Tuesday, January 20, 2026

અમદાવાદમાં ફરી AMTS બસે લીધો માસૂમનો જીવ, સાઇકલ સવારને અડફેટે લેતા મોત, લોકોએ બસમાં કરી તોડફોડ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં AMTSની બસો માતેલા સાંઢની જેમ દોડતી હોય છે. BRTS અને AMTS દ્વારા અવારનવાર અકસ્માત સર્જવાની દુર્ઘટના સામે આવતી હોય છે. ત્યારે શહેરમાં ફરી એક વાર AMTS બસે વધુ એક અકસ્માત કર્યો છે. જેમાં એક સાયકલ સવારનું AMTS બસની અડફેટે આવતાં મોત થયું. આ બનાવ બાદ સ્થાનિક લોકોએ બસને રોકીને બસમાં તોડફોડ કરી હતી. આ સમગ્ર બાબત અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં આજે બપોરના સમયે 20 વર્ષના આસરાના યુવક નિલેશભાઈ કનુભાઈ પરમાર સાયકલ લઈને વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે હીરાવાડી નજીક એએમટીએસ બસની તેઓ આવી ગયા હતા અકસ્માત દરમિયાન તેઓ નીચે પડતા હતા તેમને ગંભીર ઈજા થઈ હતી અને ઘટનાસ્થળે તેમનું મોત નીપજ્યું હતું. હીરાવાડી નજીક બનેલા બનાવો સમય આસપાસ લોકો ભેગા થઈ ગયા હતા અને બસને રોકીને બસમાં તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ બનાવ બાદ લોકોમાં ભારે રોષ હતો અને બસના ચાલક સામે કાર્યવાહી થાય તે માટે પોલીસને જાણ કરી હતી. બીજી તરફ બનાવનાર સ્થળે એમ્બ્યુલન્સને જાણ કરતાં 108 ઘટનાસ્થળે આવી હતી અને યુવકને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર બનાવ અંગે હાલ ટ્રાફિક પોલીસે ગુનો નોંધી AMTS ડ્રાઇવરને પકડવા માટે પ્રયાસ શરૂ કર્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...