Wednesday, September 17, 2025

નારણપુરાની ઘી ગુડ રેસ્ટોરન્ટ આવી વિવાદમાં, ગ્રાહકે મંગાવેલ સીંગદાણામાંથી નીકળી ઇયળ

Share

Share

અમદાવાદ : દિવાળી પહેલા ગુજરાતમાંથી ભેળસેળવાળી વસ્તુઓની જાણે ભરમાર લાગી હોય તેમ એક બાદ એક વસ્તુઓમાં ભેળસેળ સામે આવી રહી છે. ત્યારે જો દિવાળીના તહેવારોમાં બહાર જવાનું પણ વિચારતા હોવ તો તમે ચેતી જજો. કારણ કે, અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલ નામાંકિત રેસ્ટોરન્ટ ઘી-ગુડના સિંગદાણામાંથી ઇયળો નીકળતા વિવાદમાં આવી છે.આમ ખાવાની વસ્તુઓમાંથી ઇયળ નીકળવાને કારણે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

આ અંગે મળતા મિડિયા રિપોર્ટ મુજબ, અમદાવાદની જાણીતી રેસ્ટોરન્ટ ઘી-ગુડની નારણપુરા બ્રાંચમાં સીંગદાણામાંથી ઇયળો નીકળવાના કિસ્સાએ ભારે ચર્ચા જગાવી છે. સ્ટાર્ટરમાં આપેલી ડીશમાં જીવાત નીકળી હતી. સડેલા સીંગદાણા ગ્રાહકોને આપવામાં આવ્યા હતા.સીંગદાણામાંથી ઇયળો નીકળતાની સાથે ગ્રાહકોએ હોળાળો મચાવ્યો હતો. ગ્રાહકોએ આ અંગેની ફરિયાદ રેસ્ટોરન્ટના મેનેજમેન્ટમાં પણ કરી હતી. જો કે બ્રાન્ચના મેનેજરે સમગ્ર વિવાદને લઈને સિંગદાણા બહારથી મંગાવતા હોવાનો દાવો કર્યો છે ત્યારે બીજી બાજુ ગ્રાહકે મ્યુ કોર્પોરેશનમાં ફરિયાદ કરવાની વાત કરી છે.

આ અગાઉ અમદાવાદના બોપલ સ્થિત શાલિગ્રામ શોપિંગ સેન્ટરમાં આવેલી માધવ ડ્રાયફ્રૂટ દુકાનમાંથી મહિલાએ કાજુ લીધા હતા. જે બાદ ઘરે જઈને પેકેટ ખોલતા તેમાંથી ઈયળ નીકળી હતી. સમગ્ર વિવાદ કોર્પોરેશન સુધી પહોંચતા આરોગ્ય વિભાગે કાર્યવાહી શરુ કરી છે. જોકે, આ કેસમાં દુકાનદારે ભુલ સ્વીકારી રૂપિયા પરત કર્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...