Monday, January 19, 2026

AMTS દ્વારા શૈક્ષણિક પ્રવાસ માટે હવે 1500 રૂપિયામાં ત્રણ કલાક બસ ભાડે મળી શકશે

spot_img
Share

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.સંચાલિત શાળાઓ તેમજ ખાનગી શાળાઓના બાળકોના શૈક્ષણિક પ્રવાસ માટે હવે AMTS દ્વારા ત્રણ કલાકના માત્ર રૂરિયા 1500ના ભાડે બસ અપાશે. જે કે અગાઉ પણ AMTS દ્વારા શૈક્ષણિક પ્રવાસ માટે અઢી કલાકના 1500 લેખે ભાડે બસ આપવામાં આવતી હતી, પરંતુ AMTSની આ યોજનાને નબળો પ્રતિસાદ મળ્યો હતો. તેથી હવે અઢી કલાકને બદલે ત્રણ કલાક લેખે રૂપિયા 1500ના ભાડે બસ મળી શકશે.

AMTS જણાવ્યા મુજબ શહેરની ખાનગી તેમજ ગ્રાન્ટેડ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓમાંથી શૈક્ષણિક પ્રવાસ લઈ જવામાં આવતો હોય છે. કાંકરિયા, સાયન્સ સિટી, રિવરફ્રન્ટ સહિત વિવિધ જગ્યાએ શૈક્ષણિક પ્રવાસ માટે સ્પેશિયલ વર્ધી બસ અઢી કલાક માટે ભાડે આપવામાં આવતી હતી જેના માટે 1500 રૂપિયા પ્રતિબંધ ભાડું લેવામાં આવતું હતું. ત્યારબાદ દર 30 મિનિટ માટે 500 રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો હતો. જોકે, 11 ડિસેમ્બરથી શૈક્ષણિક પ્રવાસની વર્ધી માટે અઢી કલાકના બદલે 30 મિનિટનો વધારો કરી ત્રણ કલાક માટે લઘુત્તમ રૂપિયા 1500 ભાડું લેવાશે અને ત્યારબાદ દર 30 મિનિટ માટે રૂપિયા 500નો ચાર્જ લેવામાં આવશે.આમ હવે ત્રણ કલાક માટે બસ રૂપિયા 1500 લેખે ભાડે આપવામાં આવશે. શૈક્ષણિક પ્રવાસનો શાળાઓ લાભ લઈ શકે તે માટે પત્ર લખીને શાળાઓને માહિતગાર કરાશે.

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલો માટે ત્રણ કલાકનું ભાડું તેનાથી 50 ટકા ઓછું એટલે કે રૂપિયા 750 રહેશે. AMTS દિવસોને શૈક્ષણિક પ્રવાસની બસ વર્ધી માટે છેલ્લા 11 મહિનામાં માત્ર 34 વર્ધી જ મળી હતી. જેમાં ખાનગી શાળાની 20 અને મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલની 14 વર્ધી હતી. AMTS બસ દ્વારા વર્ધી માટે સમય ગાળો ખૂબ જ ઓછો રાખવામાં આવ્યો હતો. શહેરમાં જો કોઈપણ સ્થળે જવું હોય તો ઓછામાં ઓછો એક કલાક જેટલો સમય થાય છે જઈને પરત આવવામાં જ બે કલાક જેટલો સમય જતો રહે છે. જેમાં સમય પૂરો થઈ જતા ત્યારબાદ વધારાના ઉપરનો ચાર્જ ચૂકવવો પડે છે તેથી સ્કૂલ દ્વારા બસનો ઉપયોગ કરવામાં આવતો નહોતો. આમ 30 મિનિટનો વધારાનો સમય ફાળવી અને શૈક્ષણિક પ્રવાસની વર્ધીઓને વધારવાનો પ્રયાસ AMTS દ્રારા કરવામા આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...