Thursday, March 5, 2026

World Cup ફાઇનલને લઈને AMTS-BRTS વધારાની બસો દોડાવશે, સવારે 8 વાગ્યાથી રાત્રે 1 વાગ્યા સુધી બસો ચાલશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં World Cup 2023ની ફાઇનલને લઈને AMTS અને BRTS વધારાની બસો દોડાવવાનું છે. સામાન્ય રીતે રાત્રે દસ વાગે બંધ થઈ જતી AMTS-BRTS રવિવારે ફાઇનલના દિવસે રાત્રે એક વાગ્યા સુધી જારી રહેશે. AMTS 119 અને BRTS 91 વધારાની બસ દોડાવશે. આમ પરિવહનના ત્રણ માધ્યમોએ આવતીકાલે સવા લાખથી વધારે ભીડનું સંચાલન કરવાનું રહેશે.

અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા ભારત-ઑસ્ટ્રેલિયાની વર્લ્ડકપની ફાઇનલ મેચને લઈ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. AMTS અને BRTSની બસો પણ સવારે 6 વાગ્યાથી લઈ રાત્રે 1 વાગ્યાથી દોડશે. જેમાં BRTS 91 બસો તથા AMTS દ્વારા 119 બસો વિવિધ રૂટ પર દોડશે. આ સાથે AMTS દ્વારા ચાંદખેડા રૂટ પર 50થી વધારે બસો દોડાવાશે. ભારત-ઑસ્ટ્રેલિયાની વર્લ્ડકપની ફાઇનલ મેચને લઈ દોડાવવામાં આવનાર આ વધારાની 50 બસ પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના 5 વિસ્તાર માટે દોડશે. BRTS દ્વારા પણ વર્લ્ડકપને લઇ વધારાની 42 બસો દોડાવાશે. આ સાથે સવારે 8 થી રાત્રે 1 કલાક સુધી AMTS અને BRTSની બસો દોડશે. વિગતો મુજબ AMTSમાં મુસાફરી માટે ફક્ત 20 રૂપિયા જ ભાડું ચૂકવવાનું રહેશે.

તેથી સ્ટેડિયમ જવા માંગતા મુસાફરોએ 20 રૂપિયાની ટિકિટ લેવાની રહેશે. જો કે આ ભાડું એકતરફનું રહેશે. જ્યારે અમદાવાદ મેટ્રો પણ રાતના દસ વાગ્યાના બદલે એક વાગ્યા સુધી ચાલુ રહેશે. તે પણ તેનું નિયત ભાડુ રહેશે. જો કે આ વખતે તે મેચના દિવસ માટે દરરોજની જેમ ટોકન ટિકિટ આપવા ઉપરાંત ધસારાને ધ્યાનમાં રાખીને પેપર ટિકિટ પણ આપશે, જેથી ટિકિટ બારી પર ગ્રાહકોની ભીડ જમા ન થાય.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...