Wednesday, March 11, 2026

અમદાવાદના AMC સંચાલિત બગીચાઓમાં QR કોડ લાગશે, નાગરિકો ઓનલાઈન ફરિયાદ કે સુચન કરી શકશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં AMC સંચાલિત તમામ ગાર્ડનોની બહાર હવે કોઈપણ ફરિયાદ અથવા તો સૂચન માટે QR કોડ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં મણીનગર વિસ્તારના બે જેટલા ગાર્ડનમાં QR કોડ લગાવવામાં આવ્યા છે આગામી દિવસોમાં બાકીના તમામ 290 જેટલા ગાર્ડનમાં કોડ લગાવી દેવામાં આવશે. આ સૂચન અને ફરિયાદો મારફતે તવરીત કામગીરી કોર્પોરેશનના ગાર્ડન વિભાગ દ્વારા કરવામાં આવશે.

AMC સંચાલિત તમામ બગીચાઓમાં હવે નાગરિકોની ફરિયાદ અને સૂચન મેળવવા માટે QR કોડ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બગીચામાં રમત ગમતના સાધનો તૂટેલા હોય, લાઇટ બંધ હોય, સફાઈ થતી ન હોય, સિક્યુરિટી, પાણી અને શૌચાલયની વ્યવસ્થા ન હોય તો તમે AMC તંત્રને ફરિયાદ કરી શકશો. જેમાં હાલમાં બે જેટલા ગાર્ડનમાં QR કોડ લગાવવામાં આવ્યો છે.આગામી એક અઠવાડિયામાં તમામ 290 જેટલા બગીચાઓમાં આ કોડ લગાવી દેવામાં આવશે. ખાસ કરીને બગીચાને લગતા તમામ પ્રશ્નો તેમાં સમાવી લેવામાં આવ્યા છે. હજી પણ જો કોઈપણ પ્રકારના સૂચન આવશે તો તે પ્રશ્નોનો પણ ઉમેરો કરવામાં આવશે.

સૌપ્રથમ નાગરિકોએ QR કોડમાં સ્કેન કરવાનું રહેશે. જેથી એક ગુગલ ફોર્મ ખુલશે. જેમાં બગીચાનું નામ લખવાનું રહેશે, ત્યારબાદ બગીચામાં સાફ-સફાઈ લાઈટ પાણી શૌચાલય વોકવે વગેરે અંગેની માહિતી ભરવાની રહેશે. આ માહિતી ભરીને જ્યારે સબમિટ કરવામાં આવશે, ત્યારે આ સીધી માહિતી AMCના ગાર્ડન વિભાગની પાસે જશે અને ગાર્ડન વિભાગ દ્વારા જે પણ ફરિયાદ કે સૂચન મળ્યું હશે. તેનું ઝડપીમાં ઝડપી સમયમાં નિરાકરણ લાવવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...