Wednesday, January 21, 2026

IND VS PAK : ભારતની ભવ્ય જીત, અમદાવાદમાં દિવાળી જેવો માહોલ, ઠેર-ઠેર આતશબાજી, ઠેરઠેર ઉજવણી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં શનિવારે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IND vs PAK વચ્ચે મહામુકાબલો ખેલાયો હતો. જેમાં પાકિસ્તાન સામે ભારતીય ટીમની ભવ્ય જીત થઈ છે. આ જીત સાથે ગુજરાતમાં નવરાત્રિ સાથે દિવાળી જેવા માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, સુરત સહિત રાજ્યભરમાં ફટાકડાં ફોડી ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IND vs PAK વચ્ચે મહામુકાબલાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાકિસ્તાનની ભૂંડી હાર થઈ હતી. ત્યારે અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં ઉજવણી કરવામાં આવી હતી અને ઠેર ઠેર ટ્રાફીક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. શહેરના નારણપુરા વિસ્તારમાં ધારાસભ્ય જીતુભાઈ પટેલની આગેવાનીમાં અંકુર ચાર રસ્તા પાસે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ફટાકડા દ્વારા ભવ્ય આતબાજીનો કાર્યક્ર્મ યોજાયો હતો. આ ઉપરાંત અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય અમીત શાહ દ્વારા તેમના મતવિસ્તાર એલીસબ્રીજ વિધાનસભામાં ભારતની જીતની ઉજવણી કરવામાં આવી હતી.

અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં ભારતના ભવ્ય જીતની ઉજવણી કરતાં એસપી રીંગ રોડથી એસજી હાઇવે તરફનો સિંધુભવન રોડ પર ચક્કાજામથી ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતાં.આ ઉપરાંત શહેરના પુર્વ વિસ્તાર ખાડિયામાં પણ પૂર્વ ધારાસભ્ય અને શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટની આગેવાનીમાં પણ લોકોએ ફટાકડા ફોડી ભારતના ભવ્ય જીતની ઉજવણી કરી હતી. આ ઉપરાંત સરસપુર, બાપુનગર સહિતના વિસ્તારોમાં લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ભારત અને પાકિસ્તાનની મેચ જોવા સ્ટેડિયમમાં ગયા હતા. ભારતની શાનદાર જીત બાદ મુખ્યમંત્રીએ X(ટ્વિટર) પર ભારતીય ટીમના ખેલાડીઓ અને દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...