Wednesday, January 21, 2026

હેડ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ લાંચ લેતા ઝડપાયા, જાણો કેટલા લાખની કરી હતી માંગણી

spot_img
Share

અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય પોલીસનો હેડ કોન્સ્ટેબલ જમીન પ્રકરણ બાબતે 2 લાખની લાંચ લેતા ઝડપાયો છે. અરજીના જવાબ માટે બોલાવેલી ફરિયાદીને ગુનો ના નોંધવા માટે 2 લાખની લાંચ આપવા જણાવ્યું હતું. જે બાદ આજે 2 લાખની લાંચ લેતા હોમગાર્ડ જવાન અને હેડ કોન્સ્ટેબલને ACBએ ઝડપી પાડ્યા છે. બંને વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બાબુલાલ પરમારે ફરિયાદીને જમીન પ્રકરણ બાબતની તેમના વિરૂદ્ધ થયેલી અરજીના નિવેદન લખવા માટે બોલાવ્યા હતા. નિવેદન નોંધ્યા બાદ અરજીમાંથી ગુનો ના નોંધવા બાબુલાલે 2 લાખની લાંચ માગી હતી. ફરિયાદી લાંચ ના આપવા માગતા હોવાથી ACBનો સંપર્ક કર્યો હતો. ACB દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું જેમાં ફરિયાદી લાંચની રકમ લઇને વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

બાબુલાલની હાજરીમાં વાતચીત કરી બાબુલાલ વતી હોમગાર્ડ રિઝવાન મેમણ લાંચ આપવા જણાવ્યું હતું. જેથી ફરિયાદીએ 2 લાખ રૂપિયા રિઝવાનને આપ્યા હતા. લાંચ લેતા ACBએ બંને આરોપીઓ (1) બાબુલાલ શંકરભાઈ પરમાર, હોદ્દો : અ.હે.કોન્સ., વર્ગ -૩, વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન, તા.વિરમગામ (2) રિઝવાન મહંમદ રફીક મેમણ, હોદ્દો: હોમગાર્ડ, વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન સામે ACBએ સફળ ટ્રેપ કરીને ઝડપી લીધા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...