Wednesday, January 21, 2026

અમદાવાદના બહુચર્ચિત પોલીસના તોડકાંડ મામલે 10 તોડબાજ પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદનાં રીંગ રોડ પર ફરી એક વખત પોલીસે દિલ્હીથી મેચ દેખવા આવેલ યુવકનો 20 હજારનો તોડ મામલે પોલીસ અને TRB જવાનો સામે તવાઇ બોલાવવામાં આવી છે. ટ્રાફિક DCP સફીન હસને તપાસ બાદ 10 તોડબાજ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં હડકંપ મચ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ દિલ્હીથી આવેલા કાનવ માનચંદા નામના યુવક પાસેથી પોલીસે 20 હજારનો તોડ કર્યો હતો. આ સમગ્ર તોડકાંડ મીડિયામાં આવ્યા બાદ અમદાવાદ પોલીસ એક્શનમાં આવી હતી અને આ સમગ્ર મામલે ACPને તપાસ સોંપવામાં આવી હતી. જેમાં ટ્રાફિક વિભાગની તપાસમાં 3 ટ્રાફિક પોલીસ કર્મી અને 7 TRB એમ કુલ 10 જવાનની સંડોવણી ખૂલી છે. જે બાદ તમામને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે આ કેસમાં ફરિયાદીએ કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ પોલીસે સામે ચાલીને તોડબાજ પોલીસ કર્મીઓ પર કાર્યવાહી કરી છે.

DCP સફીન હસને જણાવ્યું કે દિલ્હીના કાનવ માનચંદા નામના યુવક દ્વારા જે આક્ષેપો કરાયા છે તેની ફરિયાદ લેવા માટે પોલીસની ખાસ ટીમ દિલ્હી મોકલવામાં આવી છે. પોલીસની તપાસમાં રોયલ મોબાઇલ એસેસરીઝના માલિકના એકાઉન્ટમાં ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું ખૂલ્યું છે. સસ્પેન્ડેડ પોલીસ કર્મીઓ તેમજ TRB જવાનોનો ગુનાહિત ભૂતકાળ પણ તપાસવામાં આવશે તેમ DCPએ જણાવ્યું હતું.

સસ્પેન્ડ કરવામાં આવેલા પોલીસકર્મી

મહાવીરસિંહ બહાદુરસિંહ
વિપુલ સિંહ રામસિંહ
તુષાર ભરત સિંહ

TRB જવાન

જયેશ માનીચંદ્ર
ભાટી નિતેશ
ઝાલા પ્રકાશસિંહ
રાઠોડ યુવરાજસિંહ
પરમાર વિજય ગીરીશભાઈ
ગૌતમ ધનજીભાઈ
કુશહવા અભિષેક

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...