Thursday, March 5, 2026

અમદાવાદીઓને માટે વધુ એક નજરાણું : સાબરમતી રિવરફ્રન્ટ થઈને એરપોર્ટ અને ગાંધીનગર જવું સરળ બનશે

spot_img
Share

અમદાવાદ: અમદાવાદની ઓળખ બની ગયેલા સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો બીજો તબક્કો અત્યંત પુરઝડપે આગળ વધી રહ્યો છે. 850 કરોડ રૂપિયાના ખર્ચે આકાર પામી રહેલા રિવરફ્રન્ટ ફેઝ-2 પ્રોજેક્ટની ઈન્દિરાબ્રિજ સુધી પૂર્ણ થતાની સાથે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના નાગરિકો માટે ગાંધીનગર જવાનું સરળ બનશે.

મીડિયા રિપોર્ટ મુજબ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ બોર્ડની બેઠકમાં વર્તમાન રિવરફ્રન્ટને ઈન્દિરાબ્રિજ સુધી લંબાવવાની અનેક રજૂઆતો થઈ હતી. જેને ધ્યાનમાં લઈને તે મુજબ પ્લાનિંગ અને ડિઝાઈનિંગ કરવામાં આવ્યું છે. રિવરફ્રન્ટ ફેઝ-1 અંતર્ગત પૂર્વ અને પશ્ચિમ કિનારા ઉપર 11.5 કિલોમીટર લંબાઈના રસ્ત સહિતનો વિકાસ કરવામાં આવ્યો છે. વર્તમાન રિવરફ્રન્ટને બીજા ફેઝમાં ઈન્દિરાબ્રિજ સુધી લંબાવવા માટે પૂર્વમાં 5.8 કિલોમીટર અને પશ્ચિમમાં 5.2 કિલોમીટર સુધી ડેવલપ કરાશે. જેનાથી બંને બાજુએ થઈને રિવરફ્રન્ટની લંબાઈ 34 કિલોમીટર થશે.

હાલમાં સાબરમતી રિવરફ્રન્ટના ફેઝ-1માં સુભાષબ્રિજ દશામાંના મંદિર સુધીનો રોડ ડેવલપ કરાયેલો છે. બીજા ફેઝમાં સુભાષબ્રિજ દશામાંના મંદિરથી ઇન્દિરા બ્રિજ સુધી રિવરફ્રન્ટ રોડ તૈયાર કરાશે. રિવરફ્રન્ટ ફેઝ-2 પૂર્ણ થયા બાદ એરપોર્ટ અને ગાંધીનગર તરફ જવાનું અંતર ઘટી જશે. ખાસ કરીને એરપોર્ટ અને ગાંધીનગર તરફના આશ્રમ રોડ અને અન્ય રોડ પર થતો ટ્રાફિક જામ ઘટશે.

નોંધનીય છે કે રિવરફ્રન્ટ ફેઝ-2 પ્રોજેક્ટ સાકાર થશે એટલે વાસણા આંબેડકર બ્રિજથી વાહનચાલકો ઈન્દિરાબ્રિજ મારફતે સડસડાટ ગાંધીનગર પહોંચી શકશે. આ બ્રિજના લીધે આશ્રમરોડ સહિતના અન્ય રોડ પર ટ્રાફિકનું ભારણ ઘટશે. સૌથી અગત્યની વાત કે, રિવરફ્રન્ટ સેકન્ડ ફેઝમાં મોટેરા નજીક પાણીના સંગ્રહ માટે બેરેજ કમ બ્રિજ બનાવાશે, જેની મદદથી પશ્ચિમ વિસ્તારના નાગરિકો સીધા એરપોર્ટ અને ગાંધીનગર જઈ શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...