Tuesday, January 20, 2026

ઓગણજ સર્કલ તોડકાંડમાં પોલીસ સામે હાઇકોર્ટમાં સુઓમોટો દાખલ, CPને વિગતવાર રિપોર્ટ આપવા આદેશ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના બહુચર્ચીત સોલા પોલીસ તોડકાંડનો મામલે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી છે. સોલા પોલીસે કરેલા તોડકાંડને લઈ હાઈકોર્ટે આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. સાથે જ તપાસ રિપોર્ટ રજૂ કરવા પોલીસ કમિશનરને આદેશ કર્યો છે. આગામી સપ્તાહમાં તોડકાંડ મામલે સુનાવણી હાથ ધરાશે.

ઉલ્લેખનીય છે કે આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં પોલીસે કરેલા તોડકાંડનાં પડઘા પડ્યા હતા, ગુજરાત હાઇકોર્ટે તોડકાંડ મામલે સુઓમોટો કોગનીઝન્સ લીધું હતું. ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ પોલીસ કમિશનરને વિગતવાર રિપોર્ટ આપવા આદેશ કર્યો છે. હાઈકોર્ટે કહ્યું કે ટ્રાફિક પોલીસે કરેલું આ કૃત્ય અમાનવીય છે. કોઈ દંપતી કેબમાં જઈ રહી હોય અને આ પ્રકારે ચેકીંગનાં નામે બળજબરી કરવી ચિંતાજનક છે.

સોલામાં થયેલા તોડકાંડ બાદ હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી અમદાવાદ કમિશનરને આદેશ આપ્યા છે..કેટલા પોલીસ કર્મીઓ આ ગુનામાં જોડાયેલા છે તેની તમામ વિગત આપવા અમદાવાદ પોલીસ કમિશનરને કોર્ટે નિર્દેશ કર્યો છે. આ અંગે આગામી દિવસોમાં હાઇકોર્ટમાં સુનાવણી થશે.

તમને જણાવી દઈએ કે અમદાવાદમાં થોડાક દિવસો પહેલાં બોપલના રહેવાસી મિલન કેલા વિદેશ યાત્રા કરીને અમદાવાદ એરપોર્ટથી કેબ કરીને પોતાના ઘરે જઈ રહ્યા હતા, તેમની સાથે તેમની પત્ની અને એક વર્ષનું બાળક હતું. તે દરમ્યાન એસપી રિંગ રોડ પર કેટલાક પોલીસ કર્મીઓએ તેમની કારને રોકાવીને ધમકાવીને બે લાખ રૂપિયાની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે ત્રણેય પોલીસ કર્મીઓએ પોલીસ યુનિફોર્મ પહેરી હતી અને આ વર્દીમાં તેમણે તોડપાણી કર્યો હતો વેપારીને ડરાવી ધમકાવીને 60 હજાર પડાવ્યા હતા. આ મામલે પોલીસે જ ગુનો નોંધીને ત્રણેયની ધરપકડ કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...