Wednesday, March 4, 2026

SG હાઇવે પર વધુ એક અકસ્માત, સોલા હાઈકોર્ટ બ્રિજ પર કાર ચાલકની ટક્કરથી યુવકનું મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં SG હાઇવે પર અકસ્માતોના આંકડા વધી રહ્યાં છે. ઈસ્કોન બ્રિજ પર થયેલા ગોઝારા અકસ્માત બાદ SG હાઇવે લોકો માટે મોતનો હાઈવે બની રહ્યો છે.બેફામ ડ્રાઈવિંગના કારણે અવાર નવાર માસૂમ લોકોના મોત થવાના કિસ્સાઓ સામે આવતો હોય છે, ત્યારે SG હાઇવે તો જાણે નબીરાઓ માટે બેફામ ડ્રાઈવ કરવાનો રસ્તો હોય તેમ અવાર નવાર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. વધુ એક વખત SG હાઇવે પર સોલા હાઇકોર્ટ સામેના બ્રિજ પર અકસ્માત સર્જાયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના SG હાઇવે પર સોલા હાઇકોર્ટ સામેના બ્રિજ પર એક કાર ચાલકે યુવકને ટક્કર મારતા યુવકનું કમકમાટી ભર્યું મોત થયું છે. આ સમગ્ર મામલે કાર ચાલકની ટ્રાફિક પોલીસે અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. મૃતક યુવક ઉત્તરપ્રદેશના બુલંદ શહેરથી 15 દિવસ પહેલા જ અમદાવાદ આવ્યો હતો. આમ વધુ એક વખત SG હાઇવે પર અકસ્માત બાદ તંત્રની કામગીરી પર સવાલો ઉભા થઇ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ અગાઉ SG હાઇવે પર આવેલા પકવાન બ્રિજ પર આઈસર ટ્રક અને ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં આઈસર ટ્રકનું ટાયર ફાટતા રોડની એક તરફ લઈ જતી વખતે ટ્રાવેલ્સ બસ ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતને કારણે ડિવાઈડર પર આવેલા લાઈટનો થાંભલો ધરાશાયી થયો છે. અત્રે જણાવી કે, આ અગાઉ પણ SG હાઇવે પર તથ્ય પટેલે સર્જેલો અકસ્માત સહિત અનેક બનાવો બન્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...