Wednesday, March 11, 2026

જૈનોના પવિત્ર તહેવાર પયુર્ષણ પર્વને લઈને કતલખાના બંધ રાખવા જાહેરનામું

spot_img
Share

અમદાવાદ : આજથી એટલે 12 સપ્ટેમ્બરથી જૈન ધર્મના પયુર્ષણ પર્વ શરૂ થઈ રહ્યો છે. પયુર્ષણ પર્વ દરમિયાન કોઈપણ પ્રકારની હિંસા ન થાય તેને લઈને કતલખાના બંધ રાખવામાં આવતા હોય છે. જેના પગલે 12થી 19 સપ્ટેમ્બર સુધી અને દિગંબર જૈન સમાજના પયુર્ષણ પર્વની ધૂપ દશમ 24 સપ્ટેમ્બર તેમજ સંવત્સરી 28 સપ્ટેમ્બરના રોજ હોવાથી આ દિવસો દરમિયાન AMCના તમામ કતલખાના બંધ રહેશે.

પ્રાપ્ત વિગતો મુજબ આજથી 12 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર દરમિયાન જૈન ધર્મના મહાપર્યુષણ પર્વ પ્રસંગ તથા 24મી સપ્ટેમ્બરે દિગંબર જૈન સમાજના પર્યુષણની ધૂપ દશમ તથા 28મી સંત્વસરી હોવાથી આ તમામ દિવસો દરમિયાન AMC ના તમામ કતલખાના બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઠરાવ 24 ઓગસ્ટ 2023ના રોજ સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ કરવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરના નવા મેયરની નિમણૂક બાદ બોર્ડ પુરું થતાં સ્ટેન્ડિંગ કમિટીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે આ અગાઉ રાજ્યના મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી કે જૈન ધર્મના અતિ પવિત્ર પર્યુષણ પર્વ નિમિતે આગામી તા.12ના મંગળવારથી તા.20ના બુધવાર સુધીનું જાહેરનામું બહાર પાડ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...