Thursday, March 5, 2026

IND VS PAK : ભારતની ભવ્ય જીત, અમદાવાદમાં દિવાળી જેવો માહોલ, ઠેર-ઠેર આતશબાજી, ઠેરઠેર ઉજવણી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં શનિવારે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IND vs PAK વચ્ચે મહામુકાબલો ખેલાયો હતો. જેમાં પાકિસ્તાન સામે ભારતીય ટીમની ભવ્ય જીત થઈ છે. આ જીત સાથે ગુજરાતમાં નવરાત્રિ સાથે દિવાળી જેવા માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, સુરત સહિત રાજ્યભરમાં ફટાકડાં ફોડી ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IND vs PAK વચ્ચે મહામુકાબલાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાકિસ્તાનની ભૂંડી હાર થઈ હતી. ત્યારે અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં ઉજવણી કરવામાં આવી હતી અને ઠેર ઠેર ટ્રાફીક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. શહેરના નારણપુરા વિસ્તારમાં ધારાસભ્ય જીતુભાઈ પટેલની આગેવાનીમાં અંકુર ચાર રસ્તા પાસે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ફટાકડા દ્વારા ભવ્ય આતબાજીનો કાર્યક્ર્મ યોજાયો હતો. આ ઉપરાંત અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય અમીત શાહ દ્વારા તેમના મતવિસ્તાર એલીસબ્રીજ વિધાનસભામાં ભારતની જીતની ઉજવણી કરવામાં આવી હતી.

અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં ભારતના ભવ્ય જીતની ઉજવણી કરતાં એસપી રીંગ રોડથી એસજી હાઇવે તરફનો સિંધુભવન રોડ પર ચક્કાજામથી ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતાં.આ ઉપરાંત શહેરના પુર્વ વિસ્તાર ખાડિયામાં પણ પૂર્વ ધારાસભ્ય અને શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટની આગેવાનીમાં પણ લોકોએ ફટાકડા ફોડી ભારતના ભવ્ય જીતની ઉજવણી કરી હતી. આ ઉપરાંત સરસપુર, બાપુનગર સહિતના વિસ્તારોમાં લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ભારત અને પાકિસ્તાનની મેચ જોવા સ્ટેડિયમમાં ગયા હતા. ભારતની શાનદાર જીત બાદ મુખ્યમંત્રીએ X(ટ્વિટર) પર ભારતીય ટીમના ખેલાડીઓ અને દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...