Friday, January 16, 2026

અમદાવાદમાં દારૂ ઘૂસાડવા બુટલેગરે અપનાવ્યો નવો કીમીયો, દારૂ ભરેલું એસિડનું ટેન્કર ઝડપાયું

spot_img
Share

અમદાવાદ : 31st પહેલા જ ગુજરાતમાં દારૂ ઘૂસાડવાના બુટલેગરના નવા કિમીયોનો અમદાવાદ પોલીસે પર્દાફાશ કર્યો હતો. મળતી જાણકારી અનુસાર, PCBને માહિતી મળી હતી કે બાવળાથી પસાર થતા ટેન્કરમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. આ માહિતીના આધારે પોલીસે બાવળા પોલીસને સાથે રાખી બાવળા નજીકથી પસાર થતા ટેન્કરને રોક્યુ હતું. ટેન્કરની તપાસ કરતા ટેન્કરની અંદરથી 400 વિદેશી દારૂની બોટલનો જથ્થો હાથ લાગ્યો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ PCB ટીમે ચોક્કસ માહિતી આધારે બાવળા પોલીસ સાથે સંયુક્ત કામગીરી કરી બાવળા રોડ પરથી દારૂ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું છે. જેમાં પોલીસે દારૂની 400 વધુ પેટી હોવાનું સામે આવ્યું છે. આ એસિડ ભરવાના ટેન્કરની આડમાં દારૂની પેટીઓ મુકીને લઇ જવામાં આવી રહ્યો હતો. જે અંગે PCB ની ટીમને ચોક્કસ માહિતી મળતા અમદાવાદથી તેનો પીછો કર્યો અને ગ્રામ્ય વિસ્તારમાંથી આ ટેન્કરને બાવળા પોલીસની ટીમને સાથે રાખી પકડી પાડ્યું હતું.

ટેન્કરની ઉપર સલ્ફ્યુરિક એસિડ લખવામાં આવ્યું હતુ પરંતુ પોલીસે ટેન્કરની અંદર તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેન્કર ચાલકની અટકાયત કરી પૂછપરછ કરી હતી. તેણે પોલીસની પૂછપરછમાં કબૂલાત કરી હતી કે આ દારૂનો જથ્થો ઉદયપુરથી લવાયો હતો. પોલીસે દારૂનો જથ્થો કોણે મોકલ્યો હતો અને કોણે મંગાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...