Monday, January 19, 2026

દૂધેશ્વર બ્રિજ પરથી 30 વર્ષીય યુવકે નદીમાં ઝંપલાવ્યું, રેસ્ક્યુ ટીમ પહોંચે પહેલા ઘટનાસ્થળે મોત

spot_img
Share

અમદાવાદ : સાબરમતી નદી એ અમદાવાદનો સ્યુસાઈડ પોઈન્ટ બની હોય તેવી રીતે રોકેટ ગતિએ મોતની છલાંગના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં વધુ એક ગોઝારી ઘટનામાં એક યુવકે સાબરમતી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. રિવર રેસ્કયુ ટીમ દ્વારા યુવકને બચાવવા પ્રયત્ન કર્યો હતો પરંતુ, યુવકનું મોત થઈ ગયું છે. આ યુવકનો મૃતદેહ બોટમાં લઈને કિનારા પાસે લાવવામાં આવ્યો છે. જોકે, હજુ સુધી આ યુવકની ઓળખ થઈ નથી. રિવરફ્રન્ટ પોલીસે હાલ કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના દૂધેશ્વર બ્રિજ પરથી આશરે 30 વર્ષીય યુવકે સાબરમતી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. રીક્ષામાં આવેલ આ યુવકે અગમ્ય કારણોસર સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતું અને નદીમાં પડતા જ યુવક ડૂબવા લાગ્યો હતો. આ ઘટના ઘટતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે જમા થઈ ગયા હતા અને તુરંત જ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગ દ્વારા રીવર રેસક્યુ ટીમને જાણ કરવામાં આવી હતી અને તેઓએ નદીમાંથી બોટમાં યુવકને બેભાન અવસ્થામાં બહાર કાઢ્યો હતો.

​​​​​​​જોકે, 108 દ્વારા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. જોકે, યુવક પાસેથી તેની ઓળખ થાય તેવા કોઈ ડોક્યુમેન્ટ મળ્યા નથી. બ્રિજ પરથી જ યુવકે છલાંગ લગાવતા બ્રિજ પર પણ લોકોના ટોળા ભેગા થયા હતા, જેના કારણે બ્રિજ પર પણ ભારે ટ્રાફિકજામ થયો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...