Tuesday, January 13, 2026

જૈનોના પવિત્ર તહેવાર પયુર્ષણ પર્વને લઈને કતલખાના બંધ રાખવા જાહેરનામું

spot_img
Share

અમદાવાદ : આજથી એટલે 12 સપ્ટેમ્બરથી જૈન ધર્મના પયુર્ષણ પર્વ શરૂ થઈ રહ્યો છે. પયુર્ષણ પર્વ દરમિયાન કોઈપણ પ્રકારની હિંસા ન થાય તેને લઈને કતલખાના બંધ રાખવામાં આવતા હોય છે. જેના પગલે 12થી 19 સપ્ટેમ્બર સુધી અને દિગંબર જૈન સમાજના પયુર્ષણ પર્વની ધૂપ દશમ 24 સપ્ટેમ્બર તેમજ સંવત્સરી 28 સપ્ટેમ્બરના રોજ હોવાથી આ દિવસો દરમિયાન AMCના તમામ કતલખાના બંધ રહેશે.

પ્રાપ્ત વિગતો મુજબ આજથી 12 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર દરમિયાન જૈન ધર્મના મહાપર્યુષણ પર્વ પ્રસંગ તથા 24મી સપ્ટેમ્બરે દિગંબર જૈન સમાજના પર્યુષણની ધૂપ દશમ તથા 28મી સંત્વસરી હોવાથી આ તમામ દિવસો દરમિયાન AMC ના તમામ કતલખાના બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઠરાવ 24 ઓગસ્ટ 2023ના રોજ સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ કરવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરના નવા મેયરની નિમણૂક બાદ બોર્ડ પુરું થતાં સ્ટેન્ડિંગ કમિટીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે આ અગાઉ રાજ્યના મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી કે જૈન ધર્મના અતિ પવિત્ર પર્યુષણ પર્વ નિમિતે આગામી તા.12ના મંગળવારથી તા.20ના બુધવાર સુધીનું જાહેરનામું બહાર પાડ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....