Thursday, January 22, 2026

અમદાવાદીઓને માટે વધુ એક નજરાણું : સાબરમતી રિવરફ્રન્ટ થઈને એરપોર્ટ અને ગાંધીનગર જવું સરળ બનશે

spot_img
Share

અમદાવાદ: અમદાવાદની ઓળખ બની ગયેલા સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો બીજો તબક્કો અત્યંત પુરઝડપે આગળ વધી રહ્યો છે. 850 કરોડ રૂપિયાના ખર્ચે આકાર પામી રહેલા રિવરફ્રન્ટ ફેઝ-2 પ્રોજેક્ટની ઈન્દિરાબ્રિજ સુધી પૂર્ણ થતાની સાથે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના નાગરિકો માટે ગાંધીનગર જવાનું સરળ બનશે.

મીડિયા રિપોર્ટ મુજબ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ બોર્ડની બેઠકમાં વર્તમાન રિવરફ્રન્ટને ઈન્દિરાબ્રિજ સુધી લંબાવવાની અનેક રજૂઆતો થઈ હતી. જેને ધ્યાનમાં લઈને તે મુજબ પ્લાનિંગ અને ડિઝાઈનિંગ કરવામાં આવ્યું છે. રિવરફ્રન્ટ ફેઝ-1 અંતર્ગત પૂર્વ અને પશ્ચિમ કિનારા ઉપર 11.5 કિલોમીટર લંબાઈના રસ્ત સહિતનો વિકાસ કરવામાં આવ્યો છે. વર્તમાન રિવરફ્રન્ટને બીજા ફેઝમાં ઈન્દિરાબ્રિજ સુધી લંબાવવા માટે પૂર્વમાં 5.8 કિલોમીટર અને પશ્ચિમમાં 5.2 કિલોમીટર સુધી ડેવલપ કરાશે. જેનાથી બંને બાજુએ થઈને રિવરફ્રન્ટની લંબાઈ 34 કિલોમીટર થશે.

હાલમાં સાબરમતી રિવરફ્રન્ટના ફેઝ-1માં સુભાષબ્રિજ દશામાંના મંદિર સુધીનો રોડ ડેવલપ કરાયેલો છે. બીજા ફેઝમાં સુભાષબ્રિજ દશામાંના મંદિરથી ઇન્દિરા બ્રિજ સુધી રિવરફ્રન્ટ રોડ તૈયાર કરાશે. રિવરફ્રન્ટ ફેઝ-2 પૂર્ણ થયા બાદ એરપોર્ટ અને ગાંધીનગર તરફ જવાનું અંતર ઘટી જશે. ખાસ કરીને એરપોર્ટ અને ગાંધીનગર તરફના આશ્રમ રોડ અને અન્ય રોડ પર થતો ટ્રાફિક જામ ઘટશે.

નોંધનીય છે કે રિવરફ્રન્ટ ફેઝ-2 પ્રોજેક્ટ સાકાર થશે એટલે વાસણા આંબેડકર બ્રિજથી વાહનચાલકો ઈન્દિરાબ્રિજ મારફતે સડસડાટ ગાંધીનગર પહોંચી શકશે. આ બ્રિજના લીધે આશ્રમરોડ સહિતના અન્ય રોડ પર ટ્રાફિકનું ભારણ ઘટશે. સૌથી અગત્યની વાત કે, રિવરફ્રન્ટ સેકન્ડ ફેઝમાં મોટેરા નજીક પાણીના સંગ્રહ માટે બેરેજ કમ બ્રિજ બનાવાશે, જેની મદદથી પશ્ચિમ વિસ્તારના નાગરિકો સીધા એરપોર્ટ અને ગાંધીનગર જઈ શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...