Monday, September 15, 2025

નવું વાહન ખરીદશો તો હવે નંબર પ્લેટ સાથે જ મળશે, TC નંબર સિસ્ટમ થઈ દૂર, જાણો નવા નિયમો

Share

Share

અમદાવાદ : હવેથી નંબર પ્લેટ (number plate) આવ્યા બાદ જ મળશે ખરીદેલુ વાહન (Vehicle registration) તમને મળી શકશે. નવા વાહનોમાં TC નંબર સિસ્ટમ દૂર કરવામાં આવી છે. Rto પાસેથી કામ લઈને ડીલરોને સોંપાતા નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલા વાહન ખરીદી ટીસી નંબર આપી વાહન આપી દેવાતા હતા. હવે વાહન રજિસ્ટ્રેશન થયા બાદ અને તમામ ટેક્સ ભર્યા બાદ સીધો નવો નંબર આપીને જ નંબર સાથે વાહન આપવામાં આવશે.

પ્રાપ્ત અહેવાલો પ્રમાણે, RTO પાસેથી કામ લઈને ડીલરને પહેલા નંબર સોંપવામાં આવતા હતા. સાથે જ RTOમાં લોકોને વાહનની નંબર પ્લેટ ફિટિંગનો ધક્કો ઊભો રહેતો હતો. હવે આ કામગીરી ડિલર્સને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આવતીકાલે એટલે કે 14 સપ્ટેમ્બરથી જ આ નિયમ લાગુ કરી દેવામાં આવશે. હવે ગુજરાતમાં નવું વાહન નંબર પ્લેટ લાગ્યા બાદ જ માલિકને મળશે. હવેથી નંબર મેળવવાનું અને નંબર પ્લેટ લગાવવાનું કામ ડિલર્સ દ્વારા જ કરવામાં આવશે. વાહન ચાલકોને નંબર પ્લેટના કામો માટે RTOમાં ખાવા પડતા ધક્કાઓથી હવે મુક્તિ મળશે.

અગાઉ નંબરની ફાળવણી RTOમાં થતી હતી. હવે ડિલર્સ કક્ષાએથી જ નંબર ફાળવણીની પ્રક્રિયા કરવામાં આવશે જેથી નંબર ફાળવણી માટેની RTOની કામગીરી ઝડપી બનશે તેવો અંદાજ છે. RTO હવે દસ્તાવેજોની ચકાસણી તથા કાયદા પ્રમાણે થતી ફી અને ટેક્સ ભર્યા છે કે નહીં તે કામગીરી વધારે ક્ષમતાથી કરી શકશે. હવે તમે જે શોરૂમથી વાહન ખરીદશો ત્યાં જ નંબર પ્લેટ પણ લગાવી અપાશે. નંબર પ્લેટ વગર વાહન રોડ પર ફેરવી શકાશે જ નહીં.જો નંબર પ્લેટ વગરનું નવું વાહન બહાર ફરતું મળશે તો ડિલર પર પણ કાર્યવાહી થઈ શકે છે. તેવી તાકીદ પણ કરાઈ છે. જેમાં સસ્પેન્શનથી લઈ ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હશે તો ફરિયાદ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે.

જોકે બીજી તરફ વાહનોના ડિલરોએ નવી પદ્ધતિનો વિરોધ કર્યો છે. થોડા દિવસ અગાઉ જ ડિલર એસોશિએશન દ્વારા આ નિયમના વિરોધમાં પિટિશન ફાઇલ કરવામાં આવી છે. ત્યારે હવે નવી જાહેરાત અને આવતી કાલથી લાગુ થનારા નવા નિયમથી ડિલરો અળગા રહી શકે છે. ડીલર એસોસિએશન દ્વારા આગામી સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...