Saturday, January 24, 2026

નવા વાડજની શાંતિ જુનિયર્સ પ્રિ સ્કૂલ ખાતે ગ્રાન્ડ પેરેન્ટસ ડેની અનોખી ઉજવણી

spot_img
Share

અમદાવાદ : શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલ શાંતિ જુનિયર્સ પ્રિ સ્કૂલ ખાતે ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે ઉજવવામાં આવ્યો હતો. ગ્રાન્ડ પેરેન્ટસ અને ગ્રાન્ડ ચિલ્ડ્રન વચ્ચેનો નાતો ખૂબ જ જાદુઈ અને અનોખો હોય છે. આ સંબંધોમાં સુંદર મૈત્રીભાવ હોય છે, જેને ઉંમર કે જનરેશન ગેપ નડતી નથી અને પ્રેમને આધારે એક બીજાની કદર કરાતી હોય છે. આમ છતાં નવા યુગના બાળકો ગેઝેટસ અને સોશ્યલ મિડિયાથી એટલા પ્રવૃત્ત થઈ ગયા છે કે પોતાના દાદા-દાદી માટે હવે વધુ સમય ફાળવી શકતા નથી. બાળકો સાથે દાદા-દાદીનો નાતો જળવાઈ રહે તે માટે શાંતિ જુનિયર્સ પ્રિ સ્કૂલ દ્વારા ગ્રાન્ડ પેરેન્ટસ ડે પ્રસંગે મોજમસ્તીનું આયોજન કરાયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ નવા વાડજ વિસ્તારમાં આવેલ શાંતિ જુનિયર્સ પ્રિ સ્કૂલ ખાતે ગ્રાન્ડ પેરેન્ટ ડેની ઉજવણી કરવામાં આવી. નવા વાડજમાં વ્યાસવાડીથી એસબીઆઈ બેન્ક તરફ જવાના રોડ પર આવેલ શાંતિ જુનિયર્સ પ્રિ સ્કૂલ ખાતે ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓનાં દાદા-દાદીને આમંત્રિત કરવામાં આવ્યા હતા. દરેક વિદ્યાર્થીએ કપાળ પર તિલક, ચોખા લગાવીને અને ફૂલો અર્પણ કરીને પોતાના દાદા-દાદીનું સ્વાગત કર્યું હતું અને દાદા-દાદીના આશીર્વાદ લીધા હતા.

આ પ્રસંગે આમંત્રિત વડીલોએ વિદ્યાર્થીઓને વાર્તા અને ગીતો દ્વારા પ્રોત્સાહિત કર્યા હતા.વડીલોએ પોતાના પૌત્રો સાથે રમતો રમીને આનંદ કર્યો હતો. વિધાર્થીઓ તેઓની સાથે અંતાક્ષરી, કાગળના કપ વડે પિરામિડ બનાવવા, બાસ્કેટ વડે બોલ પકડવા વગેરે રમી ખુબ આનંદ માણ્યો હતો. વિદ્યાર્થીઓએ દાદા-દાદી સાથે વિવિધ રમતોની મોજ માણી હતી. વિદ્યાર્થીઓએ પોતે બનાવેલ કાર્ડ દ્વારા દાદા-દાદીનું સન્માન કરવામાં આવ્યું હતું.અંતે સ્કૂલ પરિવાર દ્વારા બનાવેલ સ્મૃતિ ચિહ્ન આપીને પ્રેમનું પ્રતીક અર્પણ કર્યું હતું.આ ઉપરાંત સુંદર ફ્રેમ જ્યાં તેઓ ફોટોગ્રાફ્સ ક્લિક કરી શકે છે અને તેમના પૌત્રો સાથે મેમરી બનાવી શકે છે.

આ પ્રસંગે શાંતિ જુનિયર્સ પ્રિ સ્કૂલના નિશાબેન ડાભીએ જણાવ્યું કે નાના બાળકો માટે દાદા દાદી જે કરે છે તે કોઈ કરી શકતું નથી. દાદા દાદી નાના બાળકોના જીવન પર સ્ટારડસ્ટનો છંટકાવ કરે છે. ક્યારેક આપણા દાદીમા અને દાદાજી ગ્રાન્ડ-એન્જલ્સ જેવા હોય છે. જે અમૂલ્ય વિશેષાધિકારને જાણતું નથી તે કોઈ પણ વ્યક્તિ કદાચ સમજી શકશે નહીં કે જ્યાં દાદા-દાદી હોય તેવા ઘરમાં ઉછરવું કેવું સૌભાગ્ય છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...