Tuesday, October 14, 2025

મુકેશ અંબાણીએ કરી મોટી જાહેરાત, ગણેશ ચતુર્થીના દિવસે લોન્ચ થશે Jioની આ સેવા

Share

મુંબઈ : મુકેશ અંબાણી ( Mukesh Ambani)ની આગેવાની હેઠળની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે (Reliance Industries) તેની 46મી એજીએમ શરૂ કરી છે. 46મી એજીએમને સંબોધતા મુકેશ અંબાણીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે 19 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના દિવસે Jio AirFiber લોન્ચ થશે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ આજે રિલાયન્સની એન્યુઅલ જનરલ મિટિંગમાં જણાવ્યું કે ભારત બહુ ઝડપથી વિકસીત દેશ બનવા તરફ આગળ વધી રહ્યો છે અને 2047 સુધીમાં સંપૂર્ણ વિકસીત દેશ બની જશે. તેમણે આજે પોતાની સ્પીચની શરૂઆતમાં જ ચંદ્રયાન-3ની સફળતાની વાત કરી હતી અને ઈસરોને અભિનંદન પાઠવ્યા હતા. રિલાયન્સના બોર્ડે ઈશા, આકાશ અને અનંત અંબાણીને બોર્ડ ઓફ ડિરેક્ટરમાં નિયુક્ત કરવાની ભલામણ કરી છે જ્યારે નીતા અંબાણી તેમાંથી નીકળી જવાના છે. નીતા અંબાણીએ પોતાનો વધુ સમય રિલાયન્સ ફાઉન્ડેશન માટે ફાળવવાનું નક્કી કર્યું છે.

મુકેશ અંબાણીએ કહ્યું કે Jio Airfiber માટે દરરોજ 150,000 કનેક્શન આપી શકાય છે. તેના લોન્ચિંગની તારીખની જાહેરાત કરતા તેમણે કહ્યું કે Jio Airfiber 19 સપ્ટેમ્બરે લોન્ચ થશે. આ દિવસે ગણેશ ચતુર્થી પણ છે. અત્રે જણાવાનું કે Jio એર ફાઈબર, 5જી નેટવર્ક અને સારી વાયરલેસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઘરો અને ઓફિસોમાં વાયરલેસ બ્રોડબેન્ડ સર્વિસ આપશે. દૂરસંચારના ક્ષેત્રમાં Jio એર ફાઈબર આવવાથી અનેક ફેરફાર જોવા મળી શકે છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના CMD મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે કંપની Jio માટે 1 લાખ કરોડ રૂપિયાના રોકાણનો લક્ષ્યાંક ધરાવે છે. Jio એ ન્યૂ ઈન્ડિયાના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનું પ્રતીક છે અને તેણે તેના ધ્યેય તરફ મોટું પગલું ભર્યું છે. Jio 5G નું રોલઆઉટ એ વિશ્વની કોઈપણ કંપની દ્વારા સૌથી ઝડપી 5G રોલઆઉટ છે.સમય આવી ગયો છે કે વેપારી સમુદાય સાથે મળીને કામ કરીએ જેથી સાથે મળીને આપણે 2047 સુધીમાં ભારતને વિકસિત-સમૃદ્ધ ભારત બનાવી શકીએ.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની સામાન્ય સભામાં મુકેશ અંબાણીએ કહ્યું કે 1 કરોડથી વધુ પરિસર અમારી ઓપ્ટિકલ ફાઈબર સર્વિસ Jio ફાઈબર સાથે જોડાયેલા છે. હજુ પણ લાખો પરિસર એવા છે જ્યાં વાયર કનેક્ટિવટી આપવી મુશ્કેલ છે. Jio એર ફાઈબર આ મુશ્કેલી સરળ બનાવશે. તેના દ્વારા અમે 20 કરોડ ઘરો અને પરિસરો સુધી પહોંચવાની આશા રાખી રહ્યા છીએ. Jio એર ફાઈબર આવવાથી દરરોજ જિયો 1.5 લાખ નવા ગ્રાહકોને જોડી શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...