Thursday, January 22, 2026

અમદાવાદમાં પોલીસકર્મીઓ વિરુદ્ધ પોલીસની ડ્રાઈવ, પોલીસકર્મીઓ સીટબેલ્ટ, હેલમેટ વગર ઝડપાયા

spot_img
Share

અમદાવાદ : ગુજરાત રાજ્યના DGP વિકાસ સહાયએ પરિપત્ર જાહેર કરી પોલીસ કર્મચારીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું. આ બાબતે ડ્રાઇવ રાખવા પણ સૂચના આપી હતી. જેના પગલે શનિવારે અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી. શાહીબાગ પોલીસ હેડ ક્વાટરની બહાર યોજવામાં આવેલી ડ્રાઈવ દરમિયાન અનેક પોલીસ કર્મચારીઓ હેલમેટ વગર તેમજ સીટબેલ્ટ વગર ઝડપાયા હતા. તો કેટલાક પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનો પોલીસની પ્લેટ લગાવી ફરતા ઝડપાયા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નિયમ ભંગ કરતાં પોલીસકર્મીઓને પાઠ ભણાવવા માટે પોલીસકર્મીઓ સામે એક ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. અમદાવાદના શાહીબાગ પોલીસ હેડ ક્વાટર ખાતે પોલીસના કર્મચારીઓ જ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા જોવા મળ્યા હતા. પોલીસકર્મીએ પોતાના વાહનમાં P કે police લખ્યું હોય,પોલીસકર્મી ત્રણ સવારીમાં હોય, પોલીસકર્મીએ બાઈક ચલાવતા સમયે હેલ્મેટ ન પહેર્યું હોય અથવા તો તેની ગાડીમાં બ્લેક ફિલ્મ લગાવી હોય તો પોલીસકર્મી સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ડ્રાઈવ દરમિયાન એક કારચાલક પોલીસ લખેલી પ્લેટ લગાવી ચાલુ વાહને ફોન પર વાત પણ કરતો હતો. જેથી તેને રોકવામાં આવ્યો હતો. મીડિયા અને પોલીસને જોતાં જ પોલીસ લખેલી પ્લેટ કાઢી લીધી હતી અને મીડિયાના કેમેરામાં પોલીસ લખેલી પ્લેટ કેદ થઈ હોવા છતાં પણ મારી પાસે કોઈ પ્લેટ નથી તેમ કહ્યું હતું. જોકે, ગાડીમાં તપાસ કરતા પોલીસ લખેલી પ્લેટ મળી આવી હતી. આમ કારચાલક મીડિયા સમક્ષ પોલીસની પ્લેટ લગાવેલી હોવાનું છુપાવતા ઝડપાઈ ગયો હતો. ત્યારબાદ તેને દંડ પણ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત સીટ બેલ્ટ વગર, હેલ્મેટ વગર, બ્લેક ફિલ્મ લગાડેલા તેમજ પોલીસ લખેલી પ્લેટના વાહન ચાલકોને ઝડપી અને તેઓની પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આમ ખુદ પોલીસ વિભાગમાં જ ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ સામાન્ય પ્રજાને કાયદો અને નિયમો બતાવી દંડ વસુલ કરતાં હોય છે, પરંતુ અમદાવાદ શહેરના પોલીસ કર્મચારીઓ જ ખુદ આ નિયમોનું પાલન કરતા નથી જે આ ડ્રાઈવ ઉપરથી સ્પષ્ટ જણાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...