Wednesday, March 11, 2026

દૂધેશ્વર બ્રિજ પરથી 30 વર્ષીય યુવકે નદીમાં ઝંપલાવ્યું, રેસ્ક્યુ ટીમ પહોંચે પહેલા ઘટનાસ્થળે મોત

spot_img
Share

અમદાવાદ : સાબરમતી નદી એ અમદાવાદનો સ્યુસાઈડ પોઈન્ટ બની હોય તેવી રીતે રોકેટ ગતિએ મોતની છલાંગના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં વધુ એક ગોઝારી ઘટનામાં એક યુવકે સાબરમતી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. રિવર રેસ્કયુ ટીમ દ્વારા યુવકને બચાવવા પ્રયત્ન કર્યો હતો પરંતુ, યુવકનું મોત થઈ ગયું છે. આ યુવકનો મૃતદેહ બોટમાં લઈને કિનારા પાસે લાવવામાં આવ્યો છે. જોકે, હજુ સુધી આ યુવકની ઓળખ થઈ નથી. રિવરફ્રન્ટ પોલીસે હાલ કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના દૂધેશ્વર બ્રિજ પરથી આશરે 30 વર્ષીય યુવકે સાબરમતી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. રીક્ષામાં આવેલ આ યુવકે અગમ્ય કારણોસર સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતું અને નદીમાં પડતા જ યુવક ડૂબવા લાગ્યો હતો. આ ઘટના ઘટતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે જમા થઈ ગયા હતા અને તુરંત જ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગ દ્વારા રીવર રેસક્યુ ટીમને જાણ કરવામાં આવી હતી અને તેઓએ નદીમાંથી બોટમાં યુવકને બેભાન અવસ્થામાં બહાર કાઢ્યો હતો.

​​​​​​​જોકે, 108 દ્વારા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. જોકે, યુવક પાસેથી તેની ઓળખ થાય તેવા કોઈ ડોક્યુમેન્ટ મળ્યા નથી. બ્રિજ પરથી જ યુવકે છલાંગ લગાવતા બ્રિજ પર પણ લોકોના ટોળા ભેગા થયા હતા, જેના કારણે બ્રિજ પર પણ ભારે ટ્રાફિકજામ થયો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...