Monday, January 19, 2026

ક્રિકેટ રસિયાઓ સાવધાન ! ભારત Vs પાકિસ્તાન મેચની ટિકિટની સોશિયલ મીડિયા પર ખરીદવા જતા છેતરપિંડી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી ભારત Vs પાકિસ્તાનની મેચ માટે ક્રિકેટ રસિયાઓ કોઈ પણ ભોગે ટિકિટ ખરીદવા તૈયાર થઈ રહ્યા છે. તો સામે આવા ક્રિકેટ પ્રેમીઓને ચૂનો લગડનારાં પણ સક્રિય થઈ ગયા. વિદ્યાર્થીઓ ઈન્સ્ટાગ્રામ પર ભારત Vs પાકિસ્તાનની ટિકિટ ખરીદી કરવા ગયા અને છેતરાયા. જેથી છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળતા તેણે ફરિયાદ દાખલ કરાવી છે. હવે ખોટા આઈડી, ઇ-મેઇલ અને ટિકિટ દ્વારા લોકો પાસેથી પૈસા પડાવવાનો નવો કિમિયો જોવા સામે આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર PDPU કોલેજમાં અભ્યાસ કરતા રવિ તેજા પદ્મા નામના યુવકે સાયબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. રવિ તેજાના મિત્ર નીલ પટેલના ઇસ્ટાગ્રામ આઇડીમાં આવેલી એક રીલમાં ભારત Vs પાકિસ્તાનની મેચની ઓનલાઇન ટીકિટ માટેની જાહેર ખબર આવી હતી. જેના પર મેસેજ કરીને ટીકિટ બાબતે મેસેજ દ્વારા પૂછપરછ કરતા તેણે એક ટીકિટના 3500 રૂપિયા ભાવ હોવાનું કહ્યું હતું. જો કે, ફરિયાદીએ 6 ટીકિટ લેવાની તૈયારી દર્શાવતા ગઠિયાએ 6 ટીકિટના 21 હજાર રૂપિયા માંગ્યા હતા અને કહ્યું હતું કે પ્રથમ 25 ટકા ભર્યા બાદ ઓનલાઇન ટીકિટ ઇમેઇલ દ્વારા મળશે અને ત્યારબાદ બીજી 50 ટકા રકમ ભર્યા બાદ ટીકિટ પોસ્ટ દ્વારા તમારા એડ્રેસ પર મોકલી આપવામાં આવશે. જ્યારે ટીકિટ મળી ગયા બાદ બાકીની 25 ટકા રકમ ચુકવવા માટે કહ્યું હતું.

ગઠિયાએ ઇસ્ટાગ્રામ પર વીડિયો કોલ કરીને ટીકિટ પણ બતાવી હતી. જેથી ફરિયાદીને વિશ્વાસ આવતા તેણે 25 ટકા રકમ એટલે કે 5250 રૂપિયા ગૂગલ પે કરી આપ્યા હતાં. જેથી ગઠિયાએ 6 ટીકિટ ઇમેઇલ મારફતે મોકલી આપી હતી. પરંતુ ફરિયાદીએ QR કોડ સ્કેન કરીને ચેક કરતા QR કોડ સ્કેન થયો નહતો. જેથી ફરિયાદીને તેની સાથે છેતરપિંડી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, બાકીના પેમેન્ટ માટે ગઠિયાએ ફરિયાદીને મેસેજ અને વીડિયો કોલ કરીને જાણ કરતાં ફરિયાદી એ QR કોડ સ્કેન થતો નથી તેમ કહ્યું હતું. ત્યારબાદ ગઠિયાએ તેને કોઈ મેસેજ કે વીડિયો કોલ કર્યો નહોતો. જે અંગે ફરિયાદીએ પોલીસને જાણ કરતાં સાયબર ક્રાઇમએ ફરીયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...