Friday, January 16, 2026

અમદાવાદના યુવકનું સીમકાર્ડ બંધ થયું અને 80 લાખ ગાયબ…ઠગ પુનાથી ઝડપાયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં વધુ એક સીમકાર્ડ સ્વેપિંગ કરીને ઠગાઈનો કિસ્સો સામે આવતા પોલીસ દોડતી થઈ છે. સાયબર ક્રાઇમ પોલીસે રૂ 80 લાખની છેતરપીંડી કેસમાં મહારાષ્ટ્રના પુનાથી એક આરોપીને ઉઠાવી લીધો છે. આ ઠગાઈ કેસમાં સાયબર ક્રાઇમે રૂ 50 લાખ ભોગ બનનારને પરત આપ્યા છે. હાલ પોલીસે આરોપી ગૌતમ ગોપાલચંદ્ર મુખરજીને દબોચી લીધો છે. જેને સીમકાર્ડ સ્વેપિંગ કરીને રૂ 80 લાખની છેતરપીંડી કરી હોવાનું બહાર આવ્યું છે.

ઘટનાની વાત કરીએ તો અમદાવાદના એક યુવકનું વિટ્રાગ ફોમ પ્રા.લી કંપની નામથી બેંક ઓફ બરોડાનું એકાઉન્ટ હતું. જેમાં વોડાફોન કંપનીના મોબાઈલ નંબર રજીસ્ટર કર્યો હતો. આરોપીએ 30 મેના રોજ આ નંબરનું સીમકાર્ડ સ્વેપ કરીને બેંક એકાઉન્ટમાંથી રૂ 80 લાખનું ટ્રાન્જેક્શન કર્યું. વેપારીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે.પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી ગૌતમ ગોપાલચંદ્ર મુખરજી છે. જેણે સીમકાર્ડ સ્વેપિંગ કરીને રૂપિયા 80 લાખની છેતરપિંડી કરી છે. સાયબર ક્રાઇમે મહારાષ્ટ્રના પુનાથી આરોપીની ધરપકડ કરી છે.

આરોપી હાલમાં મહારાષ્ટ્રમાં પૂનામાં આવેલી Incedo technology Solution Ltd. કંપનીમાં ફલોર એકઝીકયુટીવ તરીકે નોકરી કરે છે, આ આરોપી ઠગાઈ કેસમાં માસ્ટર માઈન્ડ છે. જેને પોતાના સાગરીત સાથે મળીને અમદાવાદના યુવકનું કંપનીના રજીસ્ટર સીમકાર્ડ ઓનલાઇન સીમસ્વેપ કરવા વોડાફોન કંપનીમા કોલ કરી આ સીમકાર્ડ ટેમ્પરરી બંધ કરાવ્યું હતું. અને ત્યાર બાદ કંપનીના બેંક એકાઉન્ટ સાથે રજીસ્ટર સીમકાર્ડ આધારે ઓનલાઇન ટ્રાન્જેક્શન કરીને પોતાના રાંચીના એચએફડીસી એકાઉન્ટમાં રૂ 38 લાખ ટ્રાન્સફર કર્યા હતા. અને ત્યાર બાદ wazirx કંપનીમા નાખી USD ખરીદ કરવા ટ્રાન્સફર કરેલા હતા. જ્યારે ICICI બેંકના એકાઉન્ટ માં રૂ 41.70 લાખ ટ્રાન્સફર કરીને 80 લાખની ઠગાઈ કરી હતી.

પકડાયેલા આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે..અને તેને આ પ્રકારે અનેક ગુના આચર્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. સાયબર ક્રાઇમે 80 લાખની ઠગાઈ કેસમાં સતર્કતા દાખવીને 50 લાખ ફ્રીઝ કરીને ફરિયાદી યુવકને પરત કર્યા છે. જ્યારે સિમ સ્વેપિંગ કેસમાં વોડાફોન કંપનીના કોઈ કર્મચારી ઓની સંડોવણી છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત આ ગેંગના અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...