Tuesday, January 20, 2026

E challan ભરતા પહેલા સાવધાન ! ખોટી લિંક પર ક્લિક કરવાથી બેંક એકાઉન્ટ થઈ જશે ખાલી, જાણો શું સાવચેતી રાખવી

spot_img
Share

અમદાવાદ : સોશિયલ મીડિયા (Social media) પર ફરતી કોઈપણ લિંક પર ક્લિક કરતા પહેલા 100 વખત વિચારજો. કારણ કે કોઈ ખોટી લિંક પર ક્લિક કરવાથી તમારું બેન્ક એકાઉન્ટ સફાચટ થઈ શકે છે. હાલમાં જ ટ્રાફિક ચલણ ભરવા માટેની એક લિંક ફરતી થઈ છે, જે ખોટી છે. આ લિંક પોલીસના ધ્યાને આવતા પોલીસે સોશિયલ મીડિયા થકી લોકોને સાવચેત કર્યા છે અને સાચી લિંક કઈ છે તેમજ ખોટી લિંક કઈ છે તેની જાણકારી પણ આપી છે.

જો તમારે ઓનલાઈન ચલણ ભરવાનું હોય તો તેની સાચી લિંક “echallan.parivahan.gov.in” છે. આ સિવાયની કોઈપણ લિંક પર ક્લિક ન કરવું. કારણ કે સાયબર ગઠિયાઓ ઈ-ચલણ કૌભાંડ આચરી રહ્યા છે. તેઓ સરકારી વેબસાઈટને મળતી આવે તેવી જ લિંક ફરતી કરતા હોય છે. જેના કારણે લોકો આસાનીથી તેમની જાળમાં ફસાઈ જાય.

શું સાવચેતી રાખવી ?
મેસેજ આવે ત્યારે ખરાઈ કરો કે તે અસલી છે કે નકલી
મેસેજમાં આવેલી લિંક સાચી છે કે ખોટી તે ચકાસો
કોઈપણ પ્રકારની લિંક પર ક્લિક ન કરવું
ચલણ ભરવા માટે ટ્રાફિક પોલીસનો સંપર્ક કરવો
ઓનલાઈન ચલણ ભરવા સાચી વેબસાઈટ પર જવું
ટ્રાફિક પોલીસની સત્તાવાર વેબસાઈટ પર પેમેન્ટ કરો
ખોટી વેબસાઈટ- “echallanparivahan.in”
સાચી વેબસાઈટ- “echallan.parivahan.gov.in”

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...