Thursday, March 5, 2026

હવે પોલીસ પર રહેશે પોલીસની જ નજર, પોલીસકર્મીઓના તોડકાંડ બાદ માસ્ટર એક્શન પ્લાન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં સોલા વિસ્તારમાં પોલીસ કર્મચારી દ્વારા કરવામાં આવેલ તોડકાંડની નોંધ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરએ ગંભીરતાથી લીધી છે. ફરિયાદમાં વધુ કેટલીક કલમોનો ઉમેરો કરી દાખલારૂપ કાર્યવાહી કરી છે. આ ઘટનાની ગુજરાત હાઈકોર્ટે પણ ગંભીર નોંધ લીધી છે અને સુઓમોટો લેતા પોલીસ પાસે તપાસ રિપોર્ટ માગ્યો છે. ઉપરાંત આગામી સમયમાં આવા કોઈ બનાવોના બને તે માટે હવે પોલીસ ડિકોય ટ્રેપ નું આયોજન કરશે.

બોપલના પરિવારને ખંખેરી લેનારા ત્રણ પોલીસકર્મીઓની કરતુતને કારણે સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટ કલંકિત થયો છે અને પોલીસની છબી ખરડાઈ છે. ત્યારે પોલીસની છબી સુધારવા માટે એકશન પ્લાન તૈયાર કરવામા આવ્યો છે. આ ઘટના બાદ હાઈકોર્ટની નારાજગી અને પોલીસને લઈને ઊભા થયેલા સવાલોને લઈને હવે અધિકારીઓની ખાનગી વોચ શરૂ થઈ છે. સાથે તોડકાંડમા પકડાયેલા ટ્રાફિક પોલીસ કર્મી ASI મુકેશ ચૌધરી,પોલીસ કોન્સ્ટેબલ અશોક ચૌધરી અને ટીઆરબી જવાન વિશાલ સોંલકીના ફરી રિમાન્ડની કાર્યવાહી શરૂ કરી.

જો કે આ પ્રકારના બનાવો આગામી સમયમાં ના બને તે માટે પોલીસ કમિશ્નર દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓને સમયાંતરે ડીકોય કરવા માટેની સૂચના પણ આપવામાં આવી છે. જેમાં પોલીસ ખાનગી વાહનમાં નીકળશે અને જો કોઈ પણ પોલીસ કર્મચારી દ્વારા તેને વાહન ચેકીંગ દરમિયાન રોકીને તેની પાસે રૂપિયાની માંગણી કરશે કે ગેરવર્તણૂક કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. જો કે ડીકોય ટ્રેપ કરવા માટે પોલીસ ખાનગી વ્યક્તિઓની પણ મદદ લેશે.

મહત્વનુ છે કે સોલા પોલીસ તોડકાંડને લઈને પોલીસ કમિશ્નર દ્રારા શહેરમા રાત્રીના સમયે ફરજ બજાવતા પોલીસ જવાનોનુ ચેંકીગ કરવાનો આદેશ આપવામા આવ્યો છે. જેને લઈને હવે પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ પર નજર રાખશે. જેથી પોલીસમા વધી રહેલા તોડકાંડ પર નિયંત્રણ લાવી શકાય.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...