Monday, January 19, 2026

નવા વાડજની આ સ્કૂલના વિધાર્થીઓની ફેમસ બોટેનિકલ ગાર્ડન સેરેનિટી લાઈબ્રેરીની મુલાકાત

spot_img
Share

અમદાવાદ : શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓને અનૌપચારિક શિક્ષણ મળી રહે તેવો ઉદ્દેશથી નવા વાડજની લાયોનેસ કર્ણાવતી એમ એચ હિન્દી હાયર સેકેન્ડરી સ્કૂલ દ્વારા ગાંધીનગરના ભાટ ખાતે આવેલ બોટેનિકલ ગાર્ડન સેરેનિટી લાઈબ્રેરીનો અનોખો શૈક્ષણિક પ્રવાસ યોજાઈ ગયો, જેમાં નેચર પાર્કમાં વનસ્પતિઓ અને પ્રાણીઓનું મહત્વ સમજવવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના નવા વાડજ ખાતે આવેલ લાયોનેસ કર્ણાવતી એમ એચ હિન્દી હાયર સેકેન્ડરી સ્કૂલ શૈક્ષણિક પ્રવાસ બોટેનિકલ ગાર્ડન સેરેનિટી લાઈબ્રેરી ખાતે યોજાયો.જે અંગે માહિતી આપતા સ્કૂલના શિક્ષક પ્રવિણાબેન સોલંકીએ જણાવ્યું હતું કે બોટેનિકલ ગાર્ડન સેરેનિટી લાઈબ્રેરી એક નેચર પાર્ક છે.જેમાં વનસ્પતિઓ અને પ્રાણીઓનું અધ્યયન કરવામાં આવે છે. પ્રવાસ દરમ્યાન વિદ્યાર્થીઓએ ત્યાં અવનવાં વેલ, છોડ, વૃક્ષ, ઔષધીય છોડ જોયા અને એમનું મહત્વ જાણ્યું હતું. બટરફ્લાય ગાર્ડન, પુસ્તકાલય, એકવેરીયમ,સાંપ, વીંછીની વિવિધ પ્રજાતિઓ વિશે જાણ્યું હતું.પરાગણ અને બીજ પ્રકર્ણન લાઈવ બતાવામાં આવ્યું હતું.

તેઓએ વધુમાં જણાવ્યું હતું સેરેનિટી લાયબ્રેરી આ પ્રવાસ માટે વિદ્યાર્થીઓને લાવવા મુકવા બસની સગવડ આપે છે. કુશલ અને અનુભવી ગાઈડ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરાવીને વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવે છે. જે બદલ શાળા પરિવાર બોટેનિકલ ગાર્ડન સેરેનિટી લાઈબ્રેરીનો આભાર મને છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...