Tuesday, January 20, 2026

અમદાવાદના આ વિસ્તારમાંથી પકડાયુ નકલી દારુનું કારખાનું, 70 નંગ ડુપ્લિકેટ બૉટલો સાથે એકની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે અવારનવાર દારૂ ઝડપાતો રહે છે. ત્યારે આ વચ્ચે અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાંથી નકલી દારૂ બનાવવાનું મોટું કારખાનું ઝડપાયું છે. મળતા અહેવાલ પ્રમાણે ઓઢવના મોતીબાગની ચાલીમાં રહેતો અસરફી લાલ સરોજ નામનો શખ્સ નકલી દારૂ બનાવીને ખુલ્લેઆમ વેચાણ કરતો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ PCB ની ટીમે બાતમીના આધારે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા, જ્યાં PCB ટીમને મોતીબાગની ચાલીમાં રહેતા અસરફી લાલ સરોજ નામના શખ્સને નકલી દારુ બનાવતા ઝડપી પાડ્યો હતો, તેને અહીં નકલી દારુનુ કારખાનું ઉભુ કર્યુ હતુ, અને દારુ બનાવી રહ્યો હતો. આ દરોડાની કાર્યવાહીમાં બનાવટી દારુની 147 બૉટલો અને બિયરની બૉટલો કબજે કરાઇ છે, બનાવટી દારુના આ કારખાનામાંથી 70 નંગ ડુપ્લિકેટ બૉટલોના બૂચ અને બ્રાન્ડેડ સ્ટીકર પણ પોલીસે કબજે કર્યા છે, અહીંથી 88 હજારથી વધુના મુદ્દામાલ સાથે પીસીબીની ટીમે એક આરોપીની પણ ધરપકડ કરી છે, જોકે, બે આરોપીઓ હજુ પણ વૉન્ટેડ છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ કૌભાંડ છેલ્લાં ઘણા મહિનાઓથી ચલાવવામાં આવતું હતુ અને સ્કોચની બોટલ ડીફેન્સનો સ્ટોક હોવાનું કહીને એક બોટલ ચાર થી પાંચ હજારમાં વેચાણ કરવામાં આવતી હતી. આ અંગે PCBના હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહની ફરિયાદને આધારે ઓઢવ પોલીસે તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...