Tuesday, September 16, 2025

અમદાવાદમાં કંઈક મોટું કરવાની ફિરાકમાં હતા ? LCB સ્કોર્ડનો સપાટો, 6 મોતના સોદાગરોની ધરપકડ

Share

Share

અમદાવાદ : અમદાવાદમાં તહેવારો પૂર્વે જ શસ્ત્રોનો મોટો જથ્થો પકડાતા પોલીસ ચોંકી ઉઠી છે. હવે આ શસ્ત્રો પકડાયા છે તો તેનો ઉપયોગ શેનો હતો, અમદાવાદમાં કોઈ ગેંગવોરની તૈયારી ચાલી રહી છે કે શહેરમાં કંઈક મોટું કરી અશાંતિનું આયોજન છે, ભાંગફોડનું કાવતરું છે, તે બધા પાસા પર પોલીસ ચકાસણી કરી રહી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ઝોન-7 LCB સ્કોર્ડ પોલીસની ગીરફતમાં ઉભેલા આ તમામ આરોપી મોતના સોદાગરો છે. આરોપી શાહનવાઝ શેખ, સમીર પઠાણ, ફરાન પઠાણ, ઉઝેર પઠાણ, ઝાહીદ પઠાણ અને શાહરૂખ પઠાણ છે. એલસીબીની ટીમને વિશાલ હોટલ નજીક એક બાતમી મળી હતી કે એક વ્યક્તિ હથિયાર લઈને આવી રહ્યો છે જેના આધારે શાહનવાઝ એક હથિયાર અને કારટીસ સાથે પકડ્યો. જેની તપાસ બાદ સમીરનું નામ સામે આવ્યું અને આ હથિયાર લીધા હોવાનું શાહનવાઝ એ કબૂલાત કર્યું. સમીરે બીજા 9 હથિયાર ફરાન પઠાણ પાસે હોવાની કબૂલાત કરી. જેથી LCBએ ફરાન સુધી પહોંચી અન્ય 3 લોકો પાસે પહોંચી આખા નેટવર્કનો ખુલાસો કરી અન્ય 3 લોકો ને હથિયાર સાથે ઝડપી પાડ્યા હતા.

આરોપીઓ આ શસ્ત્રો મધ્યપ્રદેશના આફતાબ પાસેથી મેળવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કેટલીક પિસ્ટલ પર Made IN Japan અને USA લખેલું છે. જોકે તમામ શસ્ત્રો ફેક્ટરી મેઈડ હોવાનું હાલની તપાસમાં જણાઈ રહ્યું છે. તે સિવાય આરોપીઓ શસ્ત્રો વેચાતા લીધા હોવાનું રટણ પોલીસ સમક્ષ કરી રહ્યા છે. બીજી તરફ જન્માષ્ટમીના તહેવારમાં જ શસ્ત્રો પકડાતા તેઓકોઈ મોટી ભાંગફોડ કરવાનો ઈરાદો ધરાવતા હોવાની શંકા પોલીસ નકારતી નથી. હવે પોલીસ પુછપરછમાં લાલ આંખ કરશે ત્યારે સાચી માહિતી બહાર આવશે. પોલીસે આરોપીઓને ઝડપી લેવા 36 કલાક સુધી રિક્ષાચાલક અને ફેરીયાના સ્વાંગમાં રેકી કરી હતી.

નોંધનીય છે કે આફતાબની ધરપકડ બાદ હથિયારનું દેશ વ્યાપી કનેક્શન સામે આવે તેમ છે. સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે ઝડપાયેલા આરોપી આ હથિયાર ખરીદવા પાછળનો ઉદ્દેશ શુ હતો. જેને લઈ પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...