Friday, January 16, 2026

World Cup ફાઇનલને લઈને AMTS-BRTS વધારાની બસો દોડાવશે, સવારે 8 વાગ્યાથી રાત્રે 1 વાગ્યા સુધી બસો ચાલશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં World Cup 2023ની ફાઇનલને લઈને AMTS અને BRTS વધારાની બસો દોડાવવાનું છે. સામાન્ય રીતે રાત્રે દસ વાગે બંધ થઈ જતી AMTS-BRTS રવિવારે ફાઇનલના દિવસે રાત્રે એક વાગ્યા સુધી જારી રહેશે. AMTS 119 અને BRTS 91 વધારાની બસ દોડાવશે. આમ પરિવહનના ત્રણ માધ્યમોએ આવતીકાલે સવા લાખથી વધારે ભીડનું સંચાલન કરવાનું રહેશે.

અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા ભારત-ઑસ્ટ્રેલિયાની વર્લ્ડકપની ફાઇનલ મેચને લઈ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. AMTS અને BRTSની બસો પણ સવારે 6 વાગ્યાથી લઈ રાત્રે 1 વાગ્યાથી દોડશે. જેમાં BRTS 91 બસો તથા AMTS દ્વારા 119 બસો વિવિધ રૂટ પર દોડશે. આ સાથે AMTS દ્વારા ચાંદખેડા રૂટ પર 50થી વધારે બસો દોડાવાશે. ભારત-ઑસ્ટ્રેલિયાની વર્લ્ડકપની ફાઇનલ મેચને લઈ દોડાવવામાં આવનાર આ વધારાની 50 બસ પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના 5 વિસ્તાર માટે દોડશે. BRTS દ્વારા પણ વર્લ્ડકપને લઇ વધારાની 42 બસો દોડાવાશે. આ સાથે સવારે 8 થી રાત્રે 1 કલાક સુધી AMTS અને BRTSની બસો દોડશે. વિગતો મુજબ AMTSમાં મુસાફરી માટે ફક્ત 20 રૂપિયા જ ભાડું ચૂકવવાનું રહેશે.

તેથી સ્ટેડિયમ જવા માંગતા મુસાફરોએ 20 રૂપિયાની ટિકિટ લેવાની રહેશે. જો કે આ ભાડું એકતરફનું રહેશે. જ્યારે અમદાવાદ મેટ્રો પણ રાતના દસ વાગ્યાના બદલે એક વાગ્યા સુધી ચાલુ રહેશે. તે પણ તેનું નિયત ભાડુ રહેશે. જો કે આ વખતે તે મેચના દિવસ માટે દરરોજની જેમ ટોકન ટિકિટ આપવા ઉપરાંત ધસારાને ધ્યાનમાં રાખીને પેપર ટિકિટ પણ આપશે, જેથી ટિકિટ બારી પર ગ્રાહકોની ભીડ જમા ન થાય.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...