Wednesday, January 21, 2026

અમદાવાદમાં નવા કમિશનરના આદેશ બાદ PCBનો સપાટો, દારૂ અને જુગારના કેસો કરવાની સ્પીડમાં ત્રણ ગણા વધારાથી ગુનેગારોમાં ફફડાટ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેર પોલીસ કમિશનર હસ્તક આવતી PCB એટલે કે પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં દારૂ જુગાર કે અન્ય ગેરિરીતી અટકાવવા સતત વોચમાં રહી કામગીરી કરતી રહે છે. એમાંય ખાસ કરીને તાજેતરમાં શહેર પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ પોલીસ કમિશનર જી.એસ મલિકે દારૂ જુગાર કે ડ્રગ્સની બદીને દૂર કરવાનો આદેશ આપ્યો હતો. જે બાદથી PCBએ સપાટો બોલાવી ટૂંકા ગાળામાં અનેક કેસ કરતા ગુનેગારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં પ્રિવેંશન ઓફ ક્રાઇમ બ્રાન્ચ-PCBએ વર્ષ 2023ના જાન્યુઆરી મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધીમાં એટલે કે નવ મહિનામાં દેશી દારૂ અને વિદેશી દારૂના 50 કેસો કરીને 53 આરોપીઓની ધરપકડ કરી છે. કુલ 47 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી લીધો છે.તેવી જ રીતે ઓક્ટોબર મહિનાથી આજ દિન સુધીમાં એટલે કે ફક્ત બે મહિનામાં દેશી અને વિદેશી દારૂના 79 કેસ કરીને 96 આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. જ્યારે સપ્ટેમ્બર મહિનાથી આજ દિન સુધીમાં કુલ 1 કરોડ 23 લાખ 97 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

જાન્યુઆરી મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધીમાં એટલે કે નવ મહિનામાં જુગારના 27 કેસ નોંધીને 103 આરોપીઓને જેલ હવાલે કરી દીધા છે. ત્યારે જાન્યુઆરી મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધીમાં એટલે કે નવ મહિનામાં જુગારનો કુલ મુદ્દામાલ 22 લાખ 64 હજાર કબજે કરવામાં આવ્યો છે.ઓક્ટોબર મહિનાથી આજ દિન સુધીમાં એટલે કે ફક્ત બે મહિનામાં 12 કેસ જુગારના નોંધીને 183 આરોપીઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. ઓક્ટોમ્બર મહિનાથી આજ દિન સુધીમાં એટલે કે ફક્ત બે મહિનામાં જુગારના કેસ કરીને રૂપિયા 96 લાખ 18 હજાર નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

એટલે ટૂંકમાં કહીએ તો પ્રિવેંશન ઓફ ક્રાઇમ બ્રાન્ચ-PCBએ જાન્યુઆરી મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધીમાં એટલે કે નવ મહિનામાં દેશી દારૂ અને વિદેશી દારૂના અને જુગારના કેસોની સંખ્યાનો આંકડો જોવા જઈએ તો ત્રણ મહિનામાં ત્રણ ગણો વધારો થયો હોવાનું જણાય છે, આમ નવ નિયુક્ત શહેર પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ પોલીસ કમિશનર જી.એસ મલિકે દારૂ જુગાર કે ડ્રગ્સની બદીને દૂર કરવાનો આદેશ આપ્યો હતો, એનું પાલન થતું હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે PCB નવેમ્બર મહિનામાં બોડકદેવ પોલીસ સ્ટેશનની હદમાં અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ આચરતું કોલ સેન્ટર ઝડપી લઇને 4 આરોપીને ધરપકડ કરવામાં આવી છે જેમાંથી 2 આરોપીઓની પુના ખાતેની કંપનીમાંથી પણ ધરપકડ કરાઈ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...