Saturday, April 25, 2026

જૈનોના પવિત્ર તહેવાર પયુર્ષણ પર્વને લઈને કતલખાના બંધ રાખવા જાહેરનામું

spot_img
Share

અમદાવાદ : આજથી એટલે 12 સપ્ટેમ્બરથી જૈન ધર્મના પયુર્ષણ પર્વ શરૂ થઈ રહ્યો છે. પયુર્ષણ પર્વ દરમિયાન કોઈપણ પ્રકારની હિંસા ન થાય તેને લઈને કતલખાના બંધ રાખવામાં આવતા હોય છે. જેના પગલે 12થી 19 સપ્ટેમ્બર સુધી અને દિગંબર જૈન સમાજના પયુર્ષણ પર્વની ધૂપ દશમ 24 સપ્ટેમ્બર તેમજ સંવત્સરી 28 સપ્ટેમ્બરના રોજ હોવાથી આ દિવસો દરમિયાન AMCના તમામ કતલખાના બંધ રહેશે.

પ્રાપ્ત વિગતો મુજબ આજથી 12 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર દરમિયાન જૈન ધર્મના મહાપર્યુષણ પર્વ પ્રસંગ તથા 24મી સપ્ટેમ્બરે દિગંબર જૈન સમાજના પર્યુષણની ધૂપ દશમ તથા 28મી સંત્વસરી હોવાથી આ તમામ દિવસો દરમિયાન AMC ના તમામ કતલખાના બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઠરાવ 24 ઓગસ્ટ 2023ના રોજ સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ કરવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરના નવા મેયરની નિમણૂક બાદ બોર્ડ પુરું થતાં સ્ટેન્ડિંગ કમિટીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે આ અગાઉ રાજ્યના મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી કે જૈન ધર્મના અતિ પવિત્ર પર્યુષણ પર્વ નિમિતે આગામી તા.12ના મંગળવારથી તા.20ના બુધવાર સુધીનું જાહેરનામું બહાર પાડ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...