મારવામાં આવતા પગે સોજો આવી ગયો અને બાળકે ખૂબ ફરિયાદ કરી હતી. આ મામલે ગઈકાલે સ્કૂલમાં મારી પત્ની દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેઓએ કંઈ સાંભળ્યું નહોતું. જેથી આજે તેઓ ફરીથી સ્કૂલમાં જઈ માર મારનાર શિક્ષક સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ ઘટના બનતાની સાથે જ મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલ પાસે ભેગા થઈ ગયા હતા. શિક્ષક દ્રારા આ પ્રકારે બાળકને માર મારવામાં આવતી વાલીઓમાં ભારે રોષ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...