Wednesday, January 21, 2026

અમદાવાદમાં કંઈક મોટું કરવાની ફિરાકમાં હતા ? LCB સ્કોર્ડનો સપાટો, 6 મોતના સોદાગરોની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં તહેવારો પૂર્વે જ શસ્ત્રોનો મોટો જથ્થો પકડાતા પોલીસ ચોંકી ઉઠી છે. હવે આ શસ્ત્રો પકડાયા છે તો તેનો ઉપયોગ શેનો હતો, અમદાવાદમાં કોઈ ગેંગવોરની તૈયારી ચાલી રહી છે કે શહેરમાં કંઈક મોટું કરી અશાંતિનું આયોજન છે, ભાંગફોડનું કાવતરું છે, તે બધા પાસા પર પોલીસ ચકાસણી કરી રહી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ઝોન-7 LCB સ્કોર્ડ પોલીસની ગીરફતમાં ઉભેલા આ તમામ આરોપી મોતના સોદાગરો છે. આરોપી શાહનવાઝ શેખ, સમીર પઠાણ, ફરાન પઠાણ, ઉઝેર પઠાણ, ઝાહીદ પઠાણ અને શાહરૂખ પઠાણ છે. એલસીબીની ટીમને વિશાલ હોટલ નજીક એક બાતમી મળી હતી કે એક વ્યક્તિ હથિયાર લઈને આવી રહ્યો છે જેના આધારે શાહનવાઝ એક હથિયાર અને કારટીસ સાથે પકડ્યો. જેની તપાસ બાદ સમીરનું નામ સામે આવ્યું અને આ હથિયાર લીધા હોવાનું શાહનવાઝ એ કબૂલાત કર્યું. સમીરે બીજા 9 હથિયાર ફરાન પઠાણ પાસે હોવાની કબૂલાત કરી. જેથી LCBએ ફરાન સુધી પહોંચી અન્ય 3 લોકો પાસે પહોંચી આખા નેટવર્કનો ખુલાસો કરી અન્ય 3 લોકો ને હથિયાર સાથે ઝડપી પાડ્યા હતા.

આરોપીઓ આ શસ્ત્રો મધ્યપ્રદેશના આફતાબ પાસેથી મેળવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કેટલીક પિસ્ટલ પર Made IN Japan અને USA લખેલું છે. જોકે તમામ શસ્ત્રો ફેક્ટરી મેઈડ હોવાનું હાલની તપાસમાં જણાઈ રહ્યું છે. તે સિવાય આરોપીઓ શસ્ત્રો વેચાતા લીધા હોવાનું રટણ પોલીસ સમક્ષ કરી રહ્યા છે. બીજી તરફ જન્માષ્ટમીના તહેવારમાં જ શસ્ત્રો પકડાતા તેઓકોઈ મોટી ભાંગફોડ કરવાનો ઈરાદો ધરાવતા હોવાની શંકા પોલીસ નકારતી નથી. હવે પોલીસ પુછપરછમાં લાલ આંખ કરશે ત્યારે સાચી માહિતી બહાર આવશે. પોલીસે આરોપીઓને ઝડપી લેવા 36 કલાક સુધી રિક્ષાચાલક અને ફેરીયાના સ્વાંગમાં રેકી કરી હતી.

નોંધનીય છે કે આફતાબની ધરપકડ બાદ હથિયારનું દેશ વ્યાપી કનેક્શન સામે આવે તેમ છે. સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે ઝડપાયેલા આરોપી આ હથિયાર ખરીદવા પાછળનો ઉદ્દેશ શુ હતો. જેને લઈ પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...