Monday, January 19, 2026

અમદાવાદના AMC સંચાલિત બગીચાઓમાં QR કોડ લાગશે, નાગરિકો ઓનલાઈન ફરિયાદ કે સુચન કરી શકશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં AMC સંચાલિત તમામ ગાર્ડનોની બહાર હવે કોઈપણ ફરિયાદ અથવા તો સૂચન માટે QR કોડ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં મણીનગર વિસ્તારના બે જેટલા ગાર્ડનમાં QR કોડ લગાવવામાં આવ્યા છે આગામી દિવસોમાં બાકીના તમામ 290 જેટલા ગાર્ડનમાં કોડ લગાવી દેવામાં આવશે. આ સૂચન અને ફરિયાદો મારફતે તવરીત કામગીરી કોર્પોરેશનના ગાર્ડન વિભાગ દ્વારા કરવામાં આવશે.

AMC સંચાલિત તમામ બગીચાઓમાં હવે નાગરિકોની ફરિયાદ અને સૂચન મેળવવા માટે QR કોડ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બગીચામાં રમત ગમતના સાધનો તૂટેલા હોય, લાઇટ બંધ હોય, સફાઈ થતી ન હોય, સિક્યુરિટી, પાણી અને શૌચાલયની વ્યવસ્થા ન હોય તો તમે AMC તંત્રને ફરિયાદ કરી શકશો. જેમાં હાલમાં બે જેટલા ગાર્ડનમાં QR કોડ લગાવવામાં આવ્યો છે.આગામી એક અઠવાડિયામાં તમામ 290 જેટલા બગીચાઓમાં આ કોડ લગાવી દેવામાં આવશે. ખાસ કરીને બગીચાને લગતા તમામ પ્રશ્નો તેમાં સમાવી લેવામાં આવ્યા છે. હજી પણ જો કોઈપણ પ્રકારના સૂચન આવશે તો તે પ્રશ્નોનો પણ ઉમેરો કરવામાં આવશે.

સૌપ્રથમ નાગરિકોએ QR કોડમાં સ્કેન કરવાનું રહેશે. જેથી એક ગુગલ ફોર્મ ખુલશે. જેમાં બગીચાનું નામ લખવાનું રહેશે, ત્યારબાદ બગીચામાં સાફ-સફાઈ લાઈટ પાણી શૌચાલય વોકવે વગેરે અંગેની માહિતી ભરવાની રહેશે. આ માહિતી ભરીને જ્યારે સબમિટ કરવામાં આવશે, ત્યારે આ સીધી માહિતી AMCના ગાર્ડન વિભાગની પાસે જશે અને ગાર્ડન વિભાગ દ્વારા જે પણ ફરિયાદ કે સૂચન મળ્યું હશે. તેનું ઝડપીમાં ઝડપી સમયમાં નિરાકરણ લાવવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...